૧.૩૫

આઝમખાનની સરાઈથી આત્માનંદ

આઝમખાનની સરાઈ

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…

વધુ વાંચો >

આઝમગઢ

આઝમગઢ : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન 260 04´ ઉ. અ. અને 830 11´ પૂ. રે.  વિસ્તાર : 4,214 ચોકિમી. વસ્તી : જિલ્લાની 31,48,830; શહેરની 66,523 (1991). આઝમગઢ જિલ્લો ઉત્તર પ્રદેશના 57 જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. શહેર ઘાઘરા નદીની ઉપનદી…

વધુ વાંચો >

આઝમ, બાબર

આઝમ, બાબર (જ. 15 ઑક્ટોબર 1994, લાહોર) : પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર. પિતાનું નામ સિદિક આઝમ. ક્રિકેટના વાતાવરણ વચ્ચે પરવરીશ પામેલ બાબર આઝમને ખૂબ જ નાની વયે લાહોરની ક્રિકેટ એકૅડેમીમાં મૂક્યો હતો. તેના બે પિતરાઈ ભાઈઓ કામરાન અકમલ અને ઉમર અકમલ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી ચૂક્યા હતા. પરિણામે ક્રિકેટનું શરૂઆતનું શિક્ષણ…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >

આઝમી, કૈફી

આઝમી, કૈફી (જ. 14 જાન્યુઆરી 1919, આઝમગઢ, ઉત્તરપ્રદેશ, અ. 10 મે 2002, મુંબઈ) : ફિલ્મગીતકાર અને પટકથાલેખક. મૂળ નામ : અખ્તર હુસૈન રિઝવી. 1942ના ‘ભારત છોડો’ આંદોલન સમયે ફારસી અને ઉર્દૂનો અભ્યાસ છોડી દીધો. માર્કસવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ તેમાં સક્રિય બન્યા. 1945માં મુંબઈ આવ્યા અને શ્રમિક સંઘના કાર્યકર બન્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

આઝમી, શબાના

આઝમી, શબાના (જ. 18 સપ્ટેમ્બર, 1950 હૈદરાબાદ (હાલનું તેલંગાણા)) : ભારતીય ચલચિત્રનાં વિખ્યાત અભિનેત્રી, સંસદ સભ્ય તથા જનહિતકાર્યો પ્રત્યે સક્રિય અભિરુચિ ધરાવતાં સમાજસેવિકા. જાણીતા ઉર્દૂ શાયર અને સમાજવાદનાં હિમાયતી કૈફી આઝમી તથા ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA)નાં કલાકાર શૌકત આઝમીનાં પુત્રી. લખનૌ વિશ્વવિદ્યાલયમાંથી બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા…

વધુ વાંચો >

આઝરબૈજાન

આઝરબૈજાન : રશિયામાંથી છૂટાં પડેલાં રાજ્યોમાંથી બનેલો દેશ. જે પ્રજાસત્તાક આઝરબૈજાન તરીકે ઓળખાય છે. ભૌ.સ્થાન 38° ઉ.અ. થી 42 ઉ.અ. અને 44° પૂ.રે. થી 51° પૂ.રે.ની વચ્ચે આવેલો છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે આવેલો છે. આ દેશની લંબાઈ ભૂમિ સીમાની લંબાઈ 2,648 કિમી. છે. પશ્ચિમે આર્મેનિયા (1,007 કિમી.),…

વધુ વાંચો >

આઝાદ, અબુલ કલામ (મૌલાના)

આઝાદ, અબુલ કલામ (મૌલાના) (જ. 11 નવેમ્બર 1888, મક્કા, સાઉદી અરેબિયા; અ. 22 ફેબ્રુઆરી 1958, દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસનેતા તથા પ્રમુખ; પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન. મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા મોહિયુદ્દીન એહમદે પોતાને માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું…

વધુ વાંચો >

આઝાદ, અવતારસિંઘ

આઝાદ, અવતારસિંઘ (જ.  ડિસેમ્બર 1906; અ. 31 મે 1972) : પંજાબી કવિ. વ્યવસાયે પત્રકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે બ્રિટિશ જેલોમાં સજા ભોગવેલી. તેમણે કાવ્યોના કુલ 10 સંગ્રહો (‘વિશ્વવેદના’ – 1941, ‘સોન સવેરા’ – 1945, ‘સોન શીખરાન’ – 1958) આપ્યા છે. ઉમર ખય્યામના ‘ખૈયામ ખુમારી’, ગુરુ ગોવિંદસિંહના ‘ઝફરનામા’ અને…

વધુ વાંચો >

આઝાદ કાશ્મીર

આઝાદ કાશ્મીર : આક્રમણ દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ. આઝાદ કાશ્મીર હિમાલય પર્વતમાળામાં લગભગ મધ્ય વાયવ્યમાં આવેલો ભાગ છે. કારાકોરમ પર્વતમાળા અને ઘાટ આઝાદ કાશ્મીરમાં છે. આ પર્વતમાળામાં આવેલ ગૉડ્વિન ઑસ્ટિન શિખર અથવા કે – ટુ 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે. 7,200 મીટરની ઊંચાઈ ધરાવતાં…

વધુ વાંચો >

આત્મકથા

Feb 4, 1989

આત્મકથા : જીવન અથવા જીવનચરિત્ર સાથે ગોત્રસંબંધ ધરાવતો સાહિત્યપ્રકાર. જીવનચરિત્ર તથા આત્મચરિત્રને ઇતિહાસ સાથે પણ સંબંધ છે. જીવનકથાનો લેખક કોઈ બીજી વ્યક્તિના જીવન વિશે લખતો હોય છે ત્યારે આત્મકથાનો લેખક પોતાના જીવન વિશે લખતો હોય છે. આત્મકથાનો લેખક પોતે જ પોતાની કથાનો નાયક હોય છે. પોતાના જીવન વિશે તેને પ્રત્યક્ષ…

વધુ વાંચો >

‘આત્મકથા’

Feb 4, 1989

‘આત્મકથા’ : જુઓ, સત્યના પ્રયોગો.

વધુ વાંચો >

આત્મગોપન

Feb 4, 1989

આત્મગોપન (camouflage) : પ્રાણીઓની સ્વરક્ષણાર્થે પર્યાવરણ સાથે એકરૂપતા. પ્રાણીઓ જુદા જુદા રંગો અથવા જુદા જુદા આકારો ધારણ કરીને, પશ્ચાદભૂમિના પદાર્થોની નકલ કરીને કે પોતાના શરીરમાંથી રંગ છોડીને – એમ વિવિધ રીતે સ્વરક્ષણ સાધવા અન્ય પ્રાણીઓથી અદૃશ્ય  બનવાનો પ્રયત્ન કરે છે. પ્રાણીઓના આ દેખાવ કે વર્તનને આત્મગોપન કહે છે. પ્રાણીઓમાં રંગધારણક્રિયા…

વધુ વાંચો >

આત્મજીવનચરિત

Feb 4, 1989

આત્મજીવનચરિત : ઓરિસાના આધુનિક સાહિત્યના પ્રણેતા ફકીરમોહન સેનાપતિ(1843-1916)ની આત્મકથા. જીવનની સંધ્યાએ લખાયેલી રોમાંચક જીવનની ઘટનાઓ એક નવલકથા જેવી આકર્ષક શૈલી ધરાવે છે. 1892માં આ આત્મકથા ‘સંબલપુર હિતૈષિની’ અને ‘બાલાસોર સંવાદવાહિકા’માં છપાઈ હતી. લોકભાષામાં લખાયેલી આત્મકથામાં શોષક અને શોષિત વર્ગ, જમીનદારો અને ખેડૂતોની એ સમયની દશાનું વર્ણન છે. વાર્તાના સ્વરૂપમાં લખાયેલી…

વધુ વાંચો >

આત્મનિમજ્જન

Feb 4, 1989

આત્મનિમજ્જન (1895, 1914, 1959) : અગાઉ ‘પ્રેમજીવન’ અને અભેદોર્મિ’ શીર્ષકથી અલગ ટુકડે પ્રગટ થયા પછી આ શીર્ષકથી સમગ્રરૂપે પ્રગટ થયેલો ગુજરાતી કવિતાસંગ્રહ. લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858-1898). તેની પહેલી આવૃત્તિમાં 40, બીજીમાં 45 અને ત્રીજી આવૃત્તિમાં 55 કૃતિઓ સંગ્રહાયેલી છે. તેમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો છે. મણિલાલે…

વધુ વાંચો >

આત્મનિર્ણયનો અધિકાર

Feb 4, 1989

આત્મનિર્ણયનો અધિકાર : પ્રત્યેક રાષ્ટ્રને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો નિર્ધારિત કરવા અંગે મળતો નિર્ણાયક અધિકાર. દરેક રાષ્ટ્રને પોતાના રાજકીય ભાગ્યનો નિર્ણય કરવાનો આ અધિકાર છે. જે રાજ્યમાં એક કરતાં વધારે રાષ્ટ્રીયતા હોય તે દરેક રાષ્ટ્રીયતાને પોતાનું અલાયદા રાજ્ય સ્થાપવાનો અધિકાર મળે છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ (1914-18) દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સને આત્મનિર્ણયના અધિકારની…

વધુ વાંચો >

આત્મસાતીભવન

Feb 4, 1989

આત્મસાતીભવન (assimilation) : મિશ્ર બંધારણવાળા (સંકર) ખડકો ઉત્પન્ન કરતી પ્રક્રિયા. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાથી અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતો મૅગ્મા બેઝિક કે એસિડિક બંધારણવાળો હોઈ શકે છે અને તેનું તાપમાન 12500 સે.થી 6000 સે. સુધીના કોઈ પણ વચગાળાનું હોઈ શકે છે. કોઈ…

વધુ વાંચો >

આત્મસ્તુતિ

Feb 4, 1989

આત્મસ્તુતિ (autism) : જુઓ, મનોવિશ્લેષણ

વધુ વાંચો >

આત્મા

Feb 4, 1989

આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…

વધુ વાંચો >

આત્માનંદ

Feb 4, 1989

આત્માનંદ : ઋગ્વેદના એક ભાષ્યકાર (ચૌદમી સદી પહેલાં). ઋગ્વેદના સુપ્રસિદ્ધ અસ્ય વામીય સૂક્ત (ઋ. વે. 1-164) પર તેમનું ભાષ્ય પ્રાપ્ત થાય છે. સ્કંદ, ઉદગીથ, ભાસ્કર વગેરે ભાષ્યકારોનો તેઓ નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ સાયણાચાર્યનો ક્યાંય ઉલ્લેખ કરતા નથી. આથી વિદ્વાનો માને છે કે તેઓ સાયણાચાર્ય પહેલાં એટલે ઈ. સ.ની ચૌદમી…

વધુ વાંચો >