૧.૨૬

અહુજા, રોશનલાલથી અંગદેશ

અંકલેશ્વર

અંકલેશ્વર : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચથી દક્ષિણે 1૦ કિમી. દૂર આવેલું શહેર. ભૌ. સ્થાન 21° 36´ ઉ. અ. અને 73° ૦૦´ પૂ. રે. તેનું પ્રાચીન નામ અક્રૂરેશ્વર હતું. આશરે નવમા સૈકાના અરસામાં તે રાઠોડ વંશના રાજવીઓની રાજધાનીનું મથક રહેલું. તે અમદાવાદ-મુંબઈ રેલ અને સડકમાર્ગ પર આવેલું છે. ઈ. સ.…

વધુ વાંચો >

અંકશાસ્ત્ર

અંકશાસ્ત્ર : જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે અંક ઉપરથી ફલાદેશ કરવાની પદ્ધતિ. વસ્તુત: ગ્રહોની અસર તેમનાં સ્થાન ઉપરથી દર્શાવી શકાય છે અને હસ્તરેખાશાસ્ત્ર પણ વ્યક્તિનાં સ્વભાવલક્ષણ તેમજ ભવિષ્ય દર્શાવે છે તેમ અંકશાસ્ત્ર, અક્ષરગણિત ઉપરથી એટલે કે મનુષ્ય, પ્રાણી, દેશ, વસ્તુ વગેરેનાં નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારું શાસ્ત્ર છે. અંકશાસ્ત્ર પાયથેગોરસ સિદ્ધાંતને…

વધુ વાંચો >

અંકારા

અંકારા : તુર્કીનું અને તેનાં મધ્યમાં સહેજ પશ્ચિમ તરફનું આવેલા અંકારા પ્રાન્તનું પાટનગર. ભૌ. સ્થાન : 390 56´ ઉ. અ. અને 320 52´ પૂ. રે. જેનો વિસ્તાર 24,521 ચોકિમી. જ્યારે વસ્તી : 5,66,00,000 (2૦20). પથ્થરયુગથી આ શહેરના  સ્થળે મનુષ્યનો વસવાટ હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળ્યા છે. પ્રથમ  વિશ્વયુદ્ધ (1914-18) બાદ અંકારા…

વધુ વાંચો >

અંકિયાનાટ

અંકિયાનાટ : મધ્યકાલીન અસમિયા નાટ્યપ્રકાર. તેને પ્રચલિત કરનાર શંકરદેવ. અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં પણ શંકરદેવે નાટ્યસ્વરૂપ ખેડ્યું હતું. એમણે આસામની બહાર રામલીલા, યાત્રા વગેરે લોકનાટકો જોયેલાં, તે પરથી ધર્મપ્રચારને માટે લોકનાટ્ય અમોલું માધ્યમ લાગેલું. એ સમયે આસામમાં ‘ઓજાપાલી’ નામના લોકનાટ્યનું પ્રચલન હતું. શંકરદેવે ઓજાપાલીને સંસ્કૃત નાટકનો અનુરૂપ ઘાટ આપીને ‘અંકિયાનાટ’…

વધુ વાંચો >

અંકીય પરિપથ

અંકીય પરિપથ (digital circuits) વિભિન્ન (discrete) મૂલ્યોના આદાન વોલ્ટેજને અનુરૂપ વિભિન્ન મૂલ્યોના પ્રદાન વોલ્ટેજ-સ્તર પેદા કરતાં પરિપથ. ગણતરી કરવા માટે માણસ પહેલાં આંગળીઓનો ઉપયોગ કરતો હતો. આમાંથી 1, 2, …,9 એમ અંકો મળ્યા. શૂન્ય પાછળથી ઉમેરાયેલું છે. જે ક્રિયામાં સ્વતંત્ર (discrete) એકમોનો ઉપયોગ થાય તેને અંકીય પ્રવિધિ (digital process) કહે…

વધુ વાંચો >

અંકુર

અંકુર : રાષ્ટ્રીય પારિતોષિક-વિજેતા હિન્દી ચલચિત્ર (1974). કથા-દિગ્દર્શન : શ્યામ બેનેગલ. નિર્માતા : મોહન બિજલાની અને ફ્રેની વરિઆવા. મુખ્ય કલાકારો : શબાના આઝમી, અનંત નાગ, સાધુ મહેર, પ્રિયા તેંડુલકર. સામંતશાહી શોષણ અને અત્યાચારો સામે વિદ્રોહની આ કથા છે. શહેરમાં વકીલાત કરતા એક જમીનદાર પોતાના પુત્ર સૂર્યાને સારા માર્ગે દોરવાના હેતુથી…

વધુ વાંચો >

અંકુરણ

અંકુરણ : જુઓ, બીજાંકુરણ.

