૧.૨૪

અસાઇત (ચૌદમી શતાબ્દી)થી અસ્થિમજ્જા (bone marrow)

અસાઇત (ચૌદમી શતાબ્દી)

અસાઇત (ચૌદમી શતાબ્દી) : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સ્થાપક મધ્યકાલીન કવિ. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમણે રચેલી ‘હંસાઉલી’ પદ્યવાર્તાની હસ્તપ્રત છે. તેમાંથી એટલું ફલિત થાય છે, કે અસાઇત 1361માં હયાત હતા. એમનો સમય ઈ. સ. 132૦થી 139૦નો માનવામાં આવે છે. એ સમયે ભારત પર તુઘલુક વંશનું શાસન હતું. અસાઇતના જીવન વિશે આમ…

વધુ વાંચો >

અસાઇત સાહિત્યસભા

અસાઇત સાહિત્યસભા : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સર્જક અસાઇત ઠાકરની સ્મૃતિમાં તા. 9 ડિસેમ્બર 1973ના રોજ સાહિત્ય અને નાટ્ય આદિ કલાઓના પ્રસાર માટે સ્થપાયેલી સંસ્થા. સ્થાપક વિનાયક રાવળ. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. 1983માં સંસ્થાનું કાર્યફલક વિસ્તારવાની યોજના ઘડવામાં આવી, જેના પરિણામે નૃત્ય, નાટ્ય, સંગીત…

વધુ વાંચો >

અસાકિર, ઇબ્ન

અસાકિર, ઇબ્ન (જ. 13 સપ્ટેમ્બર 1105, દમાસ્કસ, સીરિયા; અ. 25 જાન્યુારી 1176, દમાસ્કસ, સીરિયા) : વિદ્વાન અરબ ઇતિહાસકાર. આખું નામ અલી બિન હસન, અટક અબુલ કાસિમ. ઇબ્ન અસાકિરના નામથી પ્રસિદ્ધ છે. તેમણે પયગંબરસાહેબનાં સુવચનો (હદીસ) એકઠાં કરેલાં હોવાથી ‘હાફિઝ ઇબ્ન અસાકિર’ કહેવાયા. સીરિયાના એક આધારભૂત (શાફિઈ) કાયદાશાસ્ત્રી તરીકે તેમની ગણના…

વધુ વાંચો >

અસાના, જહાંગીરજી જામસજી

અસાના, જહાંગીરજી જામસજી (જ. 189૦; અ. 16 ડિસેમ્બર 1954, પુણે) : પ્રાણીશાસ્ત્રના ઉત્તમ કોટિના સંશોધક. ગુજરાત કૉલેજ, અમદાવાદના ભૂતપૂર્વ પ્રાધ્યાપક. વડોદરાની કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવીને તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1915માં ગુજરાત કૉલેજમાં પ્રાણીશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે કરી હતી. ત્યાં પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળા તેમજ સંગ્રહાલય સ્થાપવા ઉપરાંત પોતાના પ્રાણીચર્મવિદ્યા(taxidermy)ના કૌશલ્યનો ઉપયોગ તેમણે…

વધુ વાંચો >

અસામાન્ય કિરણ

અસામાન્ય કિરણ (extraordinary ray, E-ray) : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના પ્રકાશીય ગુણધર્મોને આધારે સાવર્તિક (સમદિકધર્મી) અને અસાવર્તિક (અસમદિકધર્મી) એ પ્રમાણેના બે પ્રકારોમાં વહેંચેલાં છે. આ બે પ્રકારો પૈકી અસાવર્તિક ખનિજના છેદમાંથી સાદા પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે, ત્યારે તે કિરણ ખનિજમાં પ્રવેશતાની સાથે જ સામાન્ય અને અસામાન્ય કિરણોમાં…

