૧.૨૬

અહુજા, રોશનલાલથી અંગદેશ

અળશીનું તેલ

અળશીનું તેલ : અળશીનાં બીને પીલીને અથવા દ્રાવક નિષ્કર્ષણથી મેળવાતું તેલ. તેલ માટે ઉગાડાતી જાતના છોડનાં રાડાં ટૂંકાં, વધુ શાખાવાળાં અને વધુ બી આપનાર હોય છે. સોનેરી પીળા રંગનું તેલ ઑક્સિજન શોષીને શુષ્ક પડ (dry film) આપવાનો ગુણ ધરાવે છે, તેથી તે સુકાતા તેલ(drying oil)ના વર્ગમાં ગણાય છે. તેમાં લિનોલેનિક…

વધુ વાંચો >

અળશીનો અલ્ટરનેરિયા

અળશીનો અલ્ટરનેરિયા : અળશીનો સુકારો. રોગકારક ફૂગ અલ્ટરનેરિયા લીની (Alternaria lini Dey). લક્ષણો : પાન, થડ અને બીજના આવરણવાળા ભાગ ઉપર શરૂઆતમાં આછા ગુલાબી અને કથ્થાઈ ડાઘ પડે છે, જે ઉગ્ર સ્વરૂપમાં ઘેરા કથ્થાઈ રંગના થઈ જાય છે. આવા ડાઘ સમય જતાં આખા છોડ ઉપર પ્રસરે છે. રોગપ્રેરક બળો :…

વધુ વાંચો >

અળસિયું

અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી. દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે.…

વધુ વાંચો >

અળાઈ

અળાઈ : ગરમી કે બફારાને કારણે શરીર પર થતી નાની ફોલ્લીઓ. ગરમી અને ભેજવાળી આબોહવા ધરાવતા ઉષ્ણકટિબંધવાળા દેશોના પ્રદેશોમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક વ્યવસાયોમાં કે ઉદ્યોગગૃહોમાં (જ્યાં વધુ પડતી ગરમી અને ભેજ હોય ત્યાં) કામ કરતા લોકોને ચામડીનો આ રોગ થવાનો સંભવ હોય છે. ગરમ કપડા પહેરનાર,…

વધુ વાંચો >

અળિકોડ, સુકુમાર

અળિકોડ, સુકુમાર (જ. 14 મે 1926, અળિકોડ, કિન્નોળ, જિ. કેરળ; અ. 24 જાન્યુઆરી 2012 ત્રિશૂર, કેરળ) : મલયાળમ પત્રકાર અને વિદ્વાન વિવેચક. તેમને તેમની કૃતિ ‘તત્વમસિ’ માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને અને 1958માં સંસ્કૃતમાં…

વધુ વાંચો >

અંક

અંક : નાટકના હેતુઓનો વિકાસ સાધી કળાત્મક કવિપ્રયુક્તિરૂપ રચનાનું એકમ. સંસ્કૃત નાટકમાં કાર્યના વિભાગ દર્શાવવા માટે ‘અંક’ સંજ્ઞા પ્રયોજાય છે. નાટક એ દૃશ્યકળા હોવાથી, પ્રેક્ષકોનો રસ સતત જળવાઈ રહે તે રીતે, વિષયવસ્તુ કે કથાનકનો વાચિક આદિ અભિનય દ્વારા, રંગમંચ પર રજૂ કરવાનું હોય છે. આથી કુશળ નાટ્યકાર, મહત્વના પ્રસંગો તથા…

વધુ વાંચો >

અંકગણિત

અંકગણિત : સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ દ્વારા સંખ્યાઓનો અભ્યાસ અને તેની વ્યાવહારિક ઉપયોગિતાની વિદ્યા. માપપદ્ધતિ, ગણતરી, પ્રાથમિક સંખ્યાપદ્ધતિ, કેટલીક ભૌમિતિક આકૃતિ સંબંધી ક્ષેત્ર, કદ વગેરેની ગણતરી તથા ગણશાસ્ત્ર(set theory)ના કેટલાક અભિગમો સાથે સંબંધ ધરાવે છે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો, અવયવ, સામાન્ય અવયવ, અવયવી, વાસ્તવિક સંખ્યા; દશાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી વગેરે…

