૧.૩૫

આઝમખાનની સરાઈથી આત્માનંદ

આઝમખાનની સરાઈ

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…

વધુ વાંચો >

આઝમગઢ

આઝમગઢ : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન 260 04´ ઉ. અ. અને 830 11´ પૂ. રે.  વિસ્તાર : 4,214 ચોકિમી. વસ્તી : જિલ્લાની 31,48,830; શહેરની 66,523 (1991). આઝમગઢ જિલ્લો ઉત્તર પ્રદેશના 57 જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. શહેર ઘાઘરા નદીની ઉપનદી…

વધુ વાંચો >

આઝમ, બાબર

આઝમ, બાબર (જ. 15 ઑક્ટોબર 1994, લાહોર) : પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર. પિતાનું નામ સિદિક આઝમ. ક્રિકેટના વાતાવરણ વચ્ચે પરવરીશ પામેલ બાબર આઝમને ખૂબ જ નાની વયે લાહોરની ક્રિકેટ એકૅડેમીમાં મૂક્યો હતો. તેના બે પિતરાઈ ભાઈઓ કામરાન અકમલ અને ઉમર અકમલ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી ચૂક્યા હતા. પરિણામે ક્રિકેટનું શરૂઆતનું શિક્ષણ…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >

આઝમી, કૈફી

આઝમી, કૈફી (જ. 14 જાન્યુઆરી 1919, આઝમગઢ, ઉત્તરપ્રદેશ, અ. 10 મે 2002, મુંબઈ) : ફિલ્મગીતકાર અને પટકથાલેખક. મૂળ નામ : અખ્તર હુસૈન રિઝવી. 1942ના ‘ભારત છોડો’ આંદોલન સમયે ફારસી અને ઉર્દૂનો અભ્યાસ છોડી દીધો. માર્કસવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ તેમાં સક્રિય બન્યા. 1945માં મુંબઈ આવ્યા અને શ્રમિક સંઘના કાર્યકર બન્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

આઝમી, શબાના

આઝમી, શબાના (જ. 18 સપ્ટેમ્બર, 1950 હૈદરાબાદ (હાલનું તેલંગાણા)) : ભારતીય ચલચિત્રનાં વિખ્યાત અભિનેત્રી, સંસદ સભ્ય તથા જનહિતકાર્યો પ્રત્યે સક્રિય અભિરુચિ ધરાવતાં સમાજસેવિકા. જાણીતા ઉર્દૂ શાયર અને સમાજવાદનાં હિમાયતી કૈફી આઝમી તથા ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA)નાં કલાકાર શૌકત આઝમીનાં પુત્રી. લખનૌ વિશ્વવિદ્યાલયમાંથી બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા…

વધુ વાંચો >

આઝરબૈજાન

આઝરબૈજાન : રશિયામાંથી છૂટાં પડેલાં રાજ્યોમાંથી બનેલો દેશ. જે પ્રજાસત્તાક આઝરબૈજાન તરીકે ઓળખાય છે. ભૌ.સ્થાન 38° ઉ.અ. થી 42 ઉ.અ. અને 44° પૂ.રે. થી 51° પૂ.રે.ની વચ્ચે આવેલો છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે આવેલો છે. આ દેશની લંબાઈ ભૂમિ સીમાની લંબાઈ 2,648 કિમી. છે. પશ્ચિમે આર્મેનિયા (1,007 કિમી.),…

વધુ વાંચો >

આઝાદ, અબુલ કલામ (મૌલાના)

આઝાદ, અબુલ કલામ (મૌલાના) (જ. 11 નવેમ્બર 1888, મક્કા, સાઉદી અરેબિયા; અ. 22 ફેબ્રુઆરી 1958, દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસનેતા તથા પ્રમુખ; પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન. મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા મોહિયુદ્દીન એહમદે પોતાને માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું…

