૨૨.૧૩

સરસવથી સરોજપાલ, ગોગી

સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી)

સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી) (જ. 15 જૂન 1918, નરસપુર, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘સ્વર્ણકમલુળુ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનાં બાળપણમાં લગ્ન થયેલાં. લગ્ન બાદ મૅટ્રિક થયાં, પછી વધુ અભ્યાસ કરી ન શક્યાં; પરંતુ તેલુગુ અને અંગ્રેજીની…

વધુ વાંચો >

સરસ્વતીપુરાણ

સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ…

વધુ વાંચો >

સરસ્વતી રામનાથ (શ્રીમતી)

સરસ્વતી રામનાથ (શ્રીમતી) (જ. 7 સપ્ટેમ્બર 1925, કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી હિંદીમાં ‘વિદ્વાન’; ડી. વી. હિંદી પ્રચારસભામાંથી ‘પ્રવીણ’ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેમણે અત્યાર સુધીમાં 140 ગ્રંથો આપ્યા છે. તમિળમાં : ‘ભારત નાટ્ટુ અરુકાલિન કથાઈ’  5 ભાગમાં ભારતની નદીઓ પરનો ગ્રંથ, ‘ઇન્ડિયા માનિલાંગલ’ ભારતીય રાજ્યો…

વધુ વાંચો >

સરહદ સલામતી દળ (Border Security Force – BSF)

સરહદ સલામતી દળ (Border Security Force – BSF) : ભારતની આંતરિક સુરક્ષા જાળવવા માટે ઊભા કરવામાં આવેલા સશસ્ત્ર દળોમાંનું એક દળ. ડિસેમ્બર 1965માં તેની શરૂઆત થયેલી. આ દળને ભારતની સરહદોની સુરક્ષાનું વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેની ચાર મુખ્ય ફરજો છે : (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના…

વધુ વાંચો >

સરહદી, ઝિયા

સરહદી, ઝિયા (જ. 20 ફેબ્રુઆરી 1914, પેશાવર, હાલ પાકિસ્તાન) : ચલચિત્રસર્જક, લેખક, ગીતકાર. તેમણે કથા-પટકથા-સંવાદ અને ગીતો પણ લખ્યા. પોતાની કળા મારફત લોકોને અને સમાજને કંઈક આપતા રહેવાની, તેમનામાં જાગરૂકતા આણવાની ખેવના ધરાવતા ઝિયા સરહદી તેમની કારકિર્દીના મધ્યાહ્ને જ ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા. તેમની ડાબેરી વિચારસરણીએ ભારતમાં તેમને અભિવ્યક્તિની…

વધુ વાંચો >

સરહિંદી નાસિર અલી

સરહિંદી નાસિર અલી (જ. ? ; અ. 1696-97) : ફારસી કવિ. પૂરું નામ નાસિર અલી ઇબ્ન રજબઅલી; ‘અલી’ ઉપનામ હતું. તેઓ ઉચ્ચ કોટિના ફારસી કવિ હતા. તેમનું વતન લાહોર હતું, પરંતુ ઉત્તર પ્રદેશના સરહિંદમાં સમગ્ર જીવન પસાર કર્યું હતું. તેઓ સરહિંદના નવાબ સૈફખાન અને નવાબ ઝુલફિકારખાન સાથે રહ્યા હતા, છતાં…

વધુ વાંચો >

સરળ આવર્તગતિ

સરળ આવર્તગતિ : સુરેખ ગતિ રેખાપથ ઉપર નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવું પુન:સ્થાપક બળ લગાડેલા પદાર્થની ગતિ. આવી (simple harmonic motion, SHM) ગતિમાં પદાર્થ સમતોલનબિંદુની આસપાસ પ્રણોદિત (forced) દોલનો કરે છે, જેથી કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગ નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. સમય સાથે જ્યાવક્રીય…

