૨૩.૨૮
સૂર્યમુખીથી સેતલવાડ
સેઈ સમય (‘તે સમય’)
સેઈ સમય (‘તે સમય’) : પ્રસિદ્ધ બંગાળી કવિ અને નવલકથાકાર સુનીલ ગંગોપાધ્યાય(જ. 1934)ની નવલકથા. આ નવલકથા ‘દેશ’ સામયિકમાં પહેલાં ધારાવાહિક રૂપે અને પછી બે ભાગમાં – પહેલો ભાગ 1981માં અને બીજો ભાગ 1982માં – પ્રકટ થઈ છે. 1983નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર બીજા ભાગ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે…
વધુ વાંચો >સેઈં-ગૉદેન્સ ઑગસ્ટસ (Saint-Gaudens Augustus)
સેઈં-ગૉદેન્સ, ઑગસ્ટસ (Saint–Gaudens, Augustus) (જ. 1 માર્ચ, 1848, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ, 1907, કૉર્નિશ, યુનાઇટેડ સ્ટેટ્સ) : ઓગણીસમી સદીના અમેરિકાના અગ્રણી શિલ્પી. એમનાં શિલ્પ ભાવોદ્દીપન માટે જાણીતાં છે. ફ્રેન્ચ પિતા અને આઇરિશ માતાનું સંતાન ઑગસ્ટસ સેઈં-ગૉદેન્સને શિશુ-અવસ્થામાં જ ન્યૂયૉર્ક નગરમાં લઈ ગયા. તેર વરસની ઉંમરે સેઈં-ગૉદેન્સે આજીવિકા માટે પથ્થર…
વધુ વાંચો >સેઈં-સાયં કેમિલે – (Saint – Sv ns Canmille)
સેઈં-સાયં, કેમિલે – (Saint – Sv ns, Canmille) (જ. 9 ઑક્ટોબર 1835, પૅરિસ, ફ્રાંસ; અ. 16 ડિસેમ્બર 1921, અલ્જિયર્સ, અલ્જિરિયા) : સિમ્ફનિક પોએમ્સ રચવા માટે જાણીતા ફ્રેંચ સ્વરનિયોજક અને સંગીતકાર. પિયાનો અને ઑર્ગન વગાડવામાં તેઓ નિષ્ણાત હતા. કેમિલે સેઈં-સાયં બાળપણમાં સ્વયંશિક્ષણ વડે સેઈંએ સંગીતની સાધના આરંભી હતી. 1846માં અગિયાર વરસની…
વધુ વાંચો >સેઉબન્ધ (सेतुबन्ध)
સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે. પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને…
વધુ વાંચો >સેઉરા જૉર્જ (Seurat Georges)
સેઉરા, જૉર્જ (Seurat, Georges) (જ. 2 ડિસેમ્બર 1859, ફ્રાંસ; અ. 29 માર્ચ 1891) : નવપ્રભાવવાદ(Neo-Impressionism)ના સ્થાપક અને પ્રમુખ નવપ્રભાવવાદી આધુનિક ફ્રેંચ ચિત્રકાર. પૅરિસની પ્રતિષ્ઠિત કળાશાળા ઇકોલે દ બ્યુ આર્તે(Ecole des Beaux Arte)માં તેમણે 1875થી 1879 સુધી ચિત્રકાર હેન્રી લેહમાન પાસે ચિત્રકળાનો અભ્યાસ કર્યો. રંગદર્શી ચિત્રકાર દેલાક્રવા (Delacroix), બાર્બિઝોં (Barbizon) શૈલીનાં…
વધુ વાંચો >સેઉલ (Seoul)
સેઉલ (Seoul) : દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 37° 33′ ઉ. અ. અને 126° 58′ પૂ. રે. પર 606 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પીળા સમુદ્રથી પૂર્વ તરફ આશરે 32 કિમી. અંતરે હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. દુનિયાનાં મોટામાં મોટાં શહેરો…
વધુ વાંચો >સેક થૉમસ રૉબર્ટ (Cech Thomas Robert)
સેક, થૉમસ રૉબર્ટ (Cech, Thomas Robert) (જ. 8 ડિસેમ્બર 1947, શિકાગો) : ફક્ત આનુવંશિક (hereditary) અણુ મનાતા આર.એન.એ.(ribonucleic acid, RNA)ના ઉદ્દીપકીય (catalytic) કાર્યની શોધ બદલ 1989ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સહવિજેતા હતા સીડની ઓલ્ટમેન. સેક ગ્રિનેલ(આયોવા)ની ગ્રિનેલ યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1970માં બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ 1975માં તેમણે…
વધુ વાંચો >સૅક નેલી
સૅક નેલી (જ. 10 ડિસેમ્બર 1891, બર્લિન, જર્મની; અ. 12 મે 1970, સ્ટૉકહોમ, સ્વીડન) : જર્મન-યહૂદી કવયિત્રી અને નાટ્યકાર. પૂરું નામ નેલી લિયૉની સૅક. યહૂદી લેખક સૅમ્યુએલ યૉસેફ ઍગ્નોન સાથે 1966ના સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝનાં વિજેતા. તેમની ઉત્કૃષ્ટ, ઊર્મિસભર અને નાટ્યમય ચિત્તવેધક શૈલીએ ઇઝરાયલના પ્રારબ્ધને હૃદયદ્રાવક બાનીમાં વર્ણવ્યું છે. સેંકડો…
વધુ વાંચો >સેકેરમ
સેકેરમ : જુઓ શેરડી.
