૩.૦૬

ઉદ્યાનવિદ્યાથી ઉન્નવ લક્ષ્મીનારાયણ

ઉદ્યાનવિદ્યા

ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

ઉદ્યોગો

ઉદ્યોગો જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન-પ્રવૃત્તિ. આ તેનો વ્યાપક અર્થ છે. મર્યાદિત અર્થમાં ખેતી અને સેવાઓનાં (વીમો, વેપાર, શિક્ષણ વગેરે) ક્ષેત્રોને બાદ કર્યાં પછીની ઉત્પાદન-પ્રવૃત્તિ. આ મર્યાદિત અર્થમાં જે ઉત્પાદન-પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે : (1) યંત્રોત્પાદન (યંત્રો દ્વારા થતું ઉત્પાદન –…

વધુ વાંચો >

ઉદ્યોત (અઢારમી સદી)

ઉદ્યોત (અઢારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ની ગોવિંદ ઠક્કુરરચિત ટીકા ‘પ્રદીપ’ પર નાગેશ ભટ્ટકૃત ભાષ્ય. ‘ઉદ્યોત’ એના નામ પ્રમાણે ‘કાવ્યપ્રકાશ’ અને ‘પ્રદીપ’નાં મહત્વનાં સ્થાનો પર પ્રકાશ નાખે છે. મૂળ ગ્રંથના દુર્બોધ અંશોનું વિશદીકરણ, સિદ્ધાંતોને અસત્ય બતાવતા આક્ષેપોનું નિરાકરણ અને સત્યનો અંગીકાર – ટીકાકારનાં આ ત્રણેય કર્તવ્યોને ‘ઉદ્યોત’માં ચરિતાર્થ કરવામાં આવ્યાં છે. ખંડનમંડનની…

વધુ વાંચો >

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન)

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન) (છઠ્ઠી સદી) : વાત્સ્યાયનના (આનુમાનિક ઈ. સ. 300) ન્યાયભાષ્ય ઉપરના ન્યાયવાર્તિકના રચયિતા. તે પોતાની ઓળખ ‘પરમર્ષિ ભારદ્વાજ પાશુપતાચાર્ય શ્રીમદ્ ઉદ્યોતકર’ એમ આપે છે. ‘ભારદ્વાજ’ એમનું ગોત્રનામ છે, જ્યારે ‘પાશુપતાચાર્ય’ એ એમના ધાર્મિક સંપ્રદાયનું દર્શક વિશેષણ છે. તે પોતાના વાર્તિકના પ્રારંભિક શ્લોકમાં સ્પષ્ટપણે કહે છે કે ‘કુતાર્કિકોએ ફેલાવેલા અજ્ઞાનને…

વધુ વાંચો >

ઉદ્યોતકર-2

ઉદ્યોતકર-2 (નાગેશ ભટ્ટ અથવા નાગોજિ ભટ્ટ) (જ. 1650, સાતારા; અ. 1730) : શૃંગબેરપુરના રાજા રામસિંહના સભાપંડિત. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતીદેવી. પાણિનિપરંપરાનુસારી નાગેશની વ્યાકરણવિષયક કૃતિઓમાં ‘લઘુશબ્દેન્દુશેખર’ (ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’ ઉપરની પ્રૌઢ ટીકા), ‘બૃહચ્છબ્દેન્દુશેખર’, પાતંજલ વ્યાકરણ મહાભાષ્ય ઉપર કૈયટે લખેલ ‘પ્રદીપ’ ટીકા ઉપર પોતાની ‘ઉદ્યોત’ નામની ટીકા, ‘પરિભાષેન્દુશેખર’, ‘લઘુમંજૂષા’…

વધુ વાંચો >

ઉદ્યોતનસૂરિ

ઉદ્યોતનસૂરિ (ઈ. સ. આઠમી સદી) : ભારતીય વાઙ્મયના બહુશ્રુત વિદ્વાન. તેમની એકમાત્ર કૃતિ ‘કુવલયમાલાકહા’ તેમના પાંડિત્યનો અને તેમની સર્વતોમુખી પ્રતિભાનો સબળ પુરાવો છે. ઉદ્યોતનસૂરિની નિશ્ચિત જન્મતિથિ અંગે ઉલ્લેખ મળતો નથી. પરંતુ તેમણે કુવલયમાલાકથાની રચના ઈ. સ. 779માં પૂર્ણ કરી હતી. (શક સંવત 700માં એક દિવસ બાકી). તે સમયે જાવાલિપુર(જાલૌર)માં રણહસ્તિન્…

વધુ વાંચો >

ઉધના

ઉધના : સૂરત જિલ્લાના સિટી તાલુકાનું ઔદ્યોગિક મથક. તે અમદાવાદ-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. ત્યાંથી ભૂસાવળ તરફ જતો તાપી-વેલી રેલવે માર્ગ જુદો પડે છે. ઉધનાનું રેલવે યાર્ડ ઘણું લાંબું અને વિશાળ છે. આઝાદી પૂર્વે ઉધનાનો સમાવેશ સચીન નામના દેશી રાજ્યમાં થતો હતો. સચીન બીજા વર્ગનું રાજ્ય હતું અને…