વધુ વાંચો >

સરાઇકેલા

સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ…

વધુ વાંચો >

સરાઈ

સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું…

વધુ વાંચો >

સરાણિયા

સરાણિયા : જુઓ પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

સરસવ

Jan 13, 2007

સરસવ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી.…

વધુ વાંચો >

સરસ્વતી (દેવી)

Jan 13, 2007

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…

વધુ વાંચો >

સરસ્વતી (નદી)

Jan 13, 2007

સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…

વધુ વાંચો >

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)

Jan 13, 2007

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની…

વધુ વાંચો >

સરસ્વતી (સામયિક) (1890)

Jan 13, 2007

સરસ્વતી (સામયિક) (1890) : સિંધી સાહિત્યના પ્રકાશનનો ધારાવાહિક રૂપે પાયો નાખનાર સામયિક. અંગ્રેજ સરકારના શિક્ષણ ખાતા તરફથી સિંધમાં પત્રકારત્વના પ્રારંભિક કાળમાં ‘સિંધસુધાર’ નામના સાપ્તહિકનો પ્રારંભ થયો હતો. તેમાં શૈક્ષણિક બાબતો ઉપરાંત અન્ય સરકારી કામગીરી પ્રગટ કરાતી. તે સમયે ‘સુધારસભા’ નામે પ્રબુદ્ધ ગણની એક સંસ્થા સ્થપાઈ. તેણે અંગ્રેજીમાં ‘સિંધ ટાઇમ્સ’ નામક…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-1

Jan 13, 2007

સરસ્વતીકંઠાભરણ-1 : સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય ભોજરાજાએ લખ્યું હોવાથી તેનું બીજું નામ ‘ભોજવ્યાકરણ’ એવું છે. આ ગ્રંથ પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે રચવામાં આવ્યો છે તેથી તેની જેમ તેમાં આઠ અધ્યાયો અને 32 પાદો છે. તેમાં 6,370 સૂત્રો આચાર્ય ભોજે આપ્યાં છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં 4,000થી ઓછાં સૂત્રો છે અને ભોજે 6,370…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-૨

Jan 13, 2007

સરસ્વતીકંઠાભરણ-2 : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આચાર્ય ભોજ તેના રચયિતા છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદોનો બનેલો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યવ્યાખ્યા, કાવ્યના પ્રકારો આરંભમાં રજૂ થયાં છે. એ પછી 16 પદના, 16 વાક્યના અને 16 અર્થના દોષોની ચર્ચા આપી છે. અંતે 24 શબ્દના અને 24 અર્થના ગુણો ચર્ચવામાં આવ્યા છે. બીજા…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર

Jan 13, 2007

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર (ચલચિત્ર)

Jan 13, 2007

સરસ્વતીચંદ્ર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1968. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : સર્વોદય પિક્ચર્સ. નિર્માતા-દિગ્દર્શક : ગોવિંદ સરૈયા. કથા : ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની મહાનવલ પર આધારિત. પટકથા : વ્રજેન્દ્ર ગૌડ. સંવાદ : અલી રઝા. ગીતકાર : ઇન્દીવર. છબિકલા : નરીમાન ઈરાની. સંગીત : કલ્યાણજી-આણંદજી. મુખ્ય કલાકારો : નૂતન,…

વધુ વાંચો >

સરસ્વતીદેવી

Jan 13, 2007

સરસ્વતીદેવી (જ. 1912, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1980) : સંગીત-નિર્દેશિકા. હિંદી ચલચિત્રોનાં પ્રથમ મહિલા સંગીતકાર સરસ્વતીદેવીનું ખરું નામ ખુરશીદ મિનોચા હોમજી હતું. ચલચિત્રોમાં પોતાના સમાજની મહિલા સંગીત આપે તે પારસી સમાજ સહન કરી શકે તેમ નહોતો. તેમ છતાં તમામ વિરોધોનો સામનો કરીને સંગીત પ્રત્યે સમર્પિત સરસ્વતીદેવીએ પોતાની સંગીતસાધના જારી રાખી.…

વધુ વાંચો >