૨૪.૧૮

સ્વરપેટીનિરીક્ષાથી સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty)

સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty)

સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty) : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના સ્વાતંત્ર્યની યાદ અપાવતું, ન્યૂયૉર્ક શહેરમાં આવેલું, ખૂબ જ લોકપ્રિય બનેલું ભૂમિચિહ્ન. ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર ટાવર સમું બની રહેલું તાંબાનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ બનાવે છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને…

વધુ વાંચો >

સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy)

Jan 18, 2009

સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy) : સ્વરરજ્જુઓ (vocal cords) તથા તેમની વચ્ચે આવેલ સ્વરછિદ્ર(glottis)થી બનેલા સ્વરયંત્રનાં નિદાન-ચિકિત્સા માટે જરૂરી સાધન વડે નિરીક્ષણ કરવું તે. તે માટે વપરાતા સાધનને સ્વરપેટીદર્શક (laryngoscope) કહે છે. સ્વરપેટીદર્શકના વિવિધ પ્રકારો છે. દા. ત., લવચીક (flexible), નિર્લવચીક (rigid) વગેરે. નિર્લવચીક સ્વરપેટીદર્શક (rigid laryngoscope) : તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને…

વધુ વાંચો >

સ્વરભંગ (hoarseness)

Jan 18, 2009

સ્વરભંગ (hoarseness) : અવાજ બેસી જવો તે. તેને ‘અવાજ તણાવો’ (voice strain) અથવા ‘દુર્ધ્વનિતા’ (dysphonia) પણ કહે છે. બોલવામાં તકલીફ પડવી, અવાજની ધ્વનિતીવ્રતા (pitch) કે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય તેને સ્વરભંગ કહે છે. અવાજ નબળો પડે, બોલતાં જાણે શ્વાસ ભરાય, કર્કશ કે ખોખરો બને તો તેનું કારણ સ્વરરજ્જુ સાથે જોડાયેલી…

વધુ વાંચો >

સ્વરભેદ (hoarseness of voice)

Jan 18, 2009

સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ…

વધુ વાંચો >

સ્વરમાન (tone)

Jan 18, 2009

સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના…

વધુ વાંચો >

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule)

Jan 18, 2009

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule) : સ્વરપેટીમાં ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વરરજ્જુ પર પેશીની ગાંઠ થવી તે. સામાન્ય રીતે તે સ્વરરજ્જુના આગળના 2 ભાગમાં થાય છે. સ્વરરજ્જુનો આ ભાગ અવાજ ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ બળપૂર્વક સંકોચન પામે છે. તે ભાગમાં ગંડિકા થાય ત્યારે ગંડિકા સ્વરરજ્જુના સંકોચનમાં વિક્ષેપ કરે છે. સ્વરરજ્જુના સંકોચનથી…

વધુ વાંચો >

સ્વરાજ

Jan 18, 2009

સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…

વધુ વાંચો >

સ્વરાજ આશ્રમ બારડોલી

Jan 18, 2009

સ્વરાજ આશ્રમ, બારડોલી : સ્વરાજની લડત સમયે સ્વાતંત્ર્ય-સેનાનીઓ ભેગા મળીને લડત વિશે વિચાર-વિમર્શ કરી શકે તે માટે બારડોલી (જિ. સૂરત) મુકામે સ્થાપવામાં આવેલો આશ્રમ. સ્વાતંત્ર્ય માટેની લાંબી લડતની અનેક ઘટનાઓ આ આશ્રમમાં બની હતી. આઝાદી માટેની લડતના અનેક નામાંકિત નેતાઓ આ આશ્રમમાં વત્તોઓછો સમય રોકાયેલા. આજે જ્યાં આશ્રમ છે ત્યાં…

વધુ વાંચો >

સ્વરાજ સુષમા

Jan 18, 2009

સ્વરાજ, સુષમા (જ. 14 ફેબ્રુઆરી 1952, અંબાલા કૅન્ટોનમેન્ટ, હરિયાણા; અ. 6 ઑગસ્ટ 2019) : દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, જાણીતાં મહિલા રાજકારણી અને ભારતીય જનતા પક્ષનાં પ્રથમ હરોળનાં નેત્રી. પિતા હરદેવ શર્મા અને માતા લક્ષ્મીદેવી. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક છે. કૉલેજની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન વક્તૃત્વસ્પર્ધા,…

વધુ વાંચો >

સ્વરાજ્ય પક્ષ

Jan 18, 2009

સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…

વધુ વાંચો >

સ્વરૂપ ગોવિંદ

Jan 18, 2009

સ્વરૂપ, ગોવિંદ (જ. 23 માર્ચ 1929, ઠાકુરવાડા, ઉત્તરપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય ખગોળવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સંસ્થાઓમાંથી લીધું. ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી 1948માં બી.એસસી. અને 1950માં એમ.એસસી.ની ઉપાધિઓ મેળવી. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા. યુ.એસ.ની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં 1957–1961 દરમિયાન સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >