૬(૧).૧૧

ખનિજ-સ્ફટિકથી ખંડોબા

ખપુટાચાર્ય

ખપુટાચાર્ય (ઈ.પૂ. 63ના અરસામાં હયાત) : જૈન શાસનના રક્ષક, મંત્રવિદ્ અને વિદ્યાસિદ્ધ જૈન આચાર્ય. ભરૂચ અને ગુડશસ્ત્રપુર તેમની વિહારભૂમિ હતી. કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર લાટદેશના ભરૂચમાં ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના ઉત્તરાર્ધમાં શાસન કરતા હતા ત્યારે તેઓ ભરૂચમાં વસતા હતા. તેમણે બૌદ્ધોને વાદવિવાદમાં પરાજિત કરી જૈન શાસનની રક્ષા કરી હતી. તેમના ચમત્કારો…

વધુ વાંચો >

ખપેડી

ખપેડી : પાકને નુકસાન કરતી જીવાત. સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રિડિડી કુળનો કીટક. તેનાં બચ્ચાં મધ્યમ કાળાશ પડતાં, શરીરે ખરબચડાં અને ભિન્ન ભિન્ન ટપકાંવાળાં હોય છે. તે ઘઉં, બાજરી, તલ, શણ, જુવાર, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, નાઇઝર, શાકભાજી, અફીણ, ચણા, તૈલી પાક અને ગળી જેવા પાકોને નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ…

વધુ વાંચો >

ખબરદાર, અરદેશર ફરામજી

ખબરદાર, અરદેશર ફરામજી (જ. 6 નવેમ્બર 1881, દમણ; અ. 30 જુલાઈ 1953, ચેન્નાઈ) : ગુજરાતના એક અગ્રગણ્ય કવિ. માતાનું નામ શિરીનબાઈ. મૂળ અટક હિંગવાળા પછી પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર. પાંચ વર્ષની વયે પિતાનું અવસાન થતાં માતા, દાદી અને પિતામહ દ્વારા ઉછેર. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં.…

વધુ વાંચો >

ખમાજ

ખમાજ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંના ‘ખમાજ’ થાટ પરથી સર્જાયેલો રાગ. ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરમય અને ભાવમય રૂપ અનુસાર થાટ અને રાગોની નિર્મિતિ થયેલી છે. તેમાં ખમાજ થાટ અને ખમાજ રાગ આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં આ થાટનો રાગ ઝિંઝોટી હોવા છતાં તેને ખમાજ રાગ કહે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત…

વધુ વાંચો >

ખમ્મામ

ખમ્મામ (Khammam) : તેલંગણા રાજ્યમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 16o 45´થી 18o 35´ ઉ.અ. અને 79o 47´થી 80o 47´ પૂ.રે. 16,029 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે છત્તીસગઢ અને ઓરિસા રાજ્યોની સીમા, પૂર્વ તરફ પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લા, દક્ષિણ તરફ કૃષ્ણા જિલ્લો, પશ્ચિમ તરફ નાલગોંડા અને વારંગલ…

વધુ વાંચો >

ખમ્સા

ખમ્સા (1524-25) : સુપ્રસિદ્ધ ઈરાની કવિ નિઝામીનાં પાંચ કાવ્યોનો સુંદર સચિત્ર સંગ્રહ. નિઝામી (નિઝામુદ્દીન અબુ મુહમ્મદ ઇલિયાસ બિન યૂસુફ) (જ. 1140; અ. 1203-4) ઈરાનના એક વિખ્યાત કવિ હતા. ‘ખમ્સા’ એટલે 5 કાવ્યોનું જૂથ – એ પાંચ કાવ્યરચનાઓ છે : (1) મખઝન અલ્ અસરાર (રહસ્યોનો ખજાનો), જેમાં કેટલાક પ્રસંગો સાથેનાં ગૂઢ…