વધુ વાંચો >

આઝાદ, અવતારસિંઘ

આઝાદ, અવતારસિંઘ (જ.  ડિસેમ્બર 1906; અ. 31 મે 1972) : પંજાબી કવિ. વ્યવસાયે પત્રકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે બ્રિટિશ જેલોમાં સજા ભોગવેલી. તેમણે કાવ્યોના કુલ 10 સંગ્રહો (‘વિશ્વવેદના’ – 1941, ‘સોન સવેરા’ – 1945, ‘સોન શીખરાન’ – 1958) આપ્યા છે. ઉમર ખય્યામના ‘ખૈયામ ખુમારી’, ગુરુ ગોવિંદસિંહના ‘ઝફરનામા’ અને…

વધુ વાંચો >

આઝાદ કાશ્મીર

આઝાદ કાશ્મીર : આક્રમણ દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ. આઝાદ કાશ્મીર હિમાલય પર્વતમાળામાં લગભગ મધ્ય વાયવ્યમાં આવેલો ભાગ છે. કારાકોરમ પર્વતમાળા અને ઘાટ આઝાદ કાશ્મીરમાં છે. આ પર્વતમાળામાં આવેલ ગૉડ્વિન ઑસ્ટિન શિખર અથવા કે – ટુ 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે. 7,200 મીટરની ઊંચાઈ ધરાવતાં…

વધુ વાંચો >

આડી, એન્ડ્રે

Feb 4, 1989

આડી, એન્ડ્રે (જ. 22 નવેમ્બર 1877; ઍર્મિન્ઝેન્ટા, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, ગુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના વીસમી સદીના સૌથી મહાન ઊર્મિકવિ. શાળા છોડ્યા બાદ થોડો સમય કાયદાનો અભ્યાસ કરેલો. 1899માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વર્સેક’ પ્રગટ થયો હતો. 1900થી મૃત્યુ પર્યંત પત્રકાર તરીકે કામ કરેલું. 1915માં તેમનું લગ્ન બર્થા બોન્ઝા સાથે…

વધુ વાંચો >

આણદાબાવા સેવા સંસ્થાન

Feb 4, 1989

આણદાબાવા સેવા સંસ્થાન : ગરીબો અને અનાથોની સેવા કરનારી જામનગરની જૂનામાં જૂની સંસ્થા. તેની સ્થાપના આણદાબાવા નામના સંતે ઈ. સ. 1691માં કરી હતી. મૂળમાં સૌરાષ્ટ્રમાં ધોરાજીના સોની જ્ઞાતિમાં થયેલા આણદાજીને નાનપણથી દરિદ્રોની સેવા કરવાની લગની લાગી હતી. ઉરમાં વૈરાગ્ય વધતાં તેઓ ઘર છોડીને હરસિદ્ધ-માતાના સ્થાનકમાં જઈ આત્મચિંતન કરતા રહ્યા. કોઈ…

વધુ વાંચો >

આણંદ

Feb 4, 1989

આણંદ : ગુજરાત રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આ શહેર અમદાવાદથી આશરે 65 કિમી. દક્ષિણે આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે ખેડા, પૂર્વે વડોદરા, દક્ષિણે ભરૂચ, પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓ અને નૈર્ઋત્યમાં ખંભાતનો…

વધુ વાંચો >

આણંદજી કલ્યાણજીની પેઢી

Feb 4, 1989

આણંદજી કલ્યાણજીની પેઢી : અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિરૂપ આ સંસ્થા તીર્થરક્ષાર્થે ઉદભવેલી. પાલીતાણાના પ્રાચીન જૈન શત્રુંજયગિરિતીર્થનો વહીવટ અમદાવાદમાં કેન્દ્રિત થયો તેમાંથી પેઢીનો જન્મ થયો. એનાં નામઘટક પદો કેવળ ધ્યેયસૂચક છે, વ્યક્તિસૂચક નહિ. આ લબ્ધપ્રતિષ્ઠ પેઢીને વીસમી સદીમાં બીજાં તીર્થો પણ સોંપાયાં. ગુજરાતનાં તારંગા, કુંભારિયાજી, ગિરનાર, શેરીસા; મધ્યપ્રદેશનું મક્ષીજી;…

