૨.૦૩

આનૂઈ, ઝાંથી આબોલ તાબોલ

આનૂઈ, ઝાં

આનૂઈ, ઝાં (Anouilh, Jean) (જ. 23 જૂન 1910, બૉર્દો; અ. 1985) : અગ્રણી ફ્રેંચ નાટકકાર. તેમણે ત્રીસેક નાટકો રચ્યાં હતાં, જે પૈકી કેટલાંક ઉચ્ચ કોટિનાં છે. તેમનું સ્થાન સાર્ત્ર, કામુ, બૅકેટ, ઇયોનેસ્કો જેવા મહાન નાટકકારોમાં છે. તેમણે પૅરિસમાં આવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જાહેરાતની પેઢીમાં કામ કર્યું હતું. તેમનું નાટક…

વધુ વાંચો >

આન્તસેનગ્રુબેર,લુડવિગ

આન્તસેનગ્રુબેર, લુડવિગ (જ. 29 નવેમ્બર 1839, વિયેના; અ. 10 ડિસેમ્બર 1889, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર. તેમણે ઘણો સમય રંગભૂમિના કલાકાર તરીકે કામ કર્યું. પાછળથી વીસ બોધપ્રદ નાટકો જર્મનમાં લખ્યાં, જેમાં ઑસ્ટ્રિયાના ગ્રામજીવનનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું છે. તેમનાં નાટકોમાં તેમણે ત્યાંની લોકબોલીનો અસરકારક ઉપયોગ કર્યો હતો. તેમનું કાર્યક્ષેત્ર લોકનાટ્યનું નવસંસ્કરણ અને…

વધુ વાંચો >

આન્દ્રા

આન્દ્રા : જાણીતા પંજાબી લેખક સંતસિંહ શેખોં(જ. 30 મે 1908; અ. 1997)ની મનોવૈજ્ઞાનિક નવલકથા. તેમાં સળંગ ચેતનાપ્રવાહ (stream of consciousness) ની શૈલીમાં નાયકનું આંતરદ્વન્દ્વ દર્શાવ્યું છે. જમીનદારે એક જણનું ‘ખૂન’ કરાવવાનું ષડયંત્ર રચ્યું છે. હત્યારાઓને કામે લગાડ્યા છે. ત્યાં તેને ખબર પડે છે કે જેનું એ ખૂન કરવા તત્પર થયો…

વધુ વાંચો >

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ (જ. 21 ઑગસ્ટ 1871, ઓર્યોલ; અ. 12 સપ્ટેમ્બર 1919, ફિનલૅન્ડ) : રશિયન વાર્તાકાર અને નાટ્યકાર. રશિયન સાહિત્યમાં તે નિરાશાવાદી લેખક તરીકે જાણીતા છે. તેમણે 1894માં અનેક વાર આપઘાતના પ્રયત્નો કર્યા હતા. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ બૅરિસ્ટર થયેલા. તેઓ ગુનાઓના અખબારી અહેવાલ લખતા. મૅક્સિમ ગૉર્કીના તેઓ મિત્ર હતા.…

વધુ વાંચો >

આન્દ્રોપોવ, યુરી

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા…

વધુ વાંચો >

આન્વીક્ષિકી

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે. ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન…

વધુ વાંચો >

આન્વેઈ

આન્વેઈ (Anhui) : ચીનના પૂર્વ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 310 40´ ઉ. અ. અને 1170 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ચીનના 21 પ્રાંતો પૈકીનો આ નાનામાં નાનો પ્રાંત છે અને બધી બાજુએ ભૂમિભાગોથી બંધિયાર છે. તેની ઈશાન તરફ કિયાંગ્સુ, અગ્નિ તરફ ચેકિયાંગ,…

વધુ વાંચો >

આપ

આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે…

વધુ વાંચો >

આપખુદશાહી

આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને…

વધુ વાંચો >

આપઘાત

આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…

વધુ વાંચો >

આપટે, ગોવિંદ સદાશિવ

Jan 3, 1990

આપટે, ગોવિંદ સદાશિવ (1866-1937) : વિખ્યાત ખગોળશાસ્ત્રી તથા બહુશ્રુત વિદ્વાન. મહારાષ્ટ્રના કર્હાડ તાલુકાના ખંડોબાચી પાલ ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ત્યાં અને મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધેલું. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લશ્કર(ગ્વાલિયર)ની શિંદે સરકારની માસિક રૂપિયા ત્રણની શિષ્યવૃત્તિ પર ઉજ્જૈન ખાતે ઉચ્ચ શિક્ષણ લઈને ગણિત તથા ખગોળશાસ્ત્રમાં પારંગત થયા.…

