૩.૧૫

એકરૂપતાવાદથી એકલૉગ્ઝ

એકરૂપતાવાદ

એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ…

વધુ વાંચો >

એકર્ટ, જોહન પ્રેસ્પર

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ…

વધુ વાંચો >

એક્લકંટો

એક્લકંટો : જુઓ શતાવરી.

વધુ વાંચો >

એકલ-ચરમાવસ્થા

એકલ-ચરમાવસ્થા (monoclimax) : જીવનસંઘર્ષનો સફળ સામનો કરી ઉજ્જડ નિકેત(niche)માં વનસ્પતિ-સમાજ દ્વારા કાયમ પ્રસ્થાપિત થવાની પરિઘટના. સંક્રમણકાળ દરમિયાન પ્રભાવ ધરાવ્યા પછી કાળક્રમે તે ગુમાવતાં વનસ્પતિ-સમાજમાં એક સભ્યનું સ્થાન બીજા સભ્યો લે છે. છેવટે પર્યાવરણ સાથે બધી રીતે અનુકૂલન પામેલા વનસ્પતિ-સમાજના સભ્યો ત્યાં સ્થાયી બને છે. આ વિચારધારાના આદ્યપ્રવર્તક ક્લિમેન્ટ્સ હતા. તેમના…

વધુ વાંચો >

એકલવ્ય

એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન…

વધુ વાંચો >

એકલવ્ય ઍવૉર્ડ

એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…

વધુ વાંચો >

એકલિંગજી

એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે. બે પહાડીઓના અંતરાલમાં…

વધુ વાંચો >

એકવીસ સેન્ટિમીટર વિકિરણ

એકવીસ સેન્ટિમીટર વિકિરણ : આંતરતારકીય અવકાશમાં તટસ્થ હાઇડ્રોજન દ્વારા 21 સેમી. તરંગલંબાઈએ થતું પ્રકાશનું લાક્ષણિક ઉત્સર્જન અથવા અવશોષણ. આપણા તારાવિશ્વમાં આવેલા ગરમ તેમજ ઠંડા હાઇડ્રોજનના જથ્થા ધરાવતા પ્રદેશોને H π અને H I કહેવામાં આવે છે. H Iવાળા શિથિલ હાઇડ્રોજનના પરમાણુઓના ઇલેક્ટ્રૉનની ભ્રમણધરી પ્રોટૉનની ભ્રમણધરીને સમાંતર હોય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

એકાક્ષ ખનિજ

એકાક્ષ ખનિજ : જુઓ ઑપ્ટિક અક્ષ.

વધુ વાંચો >

એ. કાનન

એ. કાનન (જ. 18 જૂન 1920 ચેન્નાઇ, તમિલનાડુ: અ. 12 સપ્ટેમ્બર 2004 કોલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ…

વધુ વાંચો >

એકલૉગ્ઝ

Jan 15, 1991

એકલૉગ્ઝ (Eclogues) (ઈ. પૂ. 42થી 37) : રોમન કવિ વર્જિલ(ઈ. પૂ. 70થી 19)નો પ્રથમ કાવ્યસંગ્રહ. સમકાલીન રોમન કવિજનોમાં અને કાવ્યરસિક પ્રજાજનોમાં વર્જિલની અદ્વિતીય કવિ તરીકેની પ્રતિષ્ઠા એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકલૉગ્ઝ’ની પ્રસિદ્ધિ સાથે જ સ્થિરત્વ પામી. થિયોક્રિટસની નિસર્ગકવિતા એકલૉગને સામે રાખીને વર્જિલે દસ એકલૉગ્ઝ ઈ. પૂ. 37માં પ્રકાશિત કર્યાં, પણ ગોપકાવ્યની…

વધુ વાંચો >