વધુ વાંચો >

અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય)

અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય) : જેમ વર્તમાન ભારતીય લિપિઓના અક્ષરોને પ્રાચીન બ્રાહ્મી અક્ષરો સાથે સરખાવતા તેમની વચ્ચે મોટું અંતર જણાય છે, તેમ વર્તમાન ભારતીય અંકો અને પ્રાચીન બ્રાહ્મી અંકો વચ્ચે પણ મોટું અંતર રહેલું છે. આ અંતર અંકોનાં સ્વરૂપ તેમજ સંખ્યાલેખનપદ્ધતિમાં પણ વરતાય છે. પ્રાચીન બ્રાહ્મી અંકચિહનોની પદ્ધતિમાં શૂન્યનો પ્રયોગ…

વધુ વાંચો >

અંકટાડ

અંકટાડ (UNCTAD) (1964) : વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે જીવનધોરણને લગતા તફાવતની ચર્ચા કરી તે ઘટાડવાના ઉપાયો શોધવા માટે આયોજિત કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદ (1964). ‘અંકટાડ’ના ટૂંકા નામે ઓળખાતી વ્યવસ્થાનું પૂરું નામ ‘યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ’ (UNCTAD) છે. 1964માં જિનીવા ખાતે રાષ્ટ્રસંઘના ઉપક્રમે તેનું અધિવેશન મળ્યું, જેમાં…

વધુ વાંચો >

અંકલ ટૉમ્સ કૅબિન

અંકલ ટૉમ્સ કૅબિન (1851) : ગુલામીની અમાનુષી પ્રથા વિશેની અમેરિકી નવલકથા. લેખિકા હૅરિયેટ બીચર સ્ટોવે (1811-1896). ‘નૅશનલ એરા’ સામયિકમાં હપતાવાર પ્રગટ થયેલી આ નવલકથાએ સાહિત્યજગતમાં સનસનાટી ફેલાવેલી. ગુજરાતી સહિત ભારતની અનેક ભાષાઓમાં તથા સંખ્યાબંધ વિદેશી ભાષાઓમાં તેના અનુવાદો પ્રગટ થયા છે. 1852માં આ નવલકથા પરથી જ્યૉર્જ એલ. ઐકીને તૈયાર કરેલ…

વધુ વાંચો >

અહુજા, રોશનલાલ

Jan 26, 1989

અહુજા, રોશનલાલ (જ. 1904, વી. ટિબ્બી કૈસરાની, દેરા ગાઝીખાન) : પંજાબી નાટ્યલેખક અને સાહિત્યવિવેચક. સાત સંપૂર્ણ નાટકોના અને છ એકાંકીસંગ્રહોના લેખક. એકાંકીઓમાં તેઓ મહદંશે વ્યંગ્યાત્મક મિજાજમાં જીવનની નાની પણ મહત્વની ઘટનાનું નિરૂપણ કરે છે. તેમનાં ત્રણ દીર્ઘ નાટકો  ‘કલિંગ દા દુખાંત’ (રાજ્ય પારિતોષિક-વિજેતા), ‘દારા શિકોહ દા દુખાંત’ અને ‘ક્લિયોપૅટ્રા દા…

વધુ વાંચો >

અહૂરમઝ્દ

Jan 26, 1989

અહૂરમઝ્દ : જરથોસ્તી ધર્મ અનુસાર પરમેશ્વર નામ. ‘અહૂર’ શબ્દનો અર્થ થાય છે ‘નિયંતા’, ‘સ્વામી’. ‘મજ્’ શબ્દનો અર્થ થાય છે ‘મહાન’ અને ‘દ’નો અર્થ થાય છે ‘જ્ઞાન’. તે ઉપરથી અહૂરમઝ્દ એટલે ‘જ્ઞાન આપનાર મહાન નિયંતા’. જરથોસ્તી ધર્મ પ્રમાણે અહૂરમઝ્દ સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન જ્ઞાની છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી પેદા થઈ છે…