વધુ વાંચો >

ખરજવું

ખરજવું (eczema) : ચામડીના શોથજન્ય (inflammatory) વિકારોનો એક પ્રકાર. તેને કારણે દર્દીને ખૂજલી, લાલાશ, ફોતરી વળવી (scaling) અને નાની ફોલ્લી અને પાણી ભરેલા ફોલ્લા (papulo-vesicles) થાય છે. તેમાં ચામડીના ઉપલા સ્તરમાં લોહીની નસોની આસપાસ સોજો આવે છે અને લસિકાકોષો-(lymphocytes)નો ભરાવો થાય છે. કેટલાક નિષ્ણાતો ખરજવું અને ત્વચાશોથ(dermatitis) એમ બંને શબ્દોને…

વધુ વાંચો >

ખરવાસા અને મોંવાસાનો રોગ

ખરવાસા અને મોંવાસાનો રોગ (foot and mouth disease) : ખરીવાળા દરેક જાનવરને થતો વિષાણુજન્ય ચેપી રોગ. આ રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના વિષાણુઓ(O, A અને C)થી થાય છે. જોકે આ રોગ માટે કારણભૂત ગણાતા અને એકબીજાથી જુદા તરી આવતા આશરે 60 પ્રકારના વિષાણુઓ શોધાયેલા છે. સામાન્ય રીતે આ રોગ આફ્રિકા, યુરોપ…

વધુ વાંચો >

ખરસાણી

ખરસાણી (Niger) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કૂળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Guizotia abyssinica (હિંદી અરસાની ગુ. રામતલ) છે. ભારતમાં આ પાકનું વાવેતર મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં તેનું વાવેતર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને સૂરત જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા અમરેલી જિલ્લાના વિસ્તારમાં…

વધુ વાંચો >

ખરસાણી થોર

ખરસાણી થોર : જુઓ થોર.

વધુ વાંચો >

ખનિજ-સ્ફટિક

Jan 11, 1994

ખનિજ-સ્ફટિક : લીસા, સપાટ ફલકો ધરાવતું અને આંતરિક આણ્વિક રચનાને કારણે અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ આકારો ધરાવતું ખનિજ. ‘સ્ફટિક’ શબ્દ ગ્રીક પર્યાય ‘ક્રુસ્ટલોઝ’ અર્થાત્ ‘ચોખ્ખો બરફ’ પરથી બન્યો છે. કુદરતમાં મળતા પારદર્શક ક્વાર્ટ્ઝનો સ્ફટિકીય દેખાવ બરફ જેવો લાગતો હોવાથી આ શબ્દનો ઉપયોગ પ્રથમ વાર ક્વાર્ટ્ઝ માટે થયેલો જે કાળક્રમે બધા…

વધુ વાંચો >

ખનિજસ્વરૂપો

Jan 11, 1994

ખનિજસ્વરૂપો : સ્ફટિકીકરણ દરમિયાન અનુકૂળ સંજોગો મળે તો કુદરતી ખનિજ, સ્ફટિકનું જે ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ ધારણ કરે છે તે. ખનિજને ઓળખવામાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ-સ્ફટિકના સ્વરૂપને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ દ્વારા વર્ણવી શકાય : પૂર્ણ સ્ફટિકમયતા : વિકસિત સ્ફટિકરચના ધરાવતાં ખનિજોને પૂર્ણ સ્ફટિકમય ખનિજો કહે છે; દા.ત., કુદરતમાં મળી…

વધુ વાંચો >

ખનિજીય ઝરા

Jan 11, 1994

ખનિજીય ઝરા : પૂરતા પ્રમાણમાં ખનિજદ્રવ્ય ધરાવતા વિશિષ્ટ સ્વાદવાળા પાણીના ઝરા. આ પ્રકારના ઝરા ખૂબ જ ઊંડાઈએ જ્યાં ગેડીકરણ પામેલા ખડકો ગરમ બને છે ત્યાં જોવા મળે છે. સક્રિય જ્વાળામુખીવાળા વિસ્તારોમાં કે ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ અર્વાચીન જ્વાળામુખી-પ્રક્રિયાવાળા વિસ્તારોમાં આવા ઝરા મોટે ભાગે મળી આવે છે. ખનિજીય ઝરાની ઉત્પત્તિ અંગે સૂચવવામાં આવ્યું…

