૨૩.૨૮

સૂર્યમુખીથી સેતલવાડ

સૂર્યમુખી

સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…

વધુ વાંચો >

સૂર્યવર્ણાલેખક (spectroheliograph)

સૂર્યવર્ણાલેખક (spectroheliograph) : પૂર્વનિર્ધારિત ઉત્સર્જનરેખામાં પ્રકાશમાં સૂર્યના સંપૂર્ણ બિંબનું એકતરંગીય (monochromatic) પ્રતિબિંબ મેળવતું ઉપકરણ. સામાન્ય રીતે આવાં પ્રતિબિંબ સૂર્યના વર્ણપટની ફ્રૉનહોફર (fraunhofer) રેખાઓના પ્રકાશમાં મેળવવામાં આવે છે અને તે સૂર્યવર્ણાલેખક કહેવાય છે. સૂર્યવર્ણાલેખકની રેખાકૃતિ 20મી સદીની શરૂઆતમાં સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે ખાસ સૌર ટેલિસ્કોપ રચવાની શરૂઆત થઈ અને જ્યૉર્જ એલરી…

વધુ વાંચો >

સૂર્યવંશ

સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…

વધુ વાંચો >

સૂર્યાચન્દ્રમસૌ

સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…

વધુ વાંચો >

સૂર્યાપુર

સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

સૂર્યારાવ કૂટિકુપ્પલા

સૂર્યારાવ, કૂટિકુપ્પલા (જ. 10 ઑક્ટોબર, 1954, કિન્તાલી, જિ. શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી, પછી એમ.ડી. થયા. તબીબી વ્યવસાય સાથે સાહિત્યમાં ઝુકાવ્યું. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેઓ અંગ્રેજીમાં લખે છે. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સૂર્ય કિરણનલુ’ (1989), ‘જાબિલી જાવાબુ’ (1994),…

વધુ વાંચો >

સૂર્યાસાવિત્રી

સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…

વધુ વાંચો >

સૂર્યોત્કર્ષ (solar prominence)

સૂર્યોત્કર્ષ (solar prominence) : સૂર્યના તેજાવરણ (photosphere, સૂર્યનું દ્રવ્યબિંબ) ઉપર અવારનવાર સર્જાતી રાતા રંગની અગ્નિજ્વાળા જેવી રચના. અંગ્રેજીમાં આ prominence કહેવાય છે અને તેને ગુજરાતીમાં ‘સૂર્યોત્કર્ષ’ નામ અપાયું છે. આ રચનાઓ સામાન્ય સંયોગોમાં નરી આંખે, કે સૌર દૂરબીન દ્વારા પણ શ્વેત રંગના પ્રકાશ(continuum light)માં જોઈ શકાતી નથી; પરંતુ વર્ણપટની 6563…

વધુ વાંચો >

સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ

સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…

વધુ વાંચો >

સૃંજયો

સૃંજયો : વેદોના સમયની એક જાતિના લોકો. ઋગ્વેદમાં સૃંજયોને ત્રિસ્તુ જાતિના નજીકના સાથીઓ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ ત્રિસ્તુ જાતિની પડોશમાં, ઘણુંખરું પાંચાલમાં રહેતા હતા. તેમના એક રાજા દૈવવાટેે તુર્વસો અને વ્રિચિવંતો પર વિજય મેળવ્યો હતો. તુર્વસો અને ભરતો સૃંજયોના શત્રુઓ હતા. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં પણ સૃંજયો અને ત્રિસ્તુઓને સાથીઓ…

વધુ વાંચો >

સૅડલ રીફ્સ (Saddle Reefs)

Jan 28, 2008

સૅડલ રીફ્સ (Saddle Reefs) : બખોલ-પૂરણીનો એક પ્રકાર. જ્યારે સ્લેટ અને ક્વાર્ટઝાઇટ જેવા નરમ અને સખત (દૃઢ) ખડકસ્તરો એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તેમજ ગેડીકરણ પામેલા જોવા મળે ત્યારે તે નિર્દેશ કરે છે કે તેમના ગેડીકરણ દરમિયાન તેમણે દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસર ગ્રહણ કરી હોય છે; પરિણામે તેમના ઊર્ધ્વવાંકના…

વધુ વાંચો >

સૅડલર્સ વેલ્સ થિયેટર

Jan 28, 2008

સૅડલર્સ વેલ્સ થિયેટર : દક્ષિણ લંડનના જાણીતા થિયેટર ઓલ્ડવિકને સમાંતર ઉત્તર લંડનમાં આવેલું ઑપેરા અને બૅલે માટે સજ્જ પ્રખ્યાત થિયેટર. ત્રણ સૈકાનો એનો પ્રલંબ ઇતિહાસ છે, જેમાં અનેક તડકી-છાંયડી આ થિયેટરે જોઈ છે. 1683માં સૅડલર નામના સાહસિકે મનોરંજન માટે એક ઉદ્યાન બનાવ્યો, જ્યાં ગરમ પાણીનો ઝરો એને મળી આવ્યો હતો.…

વધુ વાંચો >

સૅડિસ જ્યૉર્જ

Jan 28, 2008

સૅડિસ, જ્યૉર્જ (જ. 2 માર્ચ 1578, યૉર્ક, ઇંગ્લૅન્ડ; અ. ? માર્ચ 1664, બૉક્સ્લી, ઍબી, કૅન્ટ) : અંગ્રેજ પ્રવાસી, કવિ અને વસાહતી (colonist). ‘હિરોઇક કપ્લેટ’ નામના છંદમાં વૈવિધ્ય દાખવનાર પ્રયોગશીલ કવિ. ‘રિલેશન ઑવ્ અ જર્ની’(1615)માં મધ્યપૂર્વના દેશોના પ્રવાસની નોંધ છે. સત્તરમી સદીમાં આ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ હતી. 1621-1625ના સમય દરમિયાન…

વધુ વાંચો >

સેતલવાડ અનંત

Jan 28, 2008

સેતલવાડ, અનંત (જ. 29 ઑગસ્ટ 1934, મુંબઈ) : આકાશવાણી પર અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપતા જાણીતા પૂર્વ કૉમેન્ટેટર. આખું નામ અનંત વી. સેતલવાડ. પિતાનું નામ વ્યંકટરાવ અને માતાનું નામ જશુમતી. તેઓ તેમની અસ્ખલિત, શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં ક્રિકેટ મૅચનું બૉલ-ટુ-બૉલ (દડાવાર) વિવરણ આપવા માટે લોકપ્રિય બન્યા હતા. તેમણે મુંબઈની ન્યૂ ઈરા…

વધુ વાંચો >