વધુ વાંચો >

આણંદસુંદરી

Feb 4, 1989

આણંદસુંદરી : ઘનશ્યામ (જ. 1700; અ. 1750) નામના કવિએ લખેલું પ્રાકૃત સટ્ટક (નાટક). તે 4 અંકોની પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટિકા છે. આ સટ્ટક 22 વર્ષની વયે કવિ ઘનશ્યામે રચ્યું છે. આરંભમાં નાંદી અને પ્રસ્તાવના બાદ પ્રથમ જવનિકાન્તરના મુખ્ય દૃશ્યમાં શિખંડચંદ્ર નામનો રાજા સિંધુદુર્ગના વિભંડક નામના રાજાએ ખંડણી ન આપતાં પોતાના…

વધુ વાંચો >

આણ્ડાલ

Feb 4, 1989

આણ્ડાલ (ઈ. સ. આઠમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવયિત્રી. તમિળના વૈષ્ણવભક્ત કવિઓ જે આળવારના નામથી ઓળખાતા હતા, તેમાં આણ્ડાલ એકમાત્ર સ્ત્રી-કવિ છે. એક મત અનુસાર એ પેરિયાળવારની પાલિતપુત્રી હતી, તો બીજા કેટલાક વિદ્વાનોના મત અનુસાર એ પેરિયાળવારની કલ્પનાસૃષ્ટિનું પાત્ર હતી. આણ્ડાલનાં અન્ય નામો છે, કોહૈ અથવા ગોદા; શૂડિક્કોડુત્ત નચ્ચિયાર વગેરે.…

વધુ વાંચો >

આતંકવાદ

Feb 4, 1989

આતંકવાદ : મુખ્યત્વે રાજકીય અથવા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા વ્યક્તિઓ, સમગ્ર પ્રજા અને સરકારો સામે અકલ્પ્ય હિંસાની જિકર. તેનો ઉપયોગ ડાબેરી કે જમણેરી બંને વિચારસરણીવાળાં રાજકીય સંગઠનો, રાષ્ટ્રવાદી અને વંશગત જૂથો, ક્રાંતિકારીઓ, લશ્કર અને સરકારની ખાનગી પોલીસ દ્વારા પણ થતો રહ્યો છે. આતંક વ્યક્તિઓ કે તેમનાં જૂથમાં ભય કે ચિંતાની…

વધુ વાંચો >

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન

Feb 4, 1989

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન (psychology of terrorists) : આતંકવાદી પ્રવૃત્તિ આચરનાર વ્યક્તિ કે જૂથના મનોવ્યાપારનું વિશ્લેષણ. બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસનો વ્યવસ્થિત રીતે આશ્રય લઈ મુખ્યત્વે રાજકીય હેતુ સિદ્ધ કરવાનો કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તેને આતંકવાદી કહી શકાય. આતંકવાદીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઠંડા કલેજે બૉમ્બ ફેંકે છે,…

વધુ વાંચો >

આતા ગોપાલ

Feb 4, 1989

આતા ગોપાલ (જ. 1540, નઝીરા, અસમ; અ. 1 જાન્યુઆરી 1611) : મધ્યકાલીન અસમિયા કવિ. એક મત અનુસાર આતા ગોપાલનો જન્મ 1533માં થયો હતો. જન્મ પછી એમનું કુટુંબ નઝીરામાં કાયમી વસવાટ માટે ગયેલું પણ ત્યાંથી એ લોકો કામરૂપમાં આવેલા ભવાનીપુરમાં ગયા. ત્યાંના પ્રસિદ્ધ કોચરાજા નરનારાયણે એમને રાજ્યના મુખ્ય વહીવટી અધિકારી તરીકે…

વધુ વાંચો >

આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા

Feb 4, 1989

આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા (જ. 1881, સાલોનિકા – ગ્રીસ; અ. 10 નવેમ્બર 1938, ઇસ્તંબુલ) : આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક, સમાજ સુધારક અને પ્રજાસત્તાક પ્રમુખ (1923-1938). 1923ના ઑક્ટોબરમાં તેમણે તુર્કીના પ્રજાસત્તાકની સ્થાપના કરી અને લોકમત દ્વારા પ્રથમ રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા. તેમણે ક્રાંતિકારી પગલાં લઈને તુર્કીના નવનિર્માણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ખલીફનો મજહબી…

વધુ વાંચો >