આદિત્યસેન : મગધના ઉત્તરકાલીન ગુપ્તોમાં 672માં થયેલો સંભવત: છેલ્લો ગુપ્ત રાજા. તેણે પોતાની પુત્રી મૌખરી ભોગવર્મા વેરે અને દૌહિત્રીને નેપાળના રાજા શિવદેવ વેરે પરણાવેલી. તે પોતાને ‘મહારાજાધિરાજ’ કહેવડાવતો. દેવગઢ(સંતાલ પરગણા)ના એક મંદિર-લેખમાં તેણે ચોળદેશ જીત્યાનો અને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ છે. તેની રાણી કોણદેવીએ અનેક પુણ્યકાર્યો કર્યાં હતાં.

પ્રવીણચંદ્ર પરીખ