૬(૧).૧૩

ખાણ-અવતલન (mine subsidence)થી ખાન આરિફ મહમ્મદખાન

ખાણ-અવતલન

ખાણ-અવતલન (mine subsidence) : કુદરતી અથવા માનવપ્રેરિત ભૂવૈજ્ઞાનિક પરિબળોની અનુક્રિયા(response)રૂપ પૃથ્વીની સપાટીનું બેસી જવું તે. ભૂગર્ભીય (underground – U.G.) ખાણોમાંથી ખનિજનું નિષ્કર્ષણ પોલાણ (void) સર્જે છે આથી સપાટી પરની જમીન અથવા સંરચના(structure)ને ધરતીના પ્રચલન-(movement)ને કારણે થતી હાનિ(damage)ને ખાણ-અવતલન કહે છે. આને કારણે ખાણોમાં થતા અકસ્માતોને પરિણામે ખનિજનો સારો એવો જથ્થો…

વધુ વાંચો >

ખાતરો

ખાતરો ખેતીની જમીનની ફળદ્રૂપતામાં વૃદ્ધિ કરનાર વિવિધ પ્રકારનાં પોષણક્ષમ દ્રવ્યો. જમીન એ ખેતી માટે પાયાનું માધ્યમ હોઈ તેની ફળદ્રૂપતામાં જ ખેતીનું શ્રેય રહેલું છે. ખેતીની ર્દષ્ટિએ જમીનના જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ ત્રણ મૂળભૂત ગુણધર્મો ગણી શકાય. આ પૈકી જમીનમાંથી ખેતીના વિકાસ સાથે વધુ ઉત્પાદન મેળવવા તેના રાસાયણિક પાસાને 1840માં…

વધુ વાંચો >

ખાતરો – ખનિજ

ખાતરો – ખનિજ (fertilizers-minerals) : ખનિજમાંથી બનાવેલું ખાતર. ખેતીવિષયક ઉત્પાદન વધારવામાં કૃત્રિમ અથવા રાસાયણિક ખાતરોના ઉપયોગનો ફાળો ઘણો મહત્વનો છે. ખાતર બનાવવામાં જરૂરી કાચો માલ કુદરતી ખનિજો અને રાસાયણિક દ્રવ્યોમાંથી મેળવાય છે. આ માટેનાં મુખ્ય ખનિજદ્રવ્યો પૈકી ફૉસ્ફેટ, ચૂનો, ચિરોડી, ગંધક, પાયરાઇટ, પોટાશ અને નાઇટ્રેટનો તેમજ ગૌણ ખનિજદ્રવ્યો પૈકી મૅગ્નેસાઇટ,…

વધુ વાંચો >

ખાદિમ હુસેન ખાં

ખાદિમ હુસેન ખાં (જ. 1908; અ. ?) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક અને સંગીતજ્ઞ. સાત વર્ષની ઉંમરથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરેલી. ઉસ્તાદ કલ્લનખાં પાસેથી દસ વર્ષ સુધી (1915-25) તાલીમ લીધી. સત્તર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા, જ્યાં વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ વિલાયતખાંસાહેબ પાસેથી અને તે પછી વડોદરામાં ઉસ્તાદ…

વધુ વાંચો >

ખાદી

ખાદી : હાથે કાંતેલ અને હાથે વણેલ ભારતીય વસ્ત્રનો પ્રકાર અને ભારતના રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય પ્રતીક. ભારતમાં હાથકાંતણ અને હાથવણાટનો ગ્રામોદ્યોગ પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ ખેતીને પૂરક વ્યવસાય તરીકે પ્રાચીન કાળથી તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળથી તે ઘણી મોટી સંખ્યાના લોકો માટે પૂરક…

વધુ વાંચો >

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ : પોષણની ર્દષ્ટિએ અગત્યના ખાદ્ય ઘટકોનું પ્રમાણ, ખાદ્ય પદાર્થોનું પરિરક્ષણ કરવા માટે તથા તેમને વધુ આકર્ષક બનાવવા માટે ઉમેરાતા સુવાસિત પદાર્થો તથા ખાદ્ય રંગકો માન્ય (permitted) પ્રકારના છે કે નહિ અથવા ખાદ્ય પદાર્થોમાં બીજી ભેળસેળ (adulteration) થયેલ છે કે કેમ વગેરે શોધી કાઢવાની પદ્ધતિઓ ધરાવતી રાસાયણિક પૃથક્કરણની…

વધુ વાંચો >

ખાદ્યપ્રક્રમણ-ઉદ્યોગ

ખાદ્યપ્રક્રમણ-ઉદ્યોગ (food processing industry) : કાચા ખાદ્ય પદાર્થોને રાંધવા કે આહાર માટે યોગ્ય બનાવવા તેમના ઉપર કરવામાં આવતી ક્રિયાઓ, પરિવહન સાથે સંકળાયેલા ઉદ્યોગો. ખાદ્ય પદાર્થો ઉપર નાના પાયા ઉપર આમાંની કેટલીક ક્રિયાઓ કરવા માટેની જાણકારી સદીઓથી પ્રચલિત હતી; દા.ત., માછલીની સુકવણી, માછલીનું મીઠામાં પરિરક્ષણ (preservation) તથા અથાણાં, મુરબ્બા વગેરેની બનાવટ.…