વધુ વાંચો >

અંકુશ

અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો  હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો…

વધુ વાંચો >

અંકુશનિયમન

અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ…

વધુ વાંચો >

અંકુશો, આર્થિક

અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન…

વધુ વાંચો >

અહુજા, રોશનલાલ

Jan 26, 1989

અહુજા, રોશનલાલ (જ. 1904, વી. ટિબ્બી કૈસરાની, દેરા ગાઝીખાન) : પંજાબી નાટ્યલેખક અને સાહિત્યવિવેચક. સાત સંપૂર્ણ નાટકોના અને છ એકાંકીસંગ્રહોના લેખક. એકાંકીઓમાં તેઓ મહદંશે વ્યંગ્યાત્મક મિજાજમાં જીવનની નાની પણ મહત્વની ઘટનાનું નિરૂપણ કરે છે. તેમનાં ત્રણ દીર્ઘ નાટકો  ‘કલિંગ દા દુખાંત’ (રાજ્ય પારિતોષિક-વિજેતા), ‘દારા શિકોહ દા દુખાંત’ અને ‘ક્લિયોપૅટ્રા દા…

વધુ વાંચો >

અહૂરમઝ્દ

Jan 26, 1989

અહૂરમઝ્દ : જરથોસ્તી ધર્મ અનુસાર પરમેશ્વર નામ. ‘અહૂર’ શબ્દનો અર્થ થાય છે ‘નિયંતા’, ‘સ્વામી’. ‘મજ્’ શબ્દનો અર્થ થાય છે ‘મહાન’ અને ‘દ’નો અર્થ થાય છે ‘જ્ઞાન’. તે ઉપરથી અહૂરમઝ્દ એટલે ‘જ્ઞાન આપનાર મહાન નિયંતા’. જરથોસ્તી ધર્મ પ્રમાણે અહૂરમઝ્દ સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન જ્ઞાની છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી પેદા થઈ છે…

વધુ વાંચો >

અહેમદિયા ચળવળ

Jan 26, 1989

અહેમદિયા ચળવળ : ભારતમાં થયેલી ઇસ્લામી સુધારાવાદી ચળવળ. ઓગણીસમી સદીની ધાર્મિક ચળવળો પછી રૂઢિગત ધાર્મિક માન્યતાઓના પ્રતિકાર રૂપે સુધારાઓ માટે શરૂ થયેલી બ્રાહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી જ અહેમદિયા ચળવળ પણ હતી. 1837માં ગુરદાસપુર જિલ્લાના કાદિઆનના નાના ગામમાં મીરઝા ગુલામ અહમદનો જન્મ થયો હતો અને તેણે પંજાબમાં અહમદિસ કે કદિઆનિસ નામના…

વધુ વાંચો >

અહોબલ

Jan 26, 1989

અહોબલ (સત્તરમી સદી) : પ્રસિદ્ધ સંગીતવિષયક ગ્રંથ ‘સંગીત પારિજાત’ના દક્ષિણ ભારતીય કર્તા. પિતા શ્રીકૃષ્ણ પંડિત પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું; તે પછી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સંગીતનિષ્ણાત થઈને એ ઉત્તર ભારતમાં ગયા. ત્યાં રહીને હિન્દુસ્તાની સંગીતનું ઊંડું અધ્યયન કર્યું અને એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી. પછી ઘનબડ રાજા આગળ ગીતો ગાયાં.…

વધુ વાંચો >

અળગાપણું

Jan 26, 1989

અળગાપણું (alienation) : સમાજ સાથેના સંબંધ પરત્વે વ્યક્તિનો અલગતા કે વિરક્તતાનો ભાવ. વિશ્વમાં માનવીના સ્થાન વિશેની દાર્શનિક ચર્ચાઓમાં ‘અળગાપણા’નો વિચાર ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ સમાજવિજ્ઞાનોમાં તેનો મૂળ સ્રોત કાર્લ માર્કસના સામાજિક સિદ્ધાંતમાં પડેલો છે. માર્કસનું કહેવું એમ છે કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિઓના સહકારમાં રહીને પોતાની…

વધુ વાંચો >

અળગિરિસામી, કુ.

Jan 26, 1989

અળગિરિસામી, કુ. (જ. 23 સપ્ટેમ્બર 1923, ઇડૈશેવલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 5 જુલાઈ 197૦) : તમિળ લેખક. એમનાં ‘સારસાંત્રી’, ‘જી. એલય્યા’ તથા ‘કુળ્ળૈ’ ઉપનામો છે. એમને અંગ્રેજી પર પણ પ્રભુત્વ છે. એમણે લગભગ 25 જેટલી કૃતિઓની રચના કરી છે; જેમાં ‘કર્પકવૃક્ષમ્’, ‘દૈવયમ્ પિરન્દદુ’ વાર્તાસંગ્રહો; ‘કવિચ્ચકવર્તી’, ‘વૈકુણ્ડતિલ્લ’, ‘વાલ્મીકિ કમ્બર’ વગેરે નાટ્યકૃતિઓ;…

વધુ વાંચો >

અળતો

Jan 26, 1989

અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની…

વધુ વાંચો >

અળવી

Jan 26, 1989

અળવી : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ (olocasia esculenta (Linn.) Schott. syn C. antiquorum Schott. (સં. कचु; બં. આશુકચુ, કચુ, ગુરી; મ. અળુ, અળવી; ગુ. અળવી; અં. Elephant’s ear.) છે. સૂરપણખા, કૅલેડિયમ, સાપનો કંદ, જળશંખલાં, સૂરણ અને અડુની વેલ તેના સહસભ્યો છે. ગુજરાતમાં તેનાં પાન પાતરાં…

વધુ વાંચો >

અળશી

Jan 26, 1989

અળશી : દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ. Linum usitatissimum Linn. (સં. अतसी; હિં. अलसी; બં. મસિના, તિસી; મ. અળશી, જ્વસ; અં. Linseed) છે. અળશીના છોડવાઓ 3૦થી 6૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવે છે. અદંડી, સાદાં પર્ણો, એકાંતરિત, પીળાં, કક્ષીય, એકાકી…

વધુ વાંચો >

અળશી (કીટક)

Jan 26, 1989

અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ…

વધુ વાંચો >