૬(૧).૧૭

ગજ્જર ત્રિભુવનદાસ કલ્યાણદાસથી ગણિત

ગણધરવાદ

ગણધરવાદ : આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. 500-600) રચિત ‘વિશેષાવશ્યકભાષ્ય’નું એક મહત્વનું પ્રકરણ. આ ગ્રંથ જૈનજ્ઞાનમહોદધિ જેવો છે. જૈન આગમોમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુર:સર ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથનાં અનેક પ્રકરણોની જેમ ‘ગણધરવાદ’ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે. ‘ગણધરવાદ’ શીર્ષકનો અર્થ શો ? ભગવાન મહાવીરના…

વધુ વાંચો >

ગણનીયતા

ગણનીયતા (countability) : ગણિતમાં બે ગણોને તેમની સભ્યસંખ્યાની ર્દષ્ટિએ સરખાવવાની એક શાસ્ત્રીય પદ્ધતિ. જો આપેલ બે ગણમાંના પ્રત્યેકમાં પાંચ સભ્યો હોય (દા.ત., પાંડવોનો ગણ અને પંચમહાભૂતોનો ગણ), તો સભ્યસંખ્યાની ર્દષ્ટિએ તે બંને સરખા છે એમ આપણે કહીએ છીએ. ગણિતમાં ‘સરખા’ને બદલે ‘સામ્ય’ વધુ વપરાય છે. આમ મેઘધનુષ્યના રંગોનો ગણ અને…

વધુ વાંચો >

ગણપતિ

ગણપતિ : હિંદુઓના વિઘ્નહર્તા દેવ. ગણપતિ એ શિવ-પાર્વતીના પુત્ર છે અને શિવપરિવારના દેવોમાં તે એક પ્રધાન દેવ છે. શિવના ગણ મરુતોના તે અધિપતિ છે, તેથી તે ગણપતિ કહેવાયા છે. મરુત્ દેવો તેમની ઉદ્દામ શક્તિને લીધે પ્રમથ કહેવાયા હશે. ગણપતિ આ પ્રમથ ગણના અધીશ્વર છે. ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે.…

વધુ વાંચો >

ગણરાજ્ય

ગણરાજ્ય : લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. જોકે ગણરાજ્યોનું સ્વરૂપ દરેક સમયે એક જ પ્રકારનું ન હતું. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ગણરાજ્યોનાં નામ, સ્થાન, બંધારણ, કાર્યશૈલી વગેરેમાં ફેરફારો થતા રહ્યા છે. ગણનો સામાન્ય અર્થ ‘સંખ્યા’…

વધુ વાંચો >

ગણસિદ્ધાંત

ગણસિદ્ધાંત (set theory) : ગણોના ઘટકો, ગણો વચ્ચેના સંબંધો (relations) અને ગણોમાં વપરાતા ઔપચારિક નિયમો અંગે ખ્યાલ આપતું ગણિત. આમ ગણસિદ્ધાંત એટલે ગણ અને તેના પર વ્યાખ્યાયિત પૂર્વધારણાઓ(postulates)યુક્ત ગણિત. જર્મન ગણિતશાસ્ત્રી કૅન્ટૉરે (1845-1918) સૌપ્રથમ ગણસિદ્ધાંતનો અભ્યાસ કર્યો. ગણ એટલે સુનિશ્ચિત ઘટકોનો સંગ્રહ (collection). આ વ્યાખ્યામાં આવેલા શબ્દોની પણ વ્યાખ્યા આપવાની…

વધુ વાંચો >

ગણિત

ગણિત ગણતરી, માપન અને વસ્તુઓના આકાર અંગેના પ્રાથમિક વ્યવહારમાંથી વિકસેલું સંરચના (structure), ક્રમ (order) અને સંબંધ (relation) અંગેનું વિજ્ઞાન. લોકભાષામાં ગણિતને અંકગણિત સમજવામાં આવે છે. ગણિત એટલે હિસાબનું ગણિત; જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવે છે. શાળાના વિદ્યાર્થી માટે ગણિત એટલે અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ છે. વિજ્ઞાન કે ઇજનેરી…

વધુ વાંચો >

ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ

Jan 17, 1994

ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ (જ. 3 ઑગસ્ટ 1863; અ. 16 જુલાઈ 1920) : ગુજરાતના કેળવણીકાર, સુપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી, ઉચ્ચ કોટિના શિક્ષક તથા ભારતીય રસાયણ-ઉદ્યોગના આદ્ય પ્રવર્તક. સૂરતમાં વૈશ્ય સુથાર જ્ઞાતિના અગ્રેસર ગણાતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. માતા ફૂલકોરબહેન. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે બી.એ. તથા એમ.એ. થયા બાદ તેઓ થોડો સમય કરાંચીમાં…

