૫.૨૦

કેવલકાન્તી, ગ્વિદોથી કૅસલ, ધ

કેશગુલ્મ

કેશગુલ્મ (trichobezoar) : માનસિક વિકારને કારણે સતત લાંબા સમય સુધી વાળ ગળવાથી જઠરમાં થતો વાળ અને ખોરાકના કણોનો ગઠ્ઠો. તે સ્ત્રીઓમાં જોવા મળે છે અને 80 % દર્દીઓ માનસિક રોગથી પીડાતા હોય છે. સામાન્ય રીતે નાની છોકરીઓ અને યુવાન સ્ત્રીઓમાં તે જોવા મળે છે. ઘણી વખત કુટુંબની અન્ય વ્યક્તિઓને દર્દીની…

વધુ વાંચો >

કેશભૂષા

કેશભૂષા : કેશનું સંમાર્જન અને અલંકરણ. આ પ્રથા જગતની સર્વ જાતિઓમાં પ્રાચીન અને લોકપ્રિય છે. પ્રાચીન સાહિત્ય, ચિત્ર અને શિલ્પમાં સ્ત્રીપુરુષોની કેશરચનાનું જે વૈવિધ્ય જોવા મળે છે, તે આ કલાની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવે છે. નાગરિકોએ જાણવાની અનેક કલાઓમાંની તે એક કલા ગણાતી. ભદ્રસમાજના પુરુષો આ કલાના નૈપુણ્ય વડે સ્ત્રીઓને રીઝવતા.…

વધુ વાંચો >

કેશવદેવ પી.

કેશવદેવ, પી. (જ. 1905, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1983) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. તેમને તેમની નવલકથા ‘અયલ્કકાર’ (‘નેબર્સ’, 1963) બદલ 1964ના…

વધુ વાંચો >

કેશવ દૈવજ્ઞ

કેશવ દૈવજ્ઞ (સમય ઈ. સ. 1478 આસપાસ) : ‘વિવાહ વૃંદાવન’ તેમજ ‘કરણકંઠીરવ’ના કર્તા. જ્યોતિષી કમલાકરના પુત્ર કેશવ દૈવજ્ઞ વૈજનાથ પાસે અધ્યયન કર્યા બાદ કોંકણમાં સમુદ્રતીરે આવેલા નંદિગ્રામ(નાંદગાંવ)માં રહેતા હતા. પરંતુ તેમણે કરણગ્રંથ ગ્રહકૌતુકના આરંભકાળ તરીકે તેમણે શક 1418(ઈ. સ. 1496)નો ઉલ્લેખ કર્યો છે. પ્રખ્યાત ગ્રહલાઘવકાર ગણેશ દૈવજ્ઞ આ કેશવના પુત્ર…

વધુ વાંચો >

કેશવમંદિર

કેશવમંદિર : મૈસૂર પાસે સોમનાથપુરમાં આવેલું ચાલુક્ય શૈલીનું નાનકડું મંદિર. તેનું સ્થાપત્ય હોયશલા શૈલીનું છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના શિલાલેખમાં લખેલું છે કે ‘હોયશાળના રાજા નારસિંહ ત્રીજા(ઈ. સ. 1254-1291)ના સોમ અથવા સોમનાથ નામના એક અમલદારે બ્રાહ્મણો માટે અગ્રહાર બંધાવીને તેમાં ઈ. સ. 1268માં કેશવમંદિર બંધાવ્યું.’ આ મંદિરની વિશેષતા એ છે કે…

વધુ વાંચો >

કેશવમિશ્ર

કેશવમિશ્ર (સોળમી સદી ઉત્તરાર્ધ) : ‘અલંકારશેખર’ના રચયિતા અને ધ્વનિવાદી આલંકારિક. ‘અલંકારશેખર’ની રચના તેમણે રામચંદ્રના પૌત્ર તથા ધર્મચંદ્રના પુત્ર રાજા માણિક્યચંદ્રના કહેવાથી કરી હતી. આ માણિક્યચંદ્ર તે કોટકાંગડાના માણિક્યચંદ્ર હોવા સંભવ છે, કેમ કે કેશવમિશ્રે આપેલ વંશાવલી તેની વંશાવલીને અનુરૂપ છે. માણિક્યચંદ્રે 1563માં રાજ્યારોહણ કર્યું હતું તે ઉપરથી કેશવમિશ્રનો સમય સોળમી…

વધુ વાંચો >

કેશવસુત

કેશવસુત (જ. 7 ઑક્ટોબર 1866, માલગુંડ, રત્નાગિરિ; અ. 7 નવેમ્બર 1905, હુબળી) : આધુનિક મરાઠી કવિતાના પ્રવર્તક. મૂળ નામ કૃષ્ણાજી કેશવ દામલે. શિક્ષણ ખેડ, વડોદરા, વર્ધા, નાગપુર તથા પુણે ખાતે. 1889માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1901માં ફૈઝપુર ખાતે મુખ્ય અધ્યાપક તથા 1904માં ધારવાડ મહાવિદ્યાલયમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળથી કવિતા…

