૪.૦૯

કપ્પસુત્ત (બૃહત્કલ્પ)થી કરમદી

કબ્રકાવ્ય

કબ્રકાવ્ય (epitaph) : અંગ્રેજી કાવ્યપ્રકાર. પશ્ચિમમાં મૃત્યુ પછી વ્યક્તિને કબરમાં દફનાવવાનો રિવાજ છે. ત્યાંથી પશ્ચિમના સંપર્ક પછી એટલે કે ઓગણીસમી સદી દરમિયાન આ કાવ્યપ્રકાર ભારતમાં આવ્યો છે. તે પૂર્વે સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યના અંશરૂપે ‘રતિવિલાપ’ અને ‘અજવિલાપ’ જેવી સર્ગ-રચનાઓ છે. પણ એ રચનાઓ કબ્રકાવ્ય બનતી નથી. ‘કબ્રકાવ્ય’ માટે પશ્ચિમના વિદ્વાનોએ મૃત્યુ…

વધુ વાંચો >

કમરખ

કમરખ : દ્વિદળી વર્ગમાં આવેલા ઑક્સેલિડેસી (હાલમાં એવેરહોએસી) કુળનું એક શોભન-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa carambola Linn. (સં. કર્માર, કર્મરંગ; મ. કર્મર; હિં. કમરખ, બં. કામરંગ; ગુ. કમરખ, તમરક, કમક; અં. કૅરમ્બોલા ટ્રી, સ્ટાર ફ્રૂટ) છે. તે 7.5 મી.થી 10 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ ઢળતી હોય છે, અને…

વધુ વાંચો >

કમલાકર ભટ્ટ

કમલાકર ભટ્ટ (સત્તરમી શતાબ્દી પૂર્વાર્ધ) : સંસ્કૃતના બહુશ્રુત વિદ્વાન આચાર્ય. પ્રસિદ્ધ ભટ્ટ કુલના નારાયણ ભટ્ટના પૌત્ર. પિતાનું નામ રામકૃષ્ણ ભટ્ટ. તર્ક, ન્યાય, મીમાંસા, વેદાન્ત, સાહિત્યશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર અને વૈદિક કર્મકાંડના મર્મજ્ઞ વિદ્વાન. એમના પ્રસિદ્ધ ‘વિવાદતાણ્ડવ’ ગ્રન્થમાં પોતે 20-22 ગ્રન્થો રચ્યાનું જણાવ્યું છે. કુમારિલ ભટ્ટના ‘શાસ્ત્રતત્વ’ પરના વાર્તિક ઉપર ‘નિર્ણયસિન્ધુ’ નામે…

વધુ વાંચો >

કમલેશ્વર

કમલેશ્વર (જ. 6 જાન્યુઆરી 1932, મૈનપુરી, ઉ.પ્ર.) : હિંદીમાં વાર્તાઓ, નવલકથાઓ, સમીક્ષા, પ્રવાસકથા તથા નાટક અને સંસ્મરણોના લેખક અને સંપાદક. અભ્યાસ એમ.એ., ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય. તેમણે સાત નવલિકાસંગ્રહો અને આઠ નવલકથાઓ લખી છે. સમીક્ષક તરીકે 1966 સુધીમાં પ્રકાશિત થયેલી વાર્તાઓનું ‘નયી કહાની કી ભૂમિકા’માં વિવેચન કર્યું છે. સામયિક ‘સારિકા’માં પણ ‘મેરા…

વધુ વાંચો >

કમળ

કમળ : દ્વિદળી વર્ગમાં આવેલા નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn. syn. Nelumbium nelumbo Druce; N. speciosum Willd. (સં. કમલ, પદ્મ, પંકજ, અંબુજ; હિ., બં, મ. કમલ, પદ્મ; ગુ. કમળ; તે. કલુંગ; તા. અંબલ; મલા. થામારા; અં. લોટસ) છે. આ પ્રજાતિ (Nelumbo) એશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિતરણ…

વધુ વાંચો >

કમળ (પ્રતીક)

કમળ (પ્રતીક) : ભારતીય કલા, ધર્મ અને દર્શનમાં કમળ એ સૌથી મહત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડિયો વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ એ પ્રાણનું એવું રૂપ છે જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ અથવા જીવનને આહવાન…