વધુ વાંચો >

આપટે, શાન્તા

Jan 3, 1990

આપટે, શાન્તા (જ. 17 જાન્યુઆરી 1920, Dudhni, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1964) : મરાઠી રંગભૂમિ તથા ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી. માતા પ્રસિદ્ધ સંગીતકાર હોવાથી, નાનપણથી જ સંગીતની તાલીમ મેળવેલી. નવ વર્ષની વયે માતાના ગુરુ ભાલ પેંઢારકરે સંગીત-સભામાં નવોદિત કલાકાર તરીકે તેનો પરિચય કરાવી, એની પાસે ગવડાવેલું અને પ્રથમ પ્રસ્તુતિએ જ એણે…

વધુ વાંચો >

આપટે, હરિ નારાયણ

Jan 3, 1990

આપટે, હરિ નારાયણ (જ. 8 માર્ચ 1864; અ. 3 માર્ચ 1919, પુણે) : મરાઠી નવલકથાકાર. ‘હરિભાઉ’ નામે લોકપ્રિય બનેલા હરિ નારાયણ આપટે આધુનિક મરાઠી નવલકથાના પિતા ગણાય છે. તે પુણેના મધ્યમ વર્ગના પ્રતિનિધિ છે. ચિપળૂણકર, ટિળક અને આગરકરે સ્થાપેલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં જોડાનાર પ્રથમ વિદ્યાર્થીસમૂહમાં તે હતા. 1883માં તે ડેક્કન…

વધુ વાંચો >

આપણો ધર્મ

Jan 3, 1990

આપણો ધર્મ (1916, 1920 અને 1943) : ‘સુદર્શન’ અને ‘વસંત’ માસિકોમાં (1898-1942) આચાર્ય આનંદશંકર ધ્રુવે (1869-1942) લખેલા ધર્મ અને તત્વજ્ઞાન વિશેના લેખોનો સંગ્રહ. ત્રીજી આવૃત્તિ(1942)ના સંપાદક રામનારાયણ વિશ્વનાથ પાઠક. 855 જેટલાં પૃષ્ઠોના આ ગ્રંથમાં લેખોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરેલું છે : (1) સિદ્ધાંતનિરૂપણ : નિબંધો, (2) સિદ્ધાંતનિરૂપણ : વાર્તિકો, (3)…

વધુ વાંચો >

આપદ્-ધર્મ

Jan 3, 1990

આપદ્-ધર્મ : સામાન્ય સંજોગોમાં શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું છતાં આપત્તિના સમયમાં અપવાદ તરીકે સંમતિને પાત્ર ગણાતું આચરણ. ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં ચારે વર્ણના લોકો માટે વિશુદ્ધ આચરણ અંગે શાસ્ત્રોએ દિશાસૂચન કરેલું છે અને તે મુજબ વર્તન કરવું એ દરેક માટે કર્તવ્યનો ભાગ ગણાવ્યો છે. પરંતુ આચરણ અંગેના નિયમો સામાન્ય સંજોગોમાં…

વધુ વાંચો >

આપસ્તંબ કલ્પસૂત્ર

Jan 3, 1990

આપસ્તંબ કલ્પસૂત્ર : જુઓ કલ્પ

વધુ વાંચો >

આપસ્તંબ ધર્મસૂત્ર

Jan 3, 1990

આપસ્તંબ ધર્મસૂત્ર : જુઓ, ધર્મસૂત્ર

વધુ વાંચો >

આપસ્તંબ પરિભાષાસૂત્ર

Jan 3, 1990

આપસ્તંબ પરિભાષાસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

આપસ્તંબ શ્રૌતસૂત્ર

Jan 3, 1990

આપસ્તંબ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

આપાજી ગણેશ

Jan 3, 1990

આપાજી ગણેશ (કાર્યકાલ લગભગ 1755થી 1780) : જંબૂસર અને મકબૂલાબાદ (આમોદ) પરગણાંનો પેશવાઈ મક્કાસદાર (ફોજદાર). દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ઈ. સ. 1755થી પ્રાપ્ત થાય છે. તેના નામનો ઉલ્લેખ ‘આપાજી ગણેશ સ્વામી ગોસાવી’ કે ‘આપાજી ગણેશ ભાગવત’ કે અંગ્રેજો મુજબ ‘અપ્પા, ગુમસ્તા’ કે ‘ગુનાજી અપ્પાજી’ મળે છે. પેશવા બાલાજી બાજીરાવે તા. 4-6-1760માં…

વધુ વાંચો >