૧.૩૬

આત્મારામ ભૂખણથી આદિવાસી સમાજ

આદિ કવિ વાલ્મીકિ

આદિ કવિ વાલ્મીકિ : કન્નડ વિવેચનગ્રંથ. લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા મસ્તિ વ્યંકટેશ આયર (1891). એમાં રામાયણના રચયિતા આદિ કવિ વાલ્મીકિના વ્યક્તિત્વ અને કર્તૃત્વનું રસપ્રદ વિવેચન થયું છે. લેખકે એમાં સાબિત કર્યું છે કે રામાયણ પ્રથમ કાવ્ય છે, પછી ધાર્મિક ગ્રંથ. પછી રામાયણનું ક્ષેત્ર કેમ મર્યાદિત થતું ગયું, તેની ચર્ચા કરતાં તેઓ…

વધુ વાંચો >

આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો

આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો : પ્રજા-જાતિ (શાસક) (પ્રદેશ) (સમય ઈ. સ. પૂર્વે) આદિ ઇરાની સાયરસ બલૂચિસ્તાન થઈ 558-530 કાબુલ-ગાંધાર-સિંધ 518 ગ્રીક (યવનો ઍલેક્ઝાન્ડર સિંધુથી બિયાસ(વિપાસા) 327 સેલ્યુકસ સિંધુ પટ 305 (બૅક્ટ્રિયન) ડિમેટ્રિયસ(દિમિત્ર) (શાકલ-શિયાલકોટથી 190-165 મિનેન્ડર (મિલિન્દ) અયોધ્યા સુધી) 115-90 સિથિયન (શકો) રાજ્યપાલો બૅક્ટ્રિયાથી ઈરાન થઈ 80 ભારતમાંના ગ્રીકશાસનો પર ચડાઈ…

વધુ વાંચો >

આદિકોષકેન્દ્રી

આદિકોષકેન્દ્રી (procaryote) : કોષકેન્દ્ર-ઘટક વગરનાં પરંતુ કોષરસમાં જેનાં રાસાયણિક તત્વો વેરવિખેર હોય તેવાં પ્રાથમિક અવસ્થાનાં સજીવો. જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેને આંતરઅવસ્થા કોષ (interphase cell) કહે છે. દરેક કોષ આંતરઅવસ્થા દરમિયાન તેમાં વિશિષ્ટ અંગિકા ધરાવે છે. તેને કોષકેન્દ્ર કહે છે. તે સર્વે વનસ્પતિ અને પ્રાણીકોષોમાં સ્વતંત્ર ઘટક…

વધુ વાંચો >

આદિ ગ્રંથ

આદિ ગ્રંથ : જુઓ, ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

વધુ વાંચો >

આદિજાતિ

આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે…

વધુ વાંચો >

આદિત્ય ટોકામેક

આદિત્ય ટોકામેક : સૂર્યમાંથી મળે છે તેમ, ન્યૂક્લિયર સંગલન ઊર્જા મેળવવા માટેનું એક આશાસ્પદ ઉપકરણ. પ્રચંડ ઊર્જાના સ્રોત સમા આદિત્ય (સૂર્ય) ઉપરથી ઓળખાતું આ ઉપકરણ તાપ ન્યૂક્લિયર સંગલન(thermonuclear fusion)ના સિદ્ધાંત ઉપર રચવામાં આવેલું છે. સૂર્યની પ્રચંડ ઊર્જા વિશે ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્ર દ્વારા એવી સમજૂતી આપવામાં આવેલી છે કે સૂર્યના અતિ ઊંચા…

વધુ વાંચો >

આદિત્યરામ વૈકુંઠરામ

આદિત્યરામ વૈકુંઠરામ (જ. 1763, જૂનાગઢ; અ. 1824) : પ્રસિદ્ધ સંગીતકાર. પિતા વૈંકુઠરામ સંસ્કૃતના વિદ્વાન અને કવિતા રચે, સંગીતના પણ શોખીન. પિતાએ આદિત્યરામને સંગીતનું શિક્ષણ આપ્યું. કિશોર આદિત્યરામે જૂનાગઢના નવાબ બહાદુરખાન સમક્ષ ગાઈને તેમની પાસેથી ઇનામ મેળવ્યું હતું. ગીરના કોઈ સિદ્ધ યોગીએ તેમને મૃદંગવાદન શીખવ્યું હતું. તેમણે ખયાલ તથા ગાયનની તાલીમ…

વધુ વાંચો >

આદિત્ય સંપ્રદાય

આદિત્ય સંપ્રદાય : જુઓ યજુર્વેદ.