વધુ વાંચો >

ખાદ્યો અને પોષક તત્વો

ખાદ્યો અને પોષક તત્વો (Foods and Nutrients) : માનવ-શરીરના વૃદ્ધિ, વિકાસ અને નિયંત્રણ માટેના જરૂરી ખાદ્યપદાર્થો અને તેમાંનાં તત્વો. સામાન્ય રીતે 19 જેટલાં તત્વો વિવિધ સંયોજનો રૂપે આમાં સમાવિષ્ટ હોય છે. ટકાવારીની ર્દષ્ટિએ આ તત્વો અનુક્રમે પ્રાણવાયુ 65 %, કાર્બન 18 %, હાઇડ્રોજન 10 %, નાઇટ્રોજન 3 %, કૅલ્શિયમ 1.50…

વધુ વાંચો >

ખાધપુરવણી

ખાધપુરવણી : જાહેર આવક કરતાં જાહેર ખર્ચ વધારે હોય ત્યારે જાહેર ઋણ દ્વારા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અખત્યાર કરવામાં આવતી રાજકોષીય નીતિ. આ ખ્યાલ રાજકોષીય અર્થશાસ્ત્રની વિચારણામાં વિભિન્ન અર્થચ્છાયાઓ સાથે ઉપયોગમાં લેવાયો છે. સરકારની આવક કરતાં જાવક વધારે હોય અને તે સ્થિતિને પહોંચી વળવા સરકાર જે પગલાં લે તેને…

વધુ વાંચો >

ખાન, અબ્દુલ ગફારખાન

ખાન, અબ્દુલ ગફારખાન (જ. 3 જૂન 1890, ઉતમાનઝાઈ, જિ. પેશાવર; અ. 20 જાન્યુઆરી 1988, પેશાવર) : મહાત્મા ગાંધીના સંનિષ્ઠ અનુયાયી, ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાયત્ત પખ્તુનિસ્તાનના હિમાયતી. મોહમદઝાઈ પઠાણ કબીલાના અગ્રણી કુટુંબમાં જન્મ. પિતા ખાનસાહેબ બહેરામખાન ગામડાના મુખી હતા. માતા અને પિતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં હતાં. 1857ના…

વધુ વાંચો >

ખાન, અબ્દુસ્ સમદ

Jan 13, 1994

ખાન, અબ્દુસ્ સમદ (જ. 1895, ગુલિસ્તાન, બલૂચિસ્તાન) : ‘બલૂચ ગાંધી’ તરીકે જાણીતા બનેલા બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતા. પિતા ખાન નૂરમહંમદખાન અગ્રણી જમીનદાર તથા ગુલિસ્તાનના અચકઝાઈ કબીલાના મુખી હતા. તેમનું શિક્ષણ તેમના વતન મુક્તાબ ખાતે પરંપરાગત પદ્ધતિ મુજબ થયું હતું. ગુલિસ્તાન ખાતેની એક માધ્યમિક શાળામાં પણ તેઓ ભણ્યા. 1958-68ના ગાળામાં પાકિસ્તાનમાં કારાવાસ…

વધુ વાંચો >

ખાન, અલી મુહમ્મદ

Jan 13, 1994

ખાન, અલી મુહમ્મદ (જ. 1700, બુરહાનપુર; અ. 1762) : ગુજરાતના છેલ્લા દીવાન અને સુપ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘મિરાતે અહમદી’ના લેખક. મૂળ નામ મીરજા મુહમ્મદ હસન. ઈરાનથી દક્ષિણ ભારતમાં આવી વસેલા તેમના પિતા ઔરંગઝેબની ફોજમાં બુરહાનપુરમાં દીવાની અમલદાર હતા. 1708માં તેઓ ગુજરાતના ખબરપત્રી (વકાઈ-એ નિગાર) નિમાતાં, પિતાની સાથે તે 8 વર્ષની ઉંમરે ગુજરાત…

વધુ વાંચો >

ખાન અલ્-વઝીર

Jan 13, 1994

ખાન અલ્-વઝીર : એલેપ્પો(સીરિયા)માં આવેલી ઑટોમન સ્થાપત્ય(લગભગ સત્તરમી સદીના મધ્યકાળ)ના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રખ્યાત ઇમારત. ખાન (Khans) તરીકે ઓળખાતી આ ઇમારતો પટાંગણની આજુબાજુમાં પથરાયેલ તથા વચ્ચે એક ઘુમ્મટવાળી મસ્જિદરૂપ હોય છે. ખાસ કરીને અત્યંત પ્રભાવશાળી પ્રવેશદ્વાર – દરવાજો અને તેની અંદર ઑફિસ, રહેવાની સગવડ અને બીજી જરૂરિયાતોની વ્યવસ્થા હોય છે.…

વધુ વાંચો >

ખાન આરિફ મહમ્મદખાન

Jan 13, 1994

ખાન, આરિફ મહમ્મદખાન (જ. 18 નવેમ્બર 1951; બુલંદ શહેર) : શાહબાનુ કેસમાં મુસ્લિમ સ્ત્રીઓ માટેનું પ્રત્યાઘાતી તલ્લાક બિલ લોકસભામાં પસાર થતાં તેના વિરોધમાં રાજીનામું આપનાર ઉદારમતવાદી પ્રધાન અને મુસ્લિમ નેતા. પિતાનું નામ આશિક મહમ્મદખાન, માતા જનાબ બેગમ. વિદ્યાર્થી-અવસ્થામાં 1971-72 દરમિયાન અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી-મંડળના તેઓ સેક્રેટરી તથા 1972-73 દરમિયાન તેના પ્રમુખ…

વધુ વાંચો >