વધુ વાંચો >

કેશવાનંદ ભારતી કેસ

કેશવાનંદ ભારતી કેસ (1972) : ભારતીય બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અંગેનો જાણીતો કેસ. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો, અગાઉના જાણીતા ગોલકનાથ કેસના ચુકાદાની અસર નષ્ટ કરતો, ભારતના બંધારણના 24, 25, 26 તથા 29મા સુધારાઓ(amendments)ને વૈધ જાહેર કરતો તથા મૂળભૂત અધિકારો સહિતના બંધારણના કોઈ પણ અનુચ્છેદ(article)માં સુધારા કરવાની સંસદની સત્તાને બહાલી…

વધુ વાંચો >

કેશાકર્ષણ

કેશાકર્ષણ (capillarity) : ખૂબ નાના વ્યાસ (diameter) કે વેહ(bore)વાળી, બંને છેડે ખુલ્લી કેશનળી(capillary tube)ને, પ્રવાહીમાં ઊર્ધ્વ રાખતાં નળીમાંના પ્રવાહીની સપાટી, બહારના પ્રવાહીની સપાટી કરતાં ઊંચી કે નીચી હોવાની એક ભૌતિક ઘટના. આ ગુણધર્મ દર્શાવતી નળીને, લૅટિન ભાષાના શબ્દ capilla (= વાળ જેવી) ઉપરથી, કેશનળી કહે છે. કેશાકર્ષણની ઘટના પ્રવાહીના પૃષ્ઠ-તણાવ(surface…

વધુ વાંચો >

કેશિરાજ

કેશિરાજ (1260 આશરે) : કન્નડ કવિ, વ્યાકરણશાસ્ત્રી અને કન્નડ ભાષાના પ્રથમ વ્યાકરણકાર. મહાકાવ્યની રચનામાં 18 પ્રકારનાં વર્ણનોથી સભર કાવ્યસંકલન ધરાવતી જૂની કન્નડ કવિતાના આદ્ય કાવ્યસંગ્રહ ‘સુક્તિસુધાર્ણવ’ના રચયિતા યોગીપ્રવર ચિદાનંદ મલ્લિકાર્જુન તેમના પિતા હતા. કેશિરાજ ‘કેશવ’ અને ‘ચન્નકેશવ’ નામથી પણ ઓળખાતા હતા. મલ્લિકાર્જુનને હોયસળ રાજા સોમેશ્વર(1233-1254)નો આશ્રય મળેલો અને તેમણે તેમના…

વધુ વાંચો >

કેવલકાન્તી – ગ્વિદો

Jan 20, 1993

કેવલકાન્તી, ગ્વિદો (જ. સંભવત: 1255; અ. 1300) : ઇટાલીના પ્રસિદ્ધ કવિ અને સક્રિય રાજકારણી. ફ્લૉરેન્સમાં રાજકીય શાન્તિ સ્થાપવાના ઉદ્દેશથી 1267માં વિરોધી પક્ષની કન્યા બિયાટ્રિસ દેગ્લી સાથે લગ્ન કર્યાં. 1280માં કાર્દિનલ લૅટિનો દ્વારા શાન્તિ સંઘના સભ્ય બન્યા. 1283થી પ્રસિદ્ધ મહાકવિ ડૅન્ટી સાથે મૈત્રી સધાઈ. 1284માં ગ્રાન્ડ કાઉન્સિલના અને ગ્વેલ્ફ પક્ષના સભ્ય…

વધુ વાંચો >

કેવલરામ સલામતરાય

Jan 20, 1993

કેવલરામ સલામતરાય (જ. 1809; અ. ?) : સિંધી ગદ્યલેખક. જોકે, તેઓ મોટા ગદ્યલેખક ન હતા, છતાં પોતાના વિશિષ્ટ ગદ્યને લીધે સિંધી વાચકો પર ઊંડી છાપ મૂકી ગયેલા. તેમણે ‘ગુલ’ (ફલાવર); ‘ગુલશકર’ (ફ્રેગ્રન્ટ કેન્ડી) અને ‘સુખડી’ (ગિફટ) નામક ગ્રંથો આપ્યા છે. આ પુસ્તકો હસ્તપ્રતરૂપે 1864-1871 વચ્ચે તૈયાર થયેલા, જે છેક 1905માં…

વધુ વાંચો >

કેવલાદ્વૈતવાદ (વેદાંત)

Jan 20, 1993

કેવલાદ્વૈતવાદ (વેદાંત) ઋગ્વેદના અને અથર્વવેદના સમયથી અદ્વૈતનો ખ્યાલ તત્વચિંતકોમાં સ્થિર થઈ ગયો હતો, જે ઉપનિષત્કાલમાં સારી રીતે વિકાસ પામ્યો. ઉપનિષદોમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ઉપદેશ છે તેમજ જીવને બ્રહ્મના અંશરૂપે વર્ણવ્યો છે. એક બાજુએ બ્રહ્મનું પ્રતિપાદન સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ રૂપ-રસ-આદિથી યુક્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જેમાં અને જેને લઈને…

