૩.૨૬

ઍસ્બેસ્ટૉસતંતુતાથી ઑક્સીન

ઍસ્બેસ્ટૉસતંતુતા

ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના…

વધુ વાંચો >

એહમદ, ફાતિમા

એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે…

વધુ વાંચો >

એહર્લિક પૉલ

એહર્લિક, પૉલ (જ. 14 માર્ચ 1845, સ્ટ્રેહલન, સિલેશિયા, પ્રુશિયા; અ. 20 ઑગસ્ટ 1915, બેડહેમ્બર્ગ વૉર ડર હોહે, જર્મની) : ‘ફિઝિયૉલૉજી અને મેડિસિન’ના નોબેલ પારિતોષિક(1908)ના એલી મેચનીકોફ સાથે સહવિજેતા. સંશોધનનો વિષય હતો ઉપદંશ(syphilis)ની સૌપ્રથમ અસરકારક ચિકિત્સા. આ જર્મન તબીબી વિજ્ઞાનીએ લોહી અને તેના રોગો, પ્રતિરક્ષાવિદ્યા (immunology) અને રસાયણચિકિત્સા(chemotherapy)ના વિષયોમાં મૂળભૂત સંશોધન…

વધુ વાંચો >

એળિયો

એળિયો : જુઓ કુંવારપાઠું.

વધુ વાંચો >

એળુતચન કે. એન.

એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…

વધુ વાંચો >

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું.…

વધુ વાંચો >

ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી

ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી : ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં આવેલા શહેર કૂનાબરાબ્રાનથી 29 કિમી. અંતરે સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (ઊંચાઈ, 1165 મી.) પાસે જ, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન સરકારોના સંયુક્ત ઉપક્રમે ચાલતી ઑબ્ઝર્વેટરી. તેમાં યુ. કે. સાયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા નિર્મિત 122 સેમી. શ્મિટ ટેલિસ્કોપ(f = 183 સેમી.)ને 1973થી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેના…

વધુ વાંચો >

એંજલનો નિયમ

એંજલનો નિયમ : ઓગણીસમી સદીના જર્મન આંકડાશાસ્ત્રી એંજલે (Christian Lorenz Ernst Engel) વ્યક્તિની આવક અને તેમાંથી કરવામાં આવતી જુદા જુદા સ્વરૂપની વપરાશ વચ્ચેના પ્રમાણ અંગે તારવેલો સામાન્ય નિયમ. 1857માં એંજલે જર્મનીના સેક્સની પરગણાના ત્રણ વર્ગો – શ્રમિકો, મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ-ની આવક તથા વપરાશી ખર્ચની વિગતોને આધારે કૌટુંબિક અંદાજપત્રોના…

વધુ વાંચો >

ઍંજલ્સ, ફ્રેડરિક

ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 28 નવેમ્બર 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 5 ઑગસ્ટ 1895, લંડન) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ…

વધુ વાંચો >

એંજિનિયર, ફરોખ

એંજિનિયર, ફરોખ (જ. 25 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ભારતના ચપળ વિકેટકીપર તથા આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન. પારસી કુટુંબમાં જન્મ. મુંબઈની ડૉન બોસ્કો નામની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ. પરંતુ એ શાળામાં ક્રિકેટનું બૅટ ઝાલવાનો પ્રસંગ ન આવ્યો. પુણે ખાતે શિવાજી મિલિટરી સ્કૂલમાં ફરોખને ક્રિકેટના પાઠ શીખવા મળ્યા. શાળાકીય અભ્યાસ પૂરો થતાં માટુંગાની…

વધુ વાંચો >

એંજેલી, એડુઅર્ડ

Jan 26, 1991

એંજેલી, એડુઅર્ડ (જ. 15 જુલાઈ 1942, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1960માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. આર. સી. એન્ડર્સન હેઠળ કલાનો અભ્યાસ શરૂ કર્યો અને 1965માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. 1967માં ઇસ્તંબુલ જઈ તુર્કી સંસ્કૃતિ અને લોકકલાનો અભ્યાસ કર્યો. 1969માં તેઓ ઇસ્તંબુલ અકાદમીના ચિત્રકલાના વ્યાખ્યાતા નિમાયા. એંજેલી અમૂર્ત ચિત્રો…

વધુ વાંચો >

ઍંડિયન ગ્રૂપ

Jan 26, 1991

ઍંડિયન ગ્રૂપ : દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક આર્થિક સંગઠન. કાર્ટેજેના કરાર હેઠળ 1969માં તેની સ્થાપના. બોલિવિયા, કોલંબિયા, પેજુ, ઇક્વેડોર તથા ચિલી – આ પાંચ સ્થાપક સભ્ય દેશો. 1973માં વેનેઝુએલા જોડાયું. 1976માં ચિલીએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધેલું. 1997માં પેરુએ પછીનાં પાંચ વર્ષ માટે પોતાનું સભ્યપદ મોકૂફ રખાવ્યું હતું. તે જ…