વધુ વાંચો >

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

Jan 17, 1994

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે…

વધુ વાંચો >

ગઝનવી આક્રમણો

Jan 17, 1994

ગઝનવી આક્રમણો : ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર કરેલાં આક્રમણો. ભારતને ઇસ્લામ(મુસ્લિમો)નો પ્રથમ સંપર્ક 712માં મોહમ્મદ બિન કાસિમે કરેલા સિંધવિજયથી થયો. ત્યાર બાદ આશરે 500 વર્ષ પછી (1206) મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ. તે દરમિયાન ભારત પર મુસ્લિમોનાં આક્રમણો થતાં રહ્યાં, જેમાં ગઝનવી આક્રમણોની સૌથી મહત્વની અસર થઈ. અફઘાનિસ્તાનના ગઝની…

વધુ વાંચો >

ગઝની

Jan 17, 1994

ગઝની : અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં આવેલ એ નામના પ્રાંતની રાજધાની તથા ઐતિહાસિક શહેર. પ્રાંતીય વિસ્તાર : 22,915 ચોકિમી. ભૌગોલિક સ્થાન : 33o 33´ ઉ. અ. તથા 68o 26´ પૂ. રે.. 3048 મી.ની ઊંચાઈએ અરગંદાબ અને તારનક નદીને બંને કાંઠે વસેલું આ શહેર કાબુલથી નૈર્ઋત્યમાં 150 કિમી. અને કંદહારથી ઈશાનમાં 358…

વધુ વાંચો >

ગઝલ

Jan 17, 1994

ગઝલ : અરબી ભાષામાં કસીદા કાવ્યસ્વરૂપના અંગ તરીકે પ્રયોજાયેલ અને પછી ફારસી, ઉર્દૂમાં થઈને હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયેલો કાવ્યપ્રકાર. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસીમાં, પછી ઉર્દૂમાં અને છેવટે વ્રજ અને ગુજરાતીમાં લખાયાનો ઇતિહાસ છે. ‘‘ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ…

વધુ વાંચો >

ગઝાલી (ઇમામ)

Jan 17, 1994

ગઝાલી (ઇમામ) (જ. ઈ. સ. 1058, તૂસ; અ. 19 ડિસેમ્બર 1111, તૂસ) : ઇસ્લામી જગતના એક અસાધારણ ચિંતક અને સૌથી મહાન ગણાતા ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબુ હામિદ મુહમ્મદ ઇબ્ન મુહમ્મદ અત્ તૂસી અશશાફેઈ. તૂસ અને નિશાપુરમાં ઇમામુલ હરમૈન (અ. ઈ. સ. 1085) પાસે તેમણે વિદ્યાભ્યાસ કરેલો. પ્રારંભથી જ તેમનું વલણ…

વધુ વાંચો >

ગઝાલી મશ્હદી

Jan 17, 1994

ગઝાલી મશ્હદી [જ. હિ. સ. 933, મશ્હદ (ઈરાન); અ. હિ. સ. 980, સરખેજ, અમદાવાદ] : ઈ. સ.ની સોળમી સદીના ફારસી કવિ. તેમના જીવન વિશે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. કવિના પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાંથી કંઈક માહિતી ઉપલબ્ધ થાય છે. ગઝાલીના જીવનકાળનાં લગભગ 156 વર્ષ પછી લખાયેલા તઝકેરા ‘હમેશા બહાર’ના કર્તા…

વધુ વાંચો >

ગઝેલ, આનૉર્લ્ડ

Jan 17, 1994

ગઝેલ, આનૉર્લ્ડ (જ. 21 જૂન 1880, આલ્મા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 29 મે 1961, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : નવજાત શિશુના માનસિક વિકાસના આદ્ય સંશોધક. બાળમનોવિજ્ઞાનના સ્થાપક સ્ટેનલી હૉલના વિદ્યાર્થી ગઝેલે અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટીમાંથી 1906માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1915માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી હતી. તેમણે યેલ…

વધુ વાંચો >

ગડ આલા પણ સિંહ ગેલા

Jan 17, 1994

ગડ આલા પણ સિંહ ગેલા (1904) : મરાઠી નવલકથાકાર હરિ નારાયણ આપટેની શિવાજીવિષયક ઐતિહાસિક નવલકથા. આ કૃતિએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડેલી અને લોકોને વિદેશી આક્રમણથી દેશનું રક્ષણ કરવાની પ્રેરણા આપેલી. ઉદયભાન નામનો સૈનિક સ્વાર્થી, સુખલોલુપ રજપૂત છે. પોતાનો સ્વાર્થ સાધવા એ ધર્માન્તર કરે છે અને બીજા દેશપ્રેમી, ધર્મભીરુ તથા સાત્વિક…

વધુ વાંચો >

ગડકરી નિતીન જયરામ

Jan 17, 1994

ગડકરી, નિતીન જયરામ (જ. 27 મે 1957, નાગપુર) : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ભારતના ‘હાઇવે મેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય પ્રધાન. પિતા જયરામ અને માતા ભાનુતાઈ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સ્વામી રામાનંદ તીર્થ મરાઠાવાડા યુનિવર્સિટી(SRTMU)અને બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી(BAMU) દ્વારા માનદ્ ડી.લિટ.ની પદવી આપવામાં આવી…

વધુ વાંચો >