વધુ વાંચો >સેક્રિફાઇસ, ધ
સેક્રિફાઇસ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1986. ભાષા : સ્વીડિશ. રંગીન. નિર્માણસંસ્થા : ધ સ્વીડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ. દિગ્દર્શન, પટકથા : આન્દ્રેઈ તારકૉવસ્કી. છબિકલા : સ્વેન નાઇક્વિસ્ટ. મુખ્ય કલાકારો : એરલૅન્ડ જૉસેફસન, સુઝન ફ્લીટવૂડ, એલન એડવોલ, ગોરુન ગિસ્લાડોટ્ટીર, સ્વેન વૉલ્ટર, વેલેરી મેઇરેસી, ફિલિપા ફ્રાન્ઝેન. વિશ્વ-સિનેમામાં આન્દ્રેઈ તારકૉવસ્કીનાં ચિત્રો કથાના નિરૂપણની દૃષ્ટિએ…
વધુ વાંચો >સૂર્યમુખી
સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…
વધુ વાંચો >સૂર્યવર્ણાલેખક (spectroheliograph)
સૂર્યવર્ણાલેખક (spectroheliograph) : પૂર્વનિર્ધારિત ઉત્સર્જનરેખામાં પ્રકાશમાં સૂર્યના સંપૂર્ણ બિંબનું એકતરંગીય (monochromatic) પ્રતિબિંબ મેળવતું ઉપકરણ. સામાન્ય રીતે આવાં પ્રતિબિંબ સૂર્યના વર્ણપટની ફ્રૉનહોફર (fraunhofer) રેખાઓના પ્રકાશમાં મેળવવામાં આવે છે અને તે સૂર્યવર્ણાલેખક કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે ખાસ સૌર ટેલિસ્કોપ રચવાની શરૂઆત થઈ અને જ્યૉર્જ એલરી હેલ (George…
વધુ વાંચો >સૂર્યવંશ
સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…
વધુ વાંચો >સૂર્યાચન્દ્રમસૌ
સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…
વધુ વાંચો >સૂર્યાપુર
સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું.…
વધુ વાંચો >સૂર્યારાવ કૂટિકુપ્પલા
સૂર્યારાવ, કૂટિકુપ્પલા (જ. 10 ઑક્ટોબર, 1954, કિન્તાલી, જિ. શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી, પછી એમ.ડી. થયા. તબીબી વ્યવસાય સાથે સાહિત્યમાં ઝુકાવ્યું. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેઓ અંગ્રેજીમાં લખે છે. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સૂર્ય કિરણનલુ’ (1989), ‘જાબિલી જાવાબુ’ (1994),…
વધુ વાંચો >સૂર્યાસાવિત્રી
સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…
વધુ વાંચો >સૂર્યોત્કર્ષ (solar prominence)
સૂર્યોત્કર્ષ (solar prominence) : સૂર્યના તેજાવરણ (photosphere, સૂર્યનું દ્રવ્યબિંબ) ઉપર અવારનવાર સર્જાતી રાતા રંગની અગ્નિજ્વાળા જેવી રચના. અંગ્રેજીમાં આ prominence કહેવાય છે અને તેને ગુજરાતીમાં ‘સૂર્યોત્કર્ષ’ નામ અપાયું છે. આ રચનાઓ સામાન્ય સંયોગોમાં નરી આંખે, કે સૌર દૂરબીન દ્વારા પણ શ્વેત રંગના પ્રકાશ(continuum light)માં જોઈ શકાતી નથી; પરંતુ વર્ણપટની 6563…
વધુ વાંચો >સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ
સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…
વધુ વાંચો >સૃંજયો
સૃંજયો : વેદોના સમયની એક જાતિના લોકો. ઋગ્વેદમાં સૃંજયોને ત્રિસ્તુ જાતિના નજીકના સાથીઓ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ ત્રિસ્તુ જાતિની પડોશમાં, ઘણુંખરું પાંચાલમાં રહેતા હતા. તેમના એક રાજા દૈવવાટેે તુર્વસો અને વ્રિચિવંતો પર વિજય મેળવ્યો હતો. તુર્વસો અને ભરતો સૃંજયોના શત્રુઓ હતા. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં પણ સૃંજયો અને ત્રિસ્તુઓને સાથીઓ…
વધુ વાંચો >