વધુ વાંચો >

આદિત્યસેન

આદિત્યસેન : મગધના ઉત્તરકાલીન ગુપ્તોમાં 672માં થયેલો સંભવત: છેલ્લો ગુપ્ત રાજા. તેણે પોતાની પુત્રી મૌખરી ભોગવર્મા વેરે અને દૌહિત્રીને નેપાળના રાજા શિવદેવ વેરે પરણાવેલી. તે પોતાને ‘મહારાજાધિરાજ’ કહેવડાવતો. દેવગઢ(સંતાલ પરગણા)ના એક મંદિર-લેખમાં તેણે ચોળદેશ જીત્યાનો અને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ છે. તેની રાણી કોણદેવીએ અનેક પુણ્યકાર્યો કર્યાં હતાં. પ્રવીણચંદ્ર…

વધુ વાંચો >

આદિત્યાણા

આદિત્યાણા : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતા નગર રાણાવાવથી લગભગ 3 કિમી. દૂર આવેલું ગામ. અહીંના આજુબાજુના પ્રદેશમાંથી સફેદ ઇમારતી પથ્થરો તેમજ ચૂનાના પથ્થરો પ્રાપ્ત થતા હોવાથી ખડકસંપત્તિને કારણે આ ગામ વિકસ્યું છે. વસ્તી : 15,634 (1991). તેની આસપાસનો સમૃદ્ધ ખેત અને ખનિજપ્રદેશ સમગ્ર જિલ્લામાં વિખ્યાત છે. ખાસ…

વધુ વાંચો >

આત્મારામ ભૂખણ

Feb 5, 1989

આત્મારામ ભૂખણ : સત્તરમા સૈકાના અંતમાં સૂરતમાં શરૂ થયેલી શરાફી પેઢી. આ પેઢીના સ્થાપક વનમાળીદાસ મૂળ અમદાવાદના હતા, પણ સત્તરમા સૈકામાં સૂરત બંદર અને નગર વ્યાપારી અને શરાફી પ્રવૃત્તિઓથી ધબકતું હોઈ વનમાળીદાસે અમદાવાદથી સૂરતમાં સ્થળાંતર કર્યું હોવાનો સંભવ છે. વનમાળીદાસ, આત્મારામ, આત્મારામના બે પુત્રો : દયારામ અને ઝવેરચંદ, ઝવેરચંદના પુત્ર…

વધુ વાંચો >

આત્રેય

Feb 5, 1989

આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે…

વધુ વાંચો >

આત્રેય પુનર્વસુ

Feb 5, 1989

આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે…

વધુ વાંચો >

આથવણ

Feb 5, 1989

આથવણ (fermentation) : અજારક અથવા અવાયુક (anerobic) ઉપચયન (oxidation)અપચયન (reduction) પ્રક્રિયાઓ. સજીવોના શ્વસન સાથે સંકળાયેલી આ પ્રક્રિયાઓ, કાર્બોહાઇડ્રેટના વિઘટનથી શરીરની જાળવણી તથા વૃદ્ધિ માટે આવશ્યક કાર્ય-ઊર્જા (working energy) પૂરી પાડે છે. આથવણની પ્રક્રિયા દસેક હજાર વર્ષોથી જાણીતી છે. દ્રાક્ષ અને અન્ય શર્કરાયુક્ત પદાર્થોમાંથી મદ્યયુક્ત પીણાં (alcoholic drinks), સરકો (vinegar) વગેરે…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

Feb 5, 1989

આદમ્સ, જૉન કાઉચ (જ. 5 જાન્યુઆરી 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આદમ્સ બ્રિજ

Feb 5, 1989

આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો…

વધુ વાંચો >

આદર્શવાદ

Feb 5, 1989

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

આદર્શ વાયુ

Feb 5, 1989

આદર્શ વાયુ (perfect/ideal gas) : સામાન્ય વાયુ નિયમ, PV = KT પ્રમાણે વર્તનાર વાયુ. આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. દબાણ, કદ તથા નિરપેક્ષ તાપમાનના ફેરફાર દરમિયાન વાયુની સ્થૂળ વર્તણૂક સમજાવવા માટે તે પૂરતું છે. આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય, જ્યાં વાયુના જથ્થાને મોલમાં…

વધુ વાંચો >

આદવન, સુંદરમ્

Feb 5, 1989

આદવન, સુંદરમ્ (જ. 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી…

વધુ વાંચો >

આદાન-પ્રદાન-વિશ્લેષણ

Feb 5, 1989

આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના…

વધુ વાંચો >