વધુ વાંચો >

કમળમહેલ

કમળમહેલ : લગભગ ઈ. સ. 1575માં હમ્પી(કર્ણાટક)માં બંધાયેલો મહેલ. મુખ્યત્વે તે એક ઉદ્યાન મહેલના ભાગ રૂપે નિર્મિત થયેલ છે. તેના આયોજનમાં દક્ષિણ ભારતના હિંદુ રાજવીઓની શૈલીમાં ઉત્તર ભારતના મુસ્લિમ શૈલીના સ્થાપત્યની છાપ જોવા મળે છે. મુખ્યત્વે એક વિશાળ ખંડરૂપે બંધાયેલી આ ઇમારત કમાનો અને સ્તંભો દ્વારા રચાયેલી છે. તેની છત…

વધુ વાંચો >

કમળો (આયુર્વિજ્ઞાન)

કમળો (jaundice) (આયુર્વિજ્ઞાન) : શરીરમાં પિત્તમાંના વર્ણકદ્રવ્યો(bile pigments)ના વધેલા પ્રમાણથી ઉદભવતો વિકાર. લોહીના રુધિરરસ(serum)માં સામાન્ય રીતે પિત્તવર્ણક (bilirubin) નામના પિત્તવર્ણક દ્રવ્યનું પ્રમાણ 1 મિગ્રા.% કે તેથી ઓછું રહે છે; જ્યારે તે 2 મિગ્રા.% કે તેથી વધુ હોય ત્યારે આંખના ડોળાનો શ્વેતાવરણ(sclera)થી બનતો સફેદ ભાગ, શ્લેષ્મકલા (mucosa) તથા ચામડી પીળાં દેખાય…

વધુ વાંચો >

કમળો (આયુર્વેદ)

કમળો (jaundice) (આયુર્વેદ) : અતિશય પિત્તકર્તા (ગરમ) આહારવિહાર કરવાથી પિત્તદોષ પ્રકુપિત થવાથી ઉત્પન્ન થતો રોગ.. પિત્તદોષ દર્દીનાં આંખ, નખ, મૂત્ર, મળ  અને ત્વચામાં ફેલાઈ જઈ તેને પીળા રંગનાં કરી દઈ, દર્દીને પીળા વર્ણના દેખાવવાળો, નિર્બળ અને પાચનતંત્રના દર્દવાળો બનાવે છે. શરીર દેડકા જેવા ફિક્કા પીળા રંગનું દેખાય છે. દેહની ઇંદ્રિયોની…

વધુ વાંચો >

કમળો – નવજાત શિશુનો

કમળો, નવજાત શિશુનો : નવા જન્મેલા શિશુને થતો કમળો. જ્યારે લોહીની અંદર પિત્તવર્ણક (bilirubin) નામના પીળા રંગના વર્ણકદ્રવ્ય(pigment)નું પ્રમાણ વધવા માંડે ત્યારે તેને અતિબિલીરુબિનરુધિરતા અથવા અતિપિત્તવર્ણકરુધિરતા (hyperbilirubinaemia) કહે છે. આવા શિશુના આંખના ડોળાનો સફેદ ભાગ (sclera), ચામડી, શ્લેષ્મકલા (mucosa) વર્ણકદ્રવ્યને કારણે પીળાં થાય ત્યારે તેને કમળો અથવા પીળિયો (jaundice) કહે…

વધુ વાંચો >

કપ્પસુત્ત (બૃહત્કલ્પ)

Jan 9, 1992

કપ્પસુત્ત (બૃહત્કલ્પ) : જૈન મુનિઓના આચારવિચાર સંબંધી નિયમોના વિવેચન સમા છેદસૂત્રોમાં કલ્પ કે બૃહત્કલ્પ તરીકે જાણીતો ગ્રંથ. આને કલ્પાધ્યયન પણ કહેવામાં આવે છે. પજ્જોસણાકપ્પથી આ ભિન્ન છે. પ્રાચીન પ્રાકૃત ભાષામાં ગદ્યબદ્ધ આ ગ્રંથમાં સાધુ-સાધ્વીઓને માટે સાધક (કલ્પ = યોગ્ય) અને બાધક (અકલ્પ = અયોગ્ય) સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિનું વિસ્તૃત વિવેચન…

વધુ વાંચો >

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી)