વધુ વાંચો >

કૅવલિયર – આર્પિનો

Jan 20, 1993

કૅવલિયર, આર્પિનો (Cavalier, Arpino) (જ. આશરે 1568, આર્પિનો, નેપલ્સ, ઇટાલી; અ. 1640, રોમ, ઇટાલી) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. આ શૈલીનો ઇટાલી બહાર પ્રસાર કરવામાં તેનો ફાળો નિર્ણાયક રહ્યો છે. તેનું મૂળ નામ જિવસેપે ચેસારી (Givseppe Cesari) હતું. વળી તે ઇલ જિવસેપિનો (Il Giseppino) નામે પણ ઓળખાતો હતો. વૅટિકનના મૅનરિસ્ટ…

વધુ વાંચો >

કૅવિટેશન

Jan 20, 1993

કૅવિટેશન : વેગ અને દબાણના ફેરફારને કારણે વહેતા પ્રવાહીમાં ઉત્પન્ન થતા પરપોટા કે ખાલી જગ્યા. આ ઘટનામાં સ્થાનિક બાષ્પીભવન થવાથી વાયુમુક્તિને કારણે, વહેણમાં ઉદભવતી ખાલી જગ્યાઓ (voids) બાષ્પ કે વાયુ વડે ભરાઈ જતી હોય છે. કેટલીક વાર ‘કૅવિટેશન’ શબ્દ, કૅવિટેશનને કારણે કૅવિટેશન પ્રવાહની આસપાસ રહેલી ઘન દીવાલમાં થતું ખવાણ (erosion)…

વધુ વાંચો >

કૅવિયેટ

Jan 20, 1993

કૅવિયેટ : કૅવિયેટ અરજી કરનારને સાંભળ્યા સિવાય અદાલત અગર અમલદાર તેની વિરુદ્ધ જે તે બાબત અંગે એકતરફી હુકમ કરે નહિ એવી વિનંતી. લૅટિન ભાષાનો આ શબ્દ છે. આવી અરજી કરનારને કૅવિયેટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એવી દહેશત હોય કે સામો પક્ષકાર તેની સામે કોઈ વચગાળાનો હુકમ મેળવે…

વધુ વાંચો >

કૅવેન્ડિશનો પ્રયોગ

Jan 20, 1993

કૅવેન્ડિશનો પ્રયોગ : આશરે 70 વર્ષની વૃદ્ધ વયે જર્મન વિજ્ઞાની હેન્રી કૅવેન્ડિશે, ગુરુત્વાકર્ષણના અચળાંક Gનું મૂલ્ય મેળવી તેની ઉપરથી પૃથ્વીનું ઘટત્વ કે ઘનતા ρ (ગ્રીક મૂળાક્ષર રો) નક્કી કરવા કરેલો એક અતિ શ્રમયુક્ત અને ચોકસાઈભર્યો પ્રયોગ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર M અને m દળ કે દ્રવ્યમાન ધરાવતા, એકબીજાથી d અંતરે…

વધુ વાંચો >

કૅવેન્ડિશ – હેન્રી સર

Jan 20, 1993

કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…

વધુ વાંચો >

કૅવૅફી – કૉન્સ્ટેન્ટાઇન

Jan 20, 1993

કૅવૅફી, કૉન્સ્ટેન્ટાઇન (જ. 17 એપ્રિલ 1863, ઍલેક્ઝાન્ડ્રિયા, ગ્રીસ; અ. 29 એપ્રિલ 1933, ઍથેન્સ) : ગ્રીક કવિ. પિતાનું નામ પીટર જ્હૉન. નાનપણમાં કૅવૅફી ઘરે જ ફ્રેંચ અને અંગ્રેજી ભણ્યા. પછી ઇતિહાસનો તથા દાન્તેની કવિતાનો અભ્યાસ કર્યો. બાઇઝેન્ટાઇન અને હેલેનિક ઇતિહાસ તથા સાહિત્યનો તેમણે સઘન અભ્યાસ કર્યો. તે પ્રાચીન-અર્વાચીન ગ્રીક ઉપરાંત અંગ્રેજી,…

વધુ વાંચો >

કૅશ-ક્રેડિટ

Jan 20, 1993

કૅશ-ક્રેડિટ : વ્યક્તિગત વેપારી, ભાગીદારી પેઢી, ખાનગી અને જાહેર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે બૅંકો તરફથી મળતી નાણાકીય સહાય. આ પદ્ધતિમાં બૅંક, નાણાં ઉછીનાં લેનારની શાખ-મર્યાદા નક્કી કરે છે અને ઉછીના લેનાર વ્યક્તિ ચાલુ ખાતાની જેમ જ પુરાંત ઉપરાંત એ મર્યાદામાં રહીને ઉપાડ કરી શકે છે. ચોક્કસ મુદતની લોનના વ્યાજની…

વધુ વાંચો >