૪.૧૨

કર્ણાસ્થિકાઠિન્યથી કલકત્તા (કોલકાતા)

કર્ણાસ્થિકાઠિન્ય

કર્ણાસ્થિકાઠિન્ય (otosclerosis, otospongiosis) : મધ્યકર્ણના ‘પેંગડું’ નામના હાડકાની પાદપટ્ટી(foot-plate)ના ચોંટી જવાથી આવતી બહેરાશ. વાદળી (sponge) જેવું પોચું હાડકું અથવા મૃદુ અસ્થિનું બનેલું પેંગડું ચોંટી જવાથી બહારથી આવતા અવાજના તરંગો મધ્યકર્ણમાંથી અંત:કર્ણમાં જઈ શકતા નથી. અવાજના તરંગોના વહનમાં ક્ષતિ આવે ત્યારે વહન-ક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ ઉદભવે છે. તે વારસાગત વિકાર હોવાને કારણે…

વધુ વાંચો >

કર્ણીસિંહ શાર્દૂલસિંહ

કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ…

વધુ વાંચો >

કર્તા-ભિષક

કર્તા-ભિષક : રોગનિવારણ કરનાર વૈદ્ય. આયુર્વેદ વિજ્ઞાનમાં ચિકિત્સાક્રિયાના ચાર પાદ (પાયા – મુખ્ય અંગો) બતાવ્યા છે : 1. ભિષક્, વૈદ્ય; 2. દ્રવ્ય, ઔષધો; 3. પરિચારક, સેવાકર્તા અને 4. રોગી. આ ચારેયમાં ભિષક્(ભિષગ્ – વૈદ્ય)ને પ્રધાનકર્તા કે મુખ્ય પાદ કહે છે. તેના વિના અન્ય ત્રણ પાદોનું ખાસ મહત્વ રહેતું નથી. ‘ભિષક્’…

વધુ વાંચો >

કર્તિઝ આન્દ્રે 

કર્તિઝ, આન્દ્રે  (જ. 2 જુલાઈ 1894, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1985, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : રોજરોજની સ્વાભાવિક જિંદગીને કૅમેરા દ્વારા દસ્તાવેજી રૂપ આપનાર વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. 1912માં બુડાપેસ્ટ સ્ટૉક એક્સ્ચેન્જમાં કારકુનની નોકરી કરી રહેલા કર્તિઝને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરિયન લશ્કરમાં કર્તિઝે સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધની અમાનવીય યાતનાઓ જોઈ…

વધુ વાંચો >

કર્દમ

કર્દમ : એક પ્રજાપતિ. પિતાનું નામ કીર્તિભાનુ અને પુત્રનું નામ અનેગ હતું. બ્રહ્મની છાયામાંથી કર્દમની ઉત્પત્તિ મનાય છે. કર્દમનાં લગ્ન સ્વાયંભુવ મનુની પુત્રી દેવહૂતિ સાથે થયાં હતાં, દેવહૂતિએ કપિલમુનિને જન્મ આપેલો. આ કપિલમુનિ સાંખ્યદર્શનના રચયિતા હતા. કહેવાય છે કે આવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરવા માટે કર્દમ ઋષિએ વર્ષો સુધી વિકટ…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કર્નાલ

કર્નાલ (Karnal) : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 29o 09′ 50”થી 29o 59′ ઉ. અ. અને 76o 31′ 15”થી 77o 12′ 45” પૂ. રે. વચ્ચેનો 2,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્યમાં કુરુક્ષેત્ર જિલ્લો, પશ્ચિમ તરફ…

વધુ વાંચો >

કર્પૂરરસ

કર્પૂરરસ : આયુર્વેદિક રસૌષધિ. (ભૈષજ્ય રત્નાવલિ; ર. તં. સા. અને સિ. પ્ર. સં.) કપૂર, શુદ્ધ હિંગળોક, શુદ્ધ અફીણ, નાગરમોથ, ઇંદ્રજવ અને જાયફળને સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં નાંખી, તેના આદુંનો રસ નાંખી, 3 કલાક ખરલ કરીને, તેની 1-1 રતી(121 મિગ્રા.)ની ગોળીઓ વાળી લેવામાં આવે છે. નાનાં બાળકોને અર્ધીથી…

વધુ વાંચો >

કર્બજનીકરણ

કર્બજનીકરણ (carbonisation) : જીવાવશેષીકરણ(fossili-sation)નો એક પ્રકાર. કાર્બનિક પેશીજાળ(organic tissues)નું કાર્બન અવશેષના સ્વરૂપમાં અપચયન (reduction) દ્વારા થતું રૂપાંતર. આ પ્રક્રિયામાં પેશીજાળ (tissues) કાર્બનના પાતળા પડરૂપે શેલ જેવા નરમ ખડકોમાં જળવાઈ રહી શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલી વનસ્પતિની જાળવણી જીવાવશેષના આ પ્રકાર દ્વારા શક્ય બની રહે છે, જ્યારે મૃદુશરીરી પ્રાણીઓ ભાગ્યે જ…

વધુ વાંચો >

કર્બી ઍંગલૉંગ

કર્બી ઍંગલૉંગ (Karbi Anglong) : આસામ રાજ્યનો પહાડી જિલ્લો. તે 25o 50′ ઉ. અ. અને 93o 30′ પૂ. રે.ની આજુબાજુનો 10,434 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે આસામનો સૌથી મોટો જિલ્લો છે. તેની ઉત્તરે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા; પૂર્વ તરફ ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્યની સીમા; …

વધુ વાંચો >

કર્વે ઇરાવતી દિનકર

Jan 12, 1992

કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી…

વધુ વાંચો >

કર્વે ધોંડો કેશવ

Jan 12, 1992

કર્વે, ધોંડો કેશવ (જ. 18 એપ્રિલ 1858, મુરુડ, કોંકણ; અ. 9 નવેમ્બર 1962, પુણે) : આધુનિક ભારતના પ્રથમ હરોળના સમાજસુધારક તથા કેળવણીકાર. તે મહર્ષિ અણ્ણાસાહેબ કર્વેના નામથી લોકવિખ્યાત બન્યા છે. મુરુડ તથા રત્નાગિરિમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. 1891માં બી.એ. થઈ તે જ વર્ષે પુણેની…

વધુ વાંચો >

કર્ષણ

Jan 12, 1992

કર્ષણ (traction) : હાડકું ભાંગ્યા પછી તેના તૂટેલા ભાગને સતત ખેંચી રાખીને ધીમે ધીમે યોગ્ય સ્થાને બેસાડવાની સારવાર. હાડકું ભાંગે ત્યારે તેના તૂટીને ખસી ગયેલા ભાગને એકબીજા જોડે યોગ્ય રીતે પાછા લાવીને રાખવાની ક્રિયાને હાડકું બેસાડવું કહે છે. દરેક વયના દર્દીની સારવારમાં ઘણા જૂના કાળથી તે પદ્ધતિ વપરાય છે. સતત…

વધુ વાંચો >

કલકત્તા (કોલકાતા)

Jan 12, 1992

કલકત્તા (કોલકાતા) ભારતનું વસ્તીની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતું મોટું શહેર અને પશ્ચિમ બંગાળની રાજધાની. ભૌગોલિક સ્થાન : તે 22o 32′ ઉ. અ. અને 88o 22′ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. 1911 સુધી તે ભારતની રાજધાની હતું. 1981ની વસ્તીગણતરી અનુસાર એની વસ્તી 91,94,000 હતી, તેમાં 26 ટકા નિર્વાસિતો, 56…

વધુ વાંચો >