વધુ વાંચો >

અહેમદિયા ચળવળ

Jan 26, 1989

અહેમદિયા ચળવળ : ભારતમાં થયેલી ઇસ્લામી સુધારાવાદી ચળવળ. ઓગણીસમી સદીની ધાર્મિક ચળવળો પછી રૂઢિગત ધાર્મિક માન્યતાઓના પ્રતિકાર રૂપે સુધારાઓ માટે શરૂ થયેલી બ્રાહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી જ અહેમદિયા ચળવળ પણ હતી. 1837માં ગુરદાસપુર જિલ્લાના કાદિઆનના નાના ગામમાં મીરઝા ગુલામ અહમદનો જન્મ થયો હતો અને તેણે પંજાબમાં અહમદિસ કે કદિઆનિસ નામના…

વધુ વાંચો >

અહોબલ

Jan 26, 1989

અહોબલ (સત્તરમી સદી) : પ્રસિદ્ધ સંગીતવિષયક ગ્રંથ ‘સંગીત પારિજાત’ના દક્ષિણ ભારતીય કર્તા. પિતા શ્રીકૃષ્ણ પંડિત પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું; તે પછી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સંગીતનિષ્ણાત થઈને એ ઉત્તર ભારતમાં ગયા. ત્યાં રહીને હિન્દુસ્તાની સંગીતનું ઊંડું અધ્યયન કર્યું અને એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી. પછી ઘનબડ રાજા આગળ ગીતો ગાયાં.…

વધુ વાંચો >

અળગાપણું

Jan 26, 1989

અળગાપણું (alienation) : સમાજ સાથેના સંબંધ પરત્વે વ્યક્તિનો અલગતા કે વિરક્તતાનો ભાવ. વિશ્વમાં માનવીના સ્થાન વિશેની દાર્શનિક ચર્ચાઓમાં ‘અળગાપણા’નો વિચાર ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ સમાજવિજ્ઞાનોમાં તેનો મૂળ સ્રોત કાર્લ માર્કસના સામાજિક સિદ્ધાંતમાં પડેલો છે. માર્કસનું કહેવું એમ છે કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિઓના સહકારમાં રહીને પોતાની…

વધુ વાંચો >

અળગિરિસામી, કુ.

Jan 26, 1989

અળગિરિસામી, કુ. (જ. 23 સપ્ટેમ્બર 1923, ઇડૈશેવલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 5 જુલાઈ 197૦) : તમિળ લેખક. એમનાં ‘સારસાંત્રી’, ‘જી. એલય્યા’ તથા ‘કુળ્ળૈ’ ઉપનામો છે. એમને અંગ્રેજી પર પણ પ્રભુત્વ છે. એમણે લગભગ 25 જેટલી કૃતિઓની રચના કરી છે; જેમાં ‘કર્પકવૃક્ષમ્’, ‘દૈવયમ્ પિરન્દદુ’ વાર્તાસંગ્રહો; ‘કવિચ્ચકવર્તી’, ‘વૈકુણ્ડતિલ્લ’, ‘વાલ્મીકિ કમ્બર’ વગેરે નાટ્યકૃતિઓ;…

વધુ વાંચો >

અળતો

Jan 26, 1989

અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની…

વધુ વાંચો >

અળવી

Jan 26, 1989

અળવી : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ (olocasia esculenta (Linn.) Schott. syn C. antiquorum Schott. (સં. कचु; બં. આશુકચુ, કચુ, ગુરી; મ. અળુ, અળવી; ગુ. અળવી; અં. Elephant’s ear.) છે. સૂરપણખા, કૅલેડિયમ, સાપનો કંદ, જળશંખલાં, સૂરણ અને અડુની વેલ તેના સહસભ્યો છે. ગુજરાતમાં તેનાં પાન પાતરાં…

વધુ વાંચો >

અળશી

Jan 26, 1989

અળશી : દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ. Linum usitatissimum Linn. (સં. अतसी; હિં. अलसी; બં. મસિના, તિસી; મ. અળશી, જ્વસ; અં. Linseed) છે. અળશીના છોડવાઓ 3૦થી 6૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવે છે. અદંડી, સાદાં પર્ણો, એકાંતરિત, પીળાં, કક્ષીય, એકાકી…

વધુ વાંચો >

અળશી (કીટક)

Jan 26, 1989

અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ…

વધુ વાંચો >