વધુ વાંચો >

ઐક્ષ્વાકુ વંશ

Jan 26, 1991

ઐક્ષ્વાકુ વંશ : વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુમાંથી નીકળેલો રાજવંશ. એની રાજધાની અયોધ્યા હતી. આ વંશમાં શશાદ, કકુત્સ્થ, શ્રાવસ્ત, માંધાતા, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, અંબરીષ, ઋતુપર્ણ, દિલીપ, રઘુ, અજ અને દશરથ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. દશરથના પુત્ર રામ ભગવાન વિષ્ણુના અવતાર ગણાયા. રામના પુત્ર કુશના વંશમાં પાંડવોના સમયમાં બૃહદબલ…

વધુ વાંચો >

ઐઝોલ

Jan 26, 1991

ઐઝોલ : મિઝોરમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 230 44′ ઉ. અ. અને 920 43′ પૂ.રે.ની આજુબાજુનો 3,576 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામનો કાચાર જિલ્લો અને મણિપુર રાજ્ય, પૂર્વ તરફ મ્યાનમાર, દક્ષિણ તરફ રાજ્યનો લુંગલેઈ જિલ્લો તથા પશ્ચિમે બાંગ્લાદેશ…

વધુ વાંચો >

ઐતરેય ઉપનિષદ

Jan 26, 1991

ઐતરેય ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

ઐતરેય બ્રાહ્મણ

Jan 26, 1991

ઐતરેય બ્રાહ્મણ : વૈદિક સાહિત્યનો એક ગ્રંથ. સમગ્ર વૈદિક સાહિત્યને (1) સંહિતા, (2) બ્રાહ્મણ, (3) આરણ્યક અને (4) ઉપનિષદ – એવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. ચાર વેદનાં કુલ અઢાર બ્રાહ્મણો આજે મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમાં ઋગ્વેદનાં (1) ઐતરેય બ્રાહ્મણ, (2) કૌષિતકી બ્રાહ્મણ અને (3) શાંખાયન બ્રાહ્મણ મુદ્રિત…

વધુ વાંચો >

ઐતિહાસિક કાવ્ય

Jan 26, 1991

ઐતિહાસિક કાવ્ય : ઇતિહાસવસ્તુને સીધી કે આડકતરી રીતે ઓછેવત્તે અંશે સ્પર્શતું સંસ્કૃત કે પ્રાકૃત કાવ્ય. સંસ્કૃતમાં ‘કાવ્ય’ પદનો અર્થ છે – ‘સાહિત્ય’. તેથી અહીં કાવ્ય દ્વારા કોઈ પણ પ્રકારનું સાહિત્યસ્વરૂપ અભિપ્રેત છે, જેમાં ઇતિહાસની આસપાસ વસ્તુ ગૂંથાયું હોય. કેવળ ઇતિહાસનો આશ્રય લઈને કાવ્ય લખવાની પરિપાટી સંસ્કૃત સાહિત્યમાં નથી, કવિઓએ તો…

વધુ વાંચો >

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective)

Jan 26, 1991

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective) : ઇતિહાસની અનેક વ્યાખ્યાઓ અપાઈ છે, પરંતુ સર્વસંમત બાબત એ છે કે તે પરિવર્તન, ખાસ કરીને માનવજાતમાં વખતોવખત આવેલાં પરિવર્તનોનું અધ્યયન કરે છે. પ્રત્યેક સમાજ, સંસ્થા, વસ્તુ કે ઘટનાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું કેવળ વર્તમાન સ્વરૂપ જ જાણવું-સમજવું પૂરતું નથી, તેના અતીતનો પણ ઠીક…

વધુ વાંચો >

ઐતિહાસિક ભૂગોળ

Jan 26, 1991

ઐતિહાસિક ભૂગોળ : ભૂતકાળની ભૌગોલિક સ્થિતિ. કોઈ પણ પ્રદેશનો ભૌગોલિક અભ્યાસ અથવા કોઈ પણ ચોક્કસ સમયે પ્રદેશની સ્થિતિ અથવા ભૂતકાળમાં તેની સ્થિતિ અથવા તે પ્રદેશની બદલાતી ભૌગોલિક પરિસ્થિતિ અથવા બદલાતા સમયમાં તે પ્રદેશની સ્થિતિ. પ્રાકૃતિક અને માનવભૂગોળમાં તેનો અભ્યાસ કરીને દુનિયાની સમકાલીન પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે. ઈ. પૂર્વે પાંચમી…

વધુ વાંચો >

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર

Jan 26, 1991

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીના પોપડામાં જોવા મળતા તમામ પ્રકારના ખડકોનાં બંધારણ, રચનાક્રમ અને અરસપરસના સંબંધની તલસ્પર્શી માહિતી વર્ણવતી વિષય-શાખા. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને અર્વાચીન સમય સુધીનાં અંદાજે પાંચ અબજ વર્ષના સમગ્ર આયુકાળ દરમિયાન બની ગયેલી આગ્નેય ઘટનાઓ, કણજમાવટથી થયેલી જળકૃત સ્તરરચનાઓ, ભૂસંચલનજન્ય-વિકૃતિજન્ય ફેરફારો વગેરે જેવા વિવિધ પ્રકારના ભૂસ્તરીય બનાવોની ક્રમબદ્ધ-કાલાનુસાર માહિતીનું…

વધુ વાંચો >