આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે છે :

ता आपो देवीरिह मामवन्तु ।   (યજુર્વેદ; 7, 49)

તે જળ દેવી મારું રક્ષણ કરો.

ઋગ્વેદ-અથર્વવેદનાં જળસૂક્તોમાં વિવિધ પ્રકારના નામનો ઉલ્લેખ છે.

જયાનંદ દવે