૫.૧૦

કૃષ્ણથી કેથીડ્રલ

કૅડમિયમ

કૅડમિયમ (Cd)  : આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIb) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1817માં જર્મન રસાયણશાસ્ત્રની ફ્રેડરિક શ્ટ્રોમાયરે ઝિંક સંયોજનના ધૂમપથ (flue = ) માંથી તેને શોધી કાઢ્યું અને તેનું Cadmia fornacum એટલે ‘ભઠ્ઠીનું ઝિંક’ નામ પાડ્યું. છેવટે તેનું નામ કૅડમિયમ રાખવામાં આવ્યું. તે સંક્રમણ ધાતુતત્વ છે અને ઝિંક ધાતુને મળતું આવે…

વધુ વાંચો >

કે ડેની

કે, ડેની (જ. 1913, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 1987, લૉસ ઍન્જેલસ) : અમેરિકાનો વિખ્યાત હાસ્ય-અભિનેતા. મૂળ નામ ડૅનિયલ ડેવિડ કોમિન્સ્કી. ડૉક્ટર બનવા માગતા આ કલાકારે રંગમંચથી વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. કૅટસ્કિલ્સના પર્યટનધામ ખાતે હાસ્ય-અભિનયની તાલીમ લીધી. 1943માં ‘અપ ઇન આર્મ્સ’ ચલચિત્રમાં પ્રથમ અભિનય. 1944માં ‘વન્ડરમૅન’ ચલચિત્ર દ્વારા અભિનેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત…

વધુ વાંચો >

કેતકર વ્યંકટેશ બાપુજી

કેતકર, વ્યંકટેશ બાપુજી (1854-1930) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ નિર્ણય’ તથા ‘ભૂમંડલીય સૂર્યગ્રહગણિત’ અને મરાઠીમાં ‘નક્ષત્રવિજ્ઞાન’, ‘ગ્રહગણિત’, ‘ગોલદ્વય પ્રશ્ન’, ‘ભૂમંડલીય ગણિત’…

વધુ વાંચો >

કેતકર શ્રીધર વ્યંકટેશ

કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…

વધુ વાંચો >

કેતકી

કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…

વધુ વાંચો >

કેતુ (ગ્રહ)

કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ…

વધુ વાંચો >

કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’

કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’ (જ. 1921, તિરુચિરાપલ્લી તામિલનાડુ) : તમિળ ભાષાનાં લેખિકા. તેમની નવલકથા ‘ઓરુ કાવિરિયે પોલ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે હોલી ક્રૉસ કૉલેજમાં લીધું અને પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. પોતાના તબીબી વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે 100 નવલકથાઓ,…

વધુ વાંચો >

કૅથાર્સિસ

કૅથાર્સિસ (catharsis/katharsis) : ગ્રીક કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વપરાયેલી સંજ્ઞા. ટ્રૅજેડી લાગણીઓના અતિરેકથી માનવમનને નિર્બળ બનાવનારી હાનિકારક અસર જન્માવે છે એવા પ્લેટોએ કરેલા આક્ષેપનો જવાબ આપતાં પોતાના ગ્રંથ ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે કહ્યું કે ‘દયા’ અને ‘ભય’ની લાગણીઓનું તેમના ઉદ્રેક દ્વારા ‘કૅથાર્સિસ’ થતું હોય છે. વિશેષ સ્પષ્ટીકરણના અભાવે રૂપકાત્મક રીતે પ્રયોજાયેલી આ સંજ્ઞાના નિશ્ચિત…

વધુ વાંચો >

કેથીડ્રલ

કેથીડ્રલ : ખ્રિસ્તીઓનું એક પ્રકારનું પ્રાર્થનાઘર. આવાં પ્રાર્થનાઘરો મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. બાઝિલિકા (basilica), કેથીડ્રલ, ચર્ચ અને ચૅપલ. પ્રતિષ્ઠા કે ભવ્યતાની ર્દષ્ટિએ બાઝિલિકાઓ પહેલી હરોળનાં પ્રાર્થનાઘરો છે. પણ કેન્દ્રીકૃત ધર્મ જેવા ખ્રિસ્તી ધર્મમાં કેથીડ્રલો અગત્યનો ભાગ ભજવે છે. મોટા ધર્મપ્રાંતો (dioceses) કેથીડ્રલકેન્દ્રિત હોય તો નાના ધર્મપ્રાંતો (parishes) ચર્ચકેન્દ્રિત હોય…

વધુ વાંચો >

કૃષ્ણ

Jan 10, 1993

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)

Jan 10, 1993

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…

વધુ વાંચો >

કૃષ્ણ–2

Jan 10, 1993

કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

Jan 10, 1993

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

Jan 10, 1993

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણકમળ

Jan 10, 1993

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણકાંત

Jan 10, 1993

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

કૃષ્ણકુમારસિંહજી

Jan 10, 1993

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…

વધુ વાંચો >

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ

Jan 10, 1993

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

Jan 10, 1993

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >