૧.૩૪

આકાસાકી ઇસામુ (Akasaki Isamu)થી આઝમખાન

આગમ

આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક  આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું…

વધુ વાંચો >

આગરકર, ગોપાળ ગણેશ

 આગરકર, ગોપાળ ગણેશ (જ. 14 જુલાઈ, 1856, ટંભુ, જિ. સતારા; અ. 17 જૂન 1895, પુણે) : સુવિખ્યાત મરાઠી ચિંતક, સમાજસુધારક તથા પત્રકાર. પૂર્વજોનું વતન કોંકણ પ્રદેશનું આગરી ગામ. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મેલા. બધું શિક્ષણ અલગ અલગ સ્થળે  કરાડ, રત્નાગિરિ, અકોલા, પુણે  અને પારાવાર મુશ્કેલીમાં થયું. પુણેની ડેક્કન કૉલેજમાંથી 188૦માં ઇતિહાસ…

વધુ વાંચો >

આગંતુક

આગંતુક : ધીરુબહેન પટેલ કૃત 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનાર ગુજરાતી નવલકથા (1996). ‘આગંતુક’નું નાન્દીવાક્ય છે : ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહિ, ભગવાં કપડાંનોય ત્યાગ કરીને…

વધુ વાંચો >

આગંતુક ખડક

આગંતુક ખડક (xenolith) : અભ્યાગત ખડકટુકડા. અગ્નિકૃત ખડકની અંદર સમાવિષ્ટ થયેલા હોય, પણ સહઉત્પત્તિજન્ય ન હોય એવા ખડકટુકડાઓ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એક રીતે જોતાં, અગ્નિકૃત ખડકોમાં કણરચનાની વિષમાંગતા અજાણ્યા ખડકટુકડાઓના પ્રવેશથી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ માટે જુદાં જુદાં કારણો હોઈ શકે. જેમ કે, બેથોલિથ,…

વધુ વાંચો >

આગાખાન

આગાખાન : ઇસ્લામના બે કરોડથી વધુ સંખ્યા ધરાવતા શિયા સંપ્રદાયના નિઝારી ઇસ્માઇલી પંથના (ખોજા કોમના) ઇમામ. આગાખાન પહેલા અને ઈરાનના રાજા ફતેહઅલીશાહ મનીરના જમાઈ હસનઅલીશાહનો ખિતાબ અકાખાન (જેનો ઉચ્ચાર આગાખાન પણ થાય છે.) હતો. ઈ. સ. 1838માં ઈરાનના કિરમાન પ્રાંતમાં નિષ્ફળ વિદ્રોહ કરવાના ફળસ્વરૂપ હસનઅલીશાહ ઈરાનથી સિંધ આવ્યા, જ્યાં તે…

વધુ વાંચો >

આગાખાન કપ

આગાખાન કપ : ખોજા મુસ્લિમોના ધર્મગુરુ અને જગવિખ્યાત ધનાઢ્ય આગાખાને હૉકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી હોકી સ્પર્ધા માટે ઈસવી સન 1896માં બૉમ્બે જિમખાનાને ભેટ આપેલો કપ. ઈસવી સન 1912માં ‘ચેશાયર રેજિમેન્ટ’ સતત ત્રણ વખત આ કપ જીતી ગઈ હોવાથી તેને તે કાયમ માટે સુપરત કરવામાં આવ્યો હતો. તે પછી…

વધુ વાંચો >

આગાના

આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ…

વધુ વાંચો >

આગાર

આગાર : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આગિયો

આગિયો (firefly) : ઢાલપક્ષ શ્રેણીના લેમ્પિરિડી કુળનું અનાજને નુકસાન કરતું કીટક. તેનું શાસ્ત્રીય નામ Lampyris noctiluca છે. ઇયળ અવસ્થામાં ગોકળગાયના માંસ પર જીવે છે. પુખ્ત કીટક ખોરાક લેતું નથી. પુખ્ત કીટક(લંબાઈ 5થી 25 મિમી.)ના ઉદરપ્રદેશના છઠ્ઠા અને સાતમા ખંડની અને ઇયળોના આઠમા ખંડની નીચે પ્રકાશ પેદા કરનાર અંગ આવેલાં હોય…

વધુ વાંચો >

આગુપ્તાયિક

આગુપ્તાયિક (સંવત) : સાતમી સદીના મધ્યમાં ભારતના દખ્ખણ પ્રદેશમાં પ્રચલિત સંવત. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘આગુપ્તાયિક રાજાઓનું વર્ષ 845’ આપવામાં આવ્યું છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન સાતમી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ પ્રાય: ચાલુક્ય રાજા પુલકેશી બીજાના મૃત્યુ (ઈ. સ. 642) અને વિક્રમાદિત્ય પહેલાના રાજ્યારોહણ (ઈ.…

વધુ વાંચો >

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)

Feb 3, 1989

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને 1964માં નાગોયા…

વધુ વાંચો >

આકાંક્ષા

Feb 3, 1989

આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય.…

વધુ વાંચો >

આક્રમક વર્તન

Feb 3, 1989

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે. આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં…

વધુ વાંચો >

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ

Feb 3, 1989

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે…

વધુ વાંચો >

આક્રા

Feb 3, 1989

આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં…

વધુ વાંચો >

આક્રોશ

Feb 3, 1989

આક્રોશ : 1981માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સુવર્ણમયૂર પ્રાપ્ત કરનાર હિન્દી ફિલ્મ. કથા : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. મુખ્ય અભિનય : ઓમ્ પુરી, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, અમરીષ પુરી. એક આદિવાસી સોન્યાને તેની પત્નીનું ખૂન કરવાના આરોપસર પોલીસ પકડે છે. એ આ ઘટનાથી એટલો હેબતાઈ ગયો છે, કે…

વધુ વાંચો >

આખ્યાન

Feb 3, 1989

આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે,…

વધુ વાંચો >

આખ્યાયિકા

Feb 3, 1989

આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં…

વધુ વાંચો >

આગગાડી

Feb 3, 1989

આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…

વધુ વાંચો >

આગનો વીમો

Feb 3, 1989

આગનો વીમો : આગ લાગવાથી, વીજળી પડવાથી અથવા અગાઉથી માન્ય કરવામાં આવેલ તત્સમ કારણોથી મિલકતોની થતી સંભવિત નુકસાની સામે રક્ષણ તથા નુકસાન ભરપાઈની વ્યવસ્થા. વાસ્તવમાં માનવજાતિ માટે અનેક રીતે ઉપયોગી થઈ પડેલ અગ્નિ જ્યારે કાબૂ બહાર જાય છે અને તેનાથી નુકસાન નોતરે છે ત્યારે તેનાં સંભવિત પરિણામોની ક્ષતિપૂર્તિ થઈ શકે…

વધુ વાંચો >