૧.૩૬

આત્મારામ ભૂખણથી આદિવાસી સમાજ

આત્મારામ ભૂખણ

આત્મારામ ભૂખણ : સત્તરમા સૈકાના અંતમાં સૂરતમાં શરૂ થયેલી શરાફી પેઢી. આ પેઢીના સ્થાપક વનમાળીદાસ મૂળ અમદાવાદના હતા, પણ સત્તરમા સૈકામાં સૂરત બંદર અને નગર વ્યાપારી અને શરાફી પ્રવૃત્તિઓથી ધબકતું હોઈ વનમાળીદાસે અમદાવાદથી સૂરતમાં સ્થળાંતર કર્યું હોવાનો સંભવ છે. વનમાળીદાસ, આત્મારામ, આત્મારામના બે પુત્રો : દયારામ અને ઝવેરચંદ, ઝવેરચંદના પુત્ર…

વધુ વાંચો >

આત્રેય

આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે…

વધુ વાંચો >

આત્રેય પુનર્વસુ

આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે…

વધુ વાંચો >

આથવણ

આથવણ (fermentation) : અજારક અથવા અવાયુક (anerobic) ઉપચયન (oxidation)અપચયન (reduction) પ્રક્રિયાઓ. સજીવોના શ્વસન સાથે સંકળાયેલી આ પ્રક્રિયાઓ, કાર્બોહાઇડ્રેટના વિઘટનથી શરીરની જાળવણી તથા વૃદ્ધિ માટે આવશ્યક કાર્ય-ઊર્જા (working energy) પૂરી પાડે છે. આથવણની પ્રક્રિયા દસેક હજાર વર્ષોથી જાણીતી છે. દ્રાક્ષ અને અન્ય શર્કરાયુક્ત પદાર્થોમાંથી મદ્યયુક્ત પીણાં (alcoholic drinks), સરકો (vinegar) વગેરે…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

આદમ્સ, જૉન કાઉચ (જ. 5 જાન્યુઆરી 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આદમ્સ બ્રિજ

આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો…

વધુ વાંચો >

આદર્શવાદ

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

આદર્શ વાયુ

આદર્શ વાયુ (perfect/ideal gas) : સામાન્ય વાયુ નિયમ, PV = KT પ્રમાણે વર્તનાર વાયુ. આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. દબાણ, કદ તથા નિરપેક્ષ તાપમાનના ફેરફાર દરમિયાન વાયુની સ્થૂળ વર્તણૂક સમજાવવા માટે તે પૂરતું છે. આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય, જ્યાં વાયુના જથ્થાને મોલમાં…

વધુ વાંચો >

આદવન, સુંદરમ્

આદવન, સુંદરમ્ (જ. 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી…

વધુ વાંચો >

આદાન-પ્રદાન-વિશ્લેષણ

આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના…

વધુ વાંચો >

આદિ પર્યાવરણ

Feb 5, 1989

આદિ પર્યાવરણ (primitive environment) : કરોડો વર્ષ પૂર્વનું પૃથ્વીનું પર્યાવરણ. સજીવોના જીવન અને વિકાસ ઉપર પ્રભાવ પાડતી બાહ્ય પરિસ્થિતિ (external conditions) અને અસરો(influences)નો સરવાળો એટલે પર્યાવરણ. પર્યાવરણમાં આબોહવા(climate)નો અભ્યાસ સમાવિષ્ટ છે. બાહ્ય પરિબળોના અભ્યાસ માટેનાં ઉપકરણો (equipment/instruments) તો છેલ્લાં સો-દોઢ સો વર્ષમાં જ શોધાયાં અને ઉપયોગમાં આવ્યાં છે. પૃથ્વીની ઉત્પત્તિને…

વધુ વાંચો >

આદિપુરાણ

Feb 5, 1989

આદિપુરાણ : પ્રાચીન કન્નડ મહાકાવ્ય (ઈ. સ. દસમી સદી). કન્નડના આદિકવિ પંપે (940 ઈ. સ.) બે કાવ્યો લખ્યાં છે, એક ધાર્મિક અને બીજું લૌકિક. આદિપુરાણ ધાર્મિક કાવ્ય છે, જે ચંપૂશૈલીમાં રચાયું છે. એમને આ ગ્રંથ લખવાની પ્રેરણા જિનસેનાચાર્યના સંસ્કૃત ગ્રંથ ‘પૂર્વપુરાણ’માંથી મળી હતી. એમાં જૈનોના પ્રથમ તીર્થંકરની કથા નિરૂપાયેલી છે.…

વધુ વાંચો >

આદિમ જૂથો

Feb 5, 1989

આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે…

વધુ વાંચો >

આદિમતાવાદ

Feb 5, 1989

આદિમતાવાદ (primitivism) (ચિત્રકળા) : રેનેસાં પૂર્વેની કળાશૈલી જેવી લાક્ષણિકતાઓ ધરાવતો આધુનિક કળાનો એક મહત્ત્વનો અભિગમ. સમયની સાથે સાથે, સંસ્કૃતિના વિકાસ સાથે કળાનો પણ વિકાસ થતો જાય છે એ માન્યતાનું આ વાદ નિરસન કરે છે. બાળકળા, આદિવાસી કળા, લોકકળા અને પ્રાગૈતિહાસિક સમયની કળા જ સાચી કળા છે તેમ માની પ્રિમિટિવિઝમના અનુયાયી…

વધુ વાંચો >

આદિમતાવાદ (સાહિત્ય)

Feb 5, 1989

આદિમતાવાદ (સાહિત્ય) : માનવચિત્તનું એક વિલક્ષણ પ્રવર્તન. જે સાહિત્યમાં તે પ્રગટ થાય તે સાહિત્યને આદિમતાવાદી સાહિત્ય કહી શકાય. પશ્ચિમમાં તો છેક અઢારમી સદીથી સાહિત્ય અને કલામાં આદિમતાવાદનું નિરૂપણ અને વિચારણા થતાં આવ્યાં છે. જે. જે. રૂસોએ નિસર્ગમાનવની વિભાવના દ્વારા સંસ્કૃતિસર્જિત અનિષ્ટોનો વિરોધ શરૂ કર્યો, એથી એને ‘ફ્રેન્ચ આદિમતાવાદના પિતા’નું બિરુદ…

વધુ વાંચો >

આદિમ પ્રતિરૂપ

Feb 5, 1989

આદિમ પ્રતિરૂપ (primitive archetype) : પરાપૂર્વથી ચાલ્યો આવતો કોઈ મૌલિક કે લાક્ષણિક કે આદર્શરૂપ નમૂનો અથવા આદિમ કાળે સૌપ્રથમ ઝિલાયેલી કોઈ મૂળ પ્રતિકૃતિ. આનો વિશેષ સંદર્ભ તો પાશ્ચાત્ય મનોવિજ્ઞાની યુંગના મનોવિશ્લેષણ સાથે સંકળાયેલો છે. માનવમનની લાક્ષણિકતા દર્શાવતાં તેમણે નોંધ્યું છે કે આ પ્રકારના પ્રતિરૂપની પ્રબળ છાપ, સમૂહગત અબોધ મન મારફત…

વધુ વાંચો >

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય

Feb 5, 1989

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય : આદિવાસી જીવનશૈલીનું સંગ્રહાલય. આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો. ભારતમાં અનેક જગ્યાએ આ સંગ્રહાલયો વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા લુપ્ત થતી જાય છે. તેમનાં રહેઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી…

વધુ વાંચો >

આદિવાસી સમાજ

Feb 5, 1989

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >