૩.૧૫

એકરૂપતાવાદથી એકલૉગ્ઝ

એકરૂપતાવાદ

એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ…

વધુ વાંચો >

એકર્ટ, જોહન પ્રેસ્પર

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ…

વધુ વાંચો >

એક્લકંટો

એક્લકંટો : જુઓ શતાવરી.

વધુ વાંચો >

એકલ-ચરમાવસ્થા

એકલ-ચરમાવસ્થા (monoclimax) : જીવનસંઘર્ષનો સફળ સામનો કરી ઉજ્જડ નિકેત(niche)માં વનસ્પતિ-સમાજ દ્વારા કાયમ પ્રસ્થાપિત થવાની પરિઘટના. સંક્રમણકાળ દરમિયાન પ્રભાવ ધરાવ્યા પછી કાળક્રમે તે ગુમાવતાં વનસ્પતિ-સમાજમાં એક સભ્યનું સ્થાન બીજા સભ્યો લે છે. છેવટે પર્યાવરણ સાથે બધી રીતે અનુકૂલન પામેલા વનસ્પતિ-સમાજના સભ્યો ત્યાં સ્થાયી બને છે. આ વિચારધારાના આદ્યપ્રવર્તક ક્લિમેન્ટ્સ હતા. તેમના…

વધુ વાંચો >

એકલવ્ય

એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન…

વધુ વાંચો >

એકલવ્ય ઍવૉર્ડ

એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…

વધુ વાંચો >

એકલિંગજી

એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે. બે પહાડીઓના અંતરાલમાં…

વધુ વાંચો >

એકવીસ સેન્ટિમીટર વિકિરણ

એકવીસ સેન્ટિમીટર વિકિરણ : આંતરતારકીય અવકાશમાં તટસ્થ હાઇડ્રોજન દ્વારા 21 સેમી. તરંગલંબાઈએ થતું પ્રકાશનું લાક્ષણિક ઉત્સર્જન અથવા અવશોષણ. આપણા તારાવિશ્વમાં આવેલા ગરમ તેમજ ઠંડા હાઇડ્રોજનના જથ્થા ધરાવતા પ્રદેશોને H π અને H I કહેવામાં આવે છે. H Iવાળા શિથિલ હાઇડ્રોજનના પરમાણુઓના ઇલેક્ટ્રૉનની ભ્રમણધરી પ્રોટૉનની ભ્રમણધરીને સમાંતર હોય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

એકાક્ષ ખનિજ

એકાક્ષ ખનિજ : જુઓ ઑપ્ટિક અક્ષ.

વધુ વાંચો >

એ. કાનન

એ. કાનન (જ. 18 જૂન 1920 ચેન્નાઇ, તમિલનાડુ: અ. 12 સપ્ટેમ્બર 2004 કોલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ…

વધુ વાંચો >

એકાન્ત સેવા

Jan 15, 1991

એકાન્ત સેવા (વીસમી સદીનો ત્રીજો દશકો) : તેલુગુ કાવ્યસંગ્રહ. તેલુગુ ભક્તકવિ વ્યંકટ પરવતીશ્વર ક્વુલુ (1881–1974) તથા વોલેતાં પર્વતીસમ(1882–1955)ના સંયુક્ત કર્તૃત્વનાં આ ઊર્મિકાવ્યોમાં મહદંશે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. બાહ્ય ર્દષ્ટિએ માનવપ્રણયનાં વિરહકાવ્યો લાગે, પણ એમાં જીવાત્માની પરમાત્માના મિલન માટેની વ્યાકુળતા તથા વિરહની અસહ્ય વેદનાનું આલેખન થયું છે. આ સંગ્રહનાં 62 ગીતોમાં…

વધુ વાંચો >

એકાવલી (ચૌદમી સદી)