Jan 9, 1992

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) : પ્રાકૃત ભાષામાં રચાયેલું સંગીતરૂપક. માત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલાં નાટકોનો આ પ્રકાર સટ્ટક તરીકે ઓળખાય છે. આવા સટ્ટકોમાં તે આદ્ય અને વિશિષ્ટ સટ્ટક છે. તેની રચના સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર યાયાવરવંશીય કવિરાજ રાજશેખરે (ઈ. સ. દશમી સદી) કરી છે. ચાર જવનિકા અર્થાત્ અંકોના બનેલા ‘કપ્પૂરમંજરી’નું કથાવસ્તુ હર્ષની રત્નાવલીના…

વધુ વાંચો >

કફકેતુરસ

Jan 9, 1992

કફકેતુરસ : આયુર્વેદિક ઔષધિ. ઔષધદ્રવ્યો અને નિર્માણવિધિ : ફુલાવેલો ટંકણખાર, લીંડીપીપર, શંખભસ્મ અને શુદ્ધ વછનાગ. આ ચારેય દ્રવ્યો ખરલમાં સરખા ભાગે એકત્ર કરી, તેને આદુંના રસમાં ત્રણ દિવસ સુધી સતત ઘૂંટીને, તેની 1/4થી 1 રતીની માત્રાની ગોળીઓ બનાવાય છે. માત્રા : 1થી 2 ગોળી આદુંના રસ અથવા નાગરવેલના પાનના અથવા…

વધુ વાંચો >

કબજિયાત

Jan 9, 1992

કબજિયાત (constipation) : મળત્યાગ ન થવો અથવા શ્રમપૂર્વક પણ અપૂરતો મળત્યાગ થવો તે. અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત, ધીમા દુખાવા સાથે, વિશેષ શ્રમપૂર્વક અથવા અપૂરતો મળત્યાગ થાય ત્યારે વ્યક્તિ કબજિયાતની ફરિયાદ કરે છે. કબજિયાત બે પ્રકારની હોય છે : ઉગ્ર (acute) અથવા ટૂંકા ગાળામાં ઉદભવતી તથા દીર્ઘકાલી (chronic) અથવા લાંબા સમયની.…

વધુ વાંચો >

કબડ્ડી

Jan 9, 1992

કબડ્ડી : ભારતનાં તમામ રાજ્યોમાં પ્રચલિત રાષ્ટ્રીય લોકરમત. સામા હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેવી પકડમાંથી છટકી જવાના મુખ્ય કૌશલ્ય પર રચાયેલી આ રમતમાં શ્વાસ ઘૂંટવો એ પાયાની બાબત છે. બ્રિટિશ શાસનકાળથી ઉત્તર ભારતમાં તે ‘કબડ્ડી’ના નામથી, ચેન્નાઈ તરફ ‘ચેડુગુડુ’ના નામથી, બંગાળમાં ‘દોદો’ના નામથી તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં ‘હુતુતુતુ’ના નામથી પ્રખ્યાત છે;…

વધુ વાંચો >

કબર

Jan 9, 1992

કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં…

વધુ વાંચો >

કબાલા

Jan 9, 1992

કબાલા : વિશિષ્ટ યહૂદી રહસ્યવાદની સંજ્ઞા. (અંગ્રેજી જોડણી KABALA, KABBALAH, CABALA, CABBLA અથવા CABBALAH) : મૂળ હિબ્રૂમાં તેનો અર્થ છે ‘ટ્રૅડિશન’ એટલે કે પરંપરા. ઈસવી સનની બારમી સદી અને તે પછીના સમયમાં પ્રચલિત આ પરંપરા તત્વત: મૌખિક રહી છે, કેમકે એનાં વિધિવિધાનોમાં દીક્ષા સ્વયં કોઈ ગુરુ દ્વારા જ અપાય છે,…

વધુ વાંચો >

કબીર

Jan 9, 1992

કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત હતા. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન…

વધુ વાંચો >

કબીરપંથ

Jan 9, 1992

કબીરપંથ : કબીરના નામે અનુયાયીઓએ ઊભો કરેલો અને બાર મુખ્ય શાખા ધરાવતો પંથ. સંત કબીર પંથ સ્થાપવામાં માનતા નહોતા. તેમના શિષ્યોમાં મુખ્ય ધર્મદાસ, સુરતગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્ત્વા, જગ્ગૂદાસ (જાગૂદાસ) આદિ હતા. આમાંના ધર્મદાસ પટ્ટશિષ્ય હતા. કબીરના મૃત્યુ પછી ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી અને સુરતગોપાલે કાશીવાળી શાખા…

વધુ વાંચો >

કબૂતર

Jan 9, 1992

કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય –…

વધુ વાંચો >