વધુ વાંચો >

ઉધમપુર (જિલ્લો-શહેર)

ઉધમપુર (જિલ્લો-શહેર) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો 32o 56′ ઉ. અ. અને 75o 08′ પૂ. રે.ની આજુબાજુનો 4,550 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અનંતનાગ, ઈશાને ડોડા, અગ્નિએ કથુઆ, વાયવ્યે રાજૌરી અને નૈર્ઋત્યે પુંચ અને જમ્મુ જિલ્લો સરહદ…

વધુ વાંચો >

ઉધમપુરી, જિતેન્દ્ર

ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર…

વધુ વાંચો >

ઉધમસિંઘનગર

Jan 6, 1991

ઉધમસિંઘનગર : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 29o 00′ ઉ. અ. અને 79o 25′ પૂ. રે.ની આજુબાજુનો 2,027 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર બંદૂકને આબેહૂબ મળતો આવે છે. તેની ઉત્તર તરફ નૈનીતાલ જિલ્લો અને પિથોરાગઢ જિલ્લાનો કેટલોક ભાગ, પશ્ચિમ તરફ બિજનોર જિલ્લો, નૈર્ઋત્ય તરફ…

વધુ વાંચો >

ઉધાસ, મનહર

Jan 6, 1991

ઉધાસ, મનહર (જ. 13 મે 1943, સાવરકુંડલા) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી પાર્શ્વગાયક અને ઉચ્ચ કોટીના ગઝલ ગાયક. વતન સૌરાષ્ટ્રનું ગામ જેતપુર. બાળપણથી જ સંગીતમાં સક્રિય રસ જાગ્યો, જેને કારણે સંગીતની સ્પર્ધાઓમાં અને કૉલેજના યુવક-મહોત્સવોમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં. ગુજરાતી ગઝલોને સંગીતમાં મઢીને રજૂ કરવામાં તેઓ પંકાયેલા છે. ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની…

વધુ વાંચો >

ઉનગાવા

Jan 6, 1991

ઉનગાવા : કૅનેડાના ઈશાન ખૂણે આવેલો દ્વીપકલ્પ. તે હડસન ઉપસાગર અને પશ્ચિમે આવેલા જેમ્સ ઉપસાગર વચ્ચે છે. તેની પૂર્વ દિશામાં લેબ્રેડોરના કાંઠાની પટ્ટી છે. ઉત્તર દિશામાં ઉનગાવા ઉપસાગર અને હડસનની સામુદ્રધુની આવેલાં છે. દક્ષિણે ઇસ્ટમેઇન નદી છે. તેનો 26,00,000 ચોકિમી. વિસ્તાર કૅનેડાના દશમા ભાગને આવરી લે છે. મૂળ તેની માલિકી…

વધુ વાંચો >

ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ

Jan 6, 1991

ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ : અવકાશસ્થિત જ્યોતિઓનાં સ્થાન દર્શાવતી અવચ્છેદક પદ્ધતિ. પૃથ્વીના પટ પર આવેલા સ્થાનને એના અક્ષાંશ અને રેખાંશના આધારે જાણી શકાય છે તેમ આકાશમાં આવેલા કોઈ જ્યોતિનું સ્થાન એના શર (આકાશી અક્ષાંશ) અને ભોગ (આકાશી રેખાંશ) વડે જાણી શકાય છે. આકાશી પદાર્થનું ક્ષિતિજરેખાથી ઊંચાઈનું કોણીય માપ તેના ઉન્નતાંશ છે.…

વધુ વાંચો >

ઉન્નતાંશવૃત્ત

Jan 6, 1991

ઉન્નતાંશવૃત્ત : ક્ષિતિજ સમાંતરે આકાશી ગોળા પર દોરાતું વર્તુળ. ख સ્વસ્તિક (માથા પરનું આકાશી બિંદુ), નિરીક્ષકનું સ્થાન અને અધ:સ્વસ્તિકને જોડતી રેખા (ZON) નિરીક્ષકની ક્ષિતિજરેખાની સપાટીને લંબરૂપે હોય છે. એ રેખા પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સમજી તે દોરાય છે. આકાશી ગોળા પર અનેક ઉન્નતાંશવૃત્તો દોરી શકાય છે, પણ તે વૃત્તોના…

વધુ વાંચો >

ઉન્નવ લક્ષ્મીનારાયણ

Jan 6, 1991

ઉન્નવ લક્ષ્મીનારાયણ (જ. 4 ડિસેમ્બર 1877, વેમુલૂરેપાડૂ, આંધ્રપ્રદેશ; અ. 25 સપ્ટેમ્બર 1958) : તેલુગુ લેખક. પ્રાથમિક શિક્ષણ ગામમાં અને માધ્યમિક તથા એમ.એ. સુધીની ઉચ્ચ કેળવણી ગુન્તુરમાં. 1913માં ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થઈ ભારત પાછા આવ્યા. થોડો સમય ચેન્નાઈમાં તેમજ ગુન્તુરમાં વકીલાત કરી. 1920માં ગાંધીજીની હાકલ થતાં વકીલાત છોડી રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવ્યું…

વધુ વાંચો >