Jan 15, 1991

એકાવલી (ચૌદમી સદી) : કવિ વિદ્યાધરકૃત સાહિત્યશાસ્ત્ર અંગેનો સંસ્કૃત ગ્રંથ; તેનું પ્રકાશન મુંબઈ સંસ્કૃત સીરીઝમાં કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદી દ્વારા કરાયું છે. ‘એકાવલી’ના આઠ ઉન્મેષોમાં સાહિત્યશાસ્ત્ર અંગેના વિભિન્ન વિષયોનું નિરૂપણ થયેલું છે. તે પૈકી પ્રથમમાં કાવ્યહેતુ ને કાવ્યલક્ષણ, દ્વિતીયમાં શબ્દ અને શબ્દશક્તિ, તૃતીયમાં ધ્વનિ અને તેના ભેદપ્રભેદો, ચતુર્થમાં ગુણીભૂતવ્યંગ્ય, પાંચમામાં ગુણ…

વધુ વાંચો >

એકાંકી

Jan 15, 1991

એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ…

વધુ વાંચો >

એકાંગી મૅગ્મા

Jan 15, 1991

એકાંગી મૅગ્મા : એક જ ઘટકનો બનેલ મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં ઉદભવતા ખડકોના પીગળેલા રસને મૅગ્મા કહે છે. તે ઠંડો પડતાં અંત:કૃત અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. આ ખડકો મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન સ્ફટિકીકરણથી ઉત્પન્ન થતા ખનિજ કે ખનિજસમૂહોના બનેલા હોય છે. અગ્નિકૃત ખડકોના અવલોકન ઉપરથી મૂળ મૅગ્મા એક જ…

વધુ વાંચો >

એકાંગી વનસ્પતિઓ

Jan 15, 1991

એકાંગી વનસ્પતિઓ (thallophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં અંગો વિનાની વાહકપેશીવિહીન વનસ્પતિઓ. આ વનસ્પતિસમૂહમાં પેશીય આયોજન હોતું નથી. તેઓ એકકોષી પ્રજનનાંગો ધરાવે છે અને ફલન બાદ તેઓમાં યુગ્મનજ(zygote)માંથી ભ્રૂણજનન (embryogenesis) થતું નથી. આવી વનસ્પતિઓના દેહને સુકાય (thallus) કહે છે. એકાંગી વનસ્પતિઓમાં જીવાણુઓ (bacteria), લીલ (algae), ફૂગ (fungi) અને લાઇકેન(lichens)નો…

વધુ વાંચો >

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ

Jan 15, 1991

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.; અ. 25 જૂન 1916 ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ…

વધુ વાંચો >

એકિલીઝ

Jan 15, 1991

એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…

વધુ વાંચો >

એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત

Jan 15, 1991

એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત (unified field theory) : ગુરુત્વાકર્ષણ અને વીજચુંબકત્વનું એક જ સૈદ્ધાંતિક માળખામાં સંકલન. અનાદિકાળથી માનવે અલગ અલગ પ્રક્રિયાઓનું નિયમન કરતા એકીકૃત નિયમની શોધ કરવાનું ચાલુ રાખેલ છે. વૈજ્ઞાનિક રીતે જેને પ્રથમ એકીકૃત સિદ્ધાંત કહી શકાય તેવી શોધ ન્યૂટનના ગુરુત્વાકર્ષણને લગતા નિયમની છે. ન્યૂટનનો આ નિયમ ફક્ત આકાશી પદાર્થોની ગતિનું…

વધુ વાંચો >

એકીરાન્થીસ

Jan 15, 1991

એકીરાન્થીસ : જુઓ અઘેડો

વધુ વાંચો >

એકેગરે ઓજ

Jan 15, 1991

એકેગરે ઓજ (જ. 19 એપ્રિલ 1832, મેડ્રિડ, સ્પેન; અ. 4 સપ્ટેમ્બર 1916 મેડ્રિડ, સ્પેન) : પોતાના પૂરા નામ ઓજ એકેગરે ઈ એકેગરે(Jose Echegaray Y Echegaray)ના પ્રથમ બે શબ્દોથી સ્પેનના સાહિત્યમાં ખૂબ જાણીતા બનેલા નાટ્યકાર. જીવનના આરંભનાં વર્ષોમાં એ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને થોડો સમય તેમણે આલ્મેરિયા અને ગ્રેનેદામાં ઇજનેર તરીકે…

વધુ વાંચો >