વધુ વાંચો >

ખનિજો

Jan 11, 1994

ખનિજો : ખનિજોની પરમાણુરચના : ખનિજોનું વર્ગીકરણ : કુદરતી રીતે બનેલા ચોક્કસ રાસાયણિક બંધારણવાળા તેમજ ચોક્કસ પરમાણુરચનાવાળા અકાર્બનિક પદાર્થો. ખનિજો મર્યાદિત ર્દષ્ટિએ, રાસાયણિક સૂત્રો દ્વારા દર્શાવી શકાય એવા ચોક્કસ બંધારણ સાથેનાં સંયોજનો કે તત્વો છે. ખનિજની વ્યાખ્યાના બીજા ભાગ પરથી ફલિત થાય છે કે ખનિજ માટે ચોક્કસ પરમાણુરચના આવશ્યક બની…

વધુ વાંચો >

ખન્ના, કૃષ્ણ

Jan 11, 1994

ખન્ના, કૃષ્ણ (જ. 5 જુલાઈ 1925, લ્યાલપુર, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કરીને અંગ્રેજી સાહિત્યની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બૅંકમાં ક્લાર્કની નોકરી કરી. ચિત્રકલાની સાધના કરવા 1961માં આ નોકરી છોડી દીધી. રૉકફેલર ફેલોશિપ મળતાં તેઓ 1962માં વૉશિન્ગ્ટન ડી.સી. ગયા અને ત્યાંની અમેરિકન યુનિવર્સિટીમાં ‘આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ’…

વધુ વાંચો >

ખન્ના, દિનેશ

Jan 11, 1994

ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની. 1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં…

વધુ વાંચો >

ખન્ના, બલરાજ

Jan 11, 1994

ખન્ના, બલરાજ (જ. 1940, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી 1962માં ત્યાંથી અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લંડન જઈ રૉયલ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત છે, જેમાં અવકાશમાં તરતા અમીબા જેવા આકારો નજરે પડે છે. આ આકારોમાંથી કેટલાક…

વધુ વાંચો >

ખન્ના, રાજેશ

Jan 11, 1994

ખન્ના, રાજેશ (જ. 29 ડિસેમ્બર 1942, અમૃતસર; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના ચલચિત્રજગતના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ. તેમને દત્તક લઈ ઉછેરનાર તેમના પાલક પિતા રેલવેના કૉન્ટ્રેક્ટર હતા. રાજેશનું મૂળ નામ જતિન હતું. તેમના પરિવારે અમૃતસર છોડી મુંબઈ સ્થળાંતર કર્યું અને ત્યાં જ તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ…

વધુ વાંચો >

ખન્ના, વિનોદ

Jan 11, 1994

ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, પાકિસ્તાન; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધું.…

વધુ વાંચો >

ખન્સા

Jan 11, 1994

ખન્સા (આશરે ઈ. સ. 585) : મરસિયા લખનાર પ્રતિભાવંત આરબ કવયિત્રી. ખરું નામ તુમાદિર બિન્ત અમ્ર બિન અલ શરીદ, સુલયમી. ખન્સાના પિતા ખ્યાતનામ અને ધનવાન હતા. ખન્સાની જન્મતારીખ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના પુત્ર અબૂ શજારા અબ્દુલ્લાએ ઈ. સ. 634માં ધર્મભ્રષ્ટતામાં મહત્વનો ભાગ ભજવેલો અને તે કદાચ ત્રીસ વર્ષની…

વધુ વાંચો >