વધુ વાંચો >

અસાવર્તિક ખનિજો

અસાવર્તિક ખનિજો (anisotropic minerals) : કુદરતમાં મળી આવતા તમામ ખનિજસ્ફટિકોના ભૌતિક ગુણધર્મો અને ભૌમિતિક સ્વરૂપોને આધારે ત્રણ વિભાગો પાડેલા છે. (1) ત્રણ સરખી લંબચોરસ અક્ષવાળો સમપરિમાણિત (isometric) વર્ગ. દા.ત., ક્યૂબિક સ્ફટિકવર્ગ, (2) બે કે ત્રણ સરખી ક્ષિતિજસમાંતર (horizontal) અક્ષવાળા કે ટેટ્રાગોનલ કે હેક્ઝાગોનલ સ્ફટિકો, જેમાં ત્રીજી કે ચોથી અસમ સ્ફટિક…

વધુ વાંચો >

અસિકની

અસિકની : ઋગ્વેદ(8-2૦-25 અને 1૦-75-5)માં ઉલ્લિખિત નદી. ગ્રીકો એને ‘અકેસીસીની’ કહેતા. વેદકાલમાં અસિકની (શ્યામા) તરીકે ઓળખાયેલી નદીનું મૂળ નામ આગળ જતાં સદંતર લુપ્ત થયું ને એ ‘ચન્દ્રભાગા’ એવા નવા નામે ઓળખાઈ. એ હાલની ચિનાબ છે, જે પંજાબની પાંચ નદીઓમાંની એક છે. વેદકાલમાં એનો સમાવેશ સપ્તસિંધુ(સાત નદીઓ)માં થતો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

વધુ વાંચો >

અસીર, ઇબ્નુલ

અસીર, ઇબ્નુલ (જ. 12 મે 116૦, અલજઝીરા, અ. 1233, ઇરાક) : અરબી ઇતિહાસકાર. પૂરું નામ ઇરુદ્દીન અબુલ હસનઅલી ઇબ્નુલ અસીર. મવસલ અને બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સીરિયાના પ્રવાસ પછી બાકીનું જીવન મવસલનાં ગામોમાં જ પસાર કરેલું. આરબ ઇતિહાસકારોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેના ચાર ગ્રંથો સુપ્રસિદ્ધ છે :…

વધુ વાંચો >

અસુર, અસુરો

અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ દૃષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી…

વધુ વાંચો >

અસુર બાનીપાલ

અસુર બાનીપાલ (જ. ઈ. પૂ. 685, એશિરિયા; અ. ઈ. પૂ. 631, ઇરાક) : એસિરિયાના સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ. તે મહાન વિજેતા બન્યો હતો. એલમ અને ઇજિપ્ત પર તેણે વિજય મેળવ્યો હતો. પશ્ચિમ એશિયાના સમગ્ર વિસ્તાર પર તેની ધાક પ્રવર્તતી હતી. તે વિદ્યાપ્રેમી અને સાહિત્ય તથા કલાનો ભારે શોખીન હતો. તેણે પાટનગર…

વધુ વાંચો >

અસુર સંસ્કૃતિ

Jan 24, 1989

અસુર સંસ્કૃતિ : જુઓ, એસિરિયન સંસ્કૃતિ.

વધુ વાંચો >

અસૂત્રી વિભાજન

Jan 24, 1989

અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં…

વધુ વાંચો >

અસ્કરી, હસન

Jan 24, 1989

અસકરી, હસન (મુહંમદ) (જ. 5 નવેમ્બર 1919, અલ્લાહાબાદ (હાલનું પ્રયાગરાજ); અ. 18 જાન્યુઆરી 1978, કરાંચી, પાકિસ્તાન) : સુપ્રસિદ્ધ ઉર્દૂ લેખક, સમીક્ષક અને અનુવાદક. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવેલી. અવૈધિક રીતે તેમણે ફ્રેંચ ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અધ્યયન-અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારેલ. દિલ્હીથી પ્રગટ થતી વિખ્યાત માસિક પત્રિકા…

વધુ વાંચો >

અસ્કામત

Jan 24, 1989

અસ્કામત : વ્યક્તિ દ્વારા અંગત રીતે અથવા સમૂહ દ્વારા સંયુક્ત રીતે જેના પર માલિકીહક પ્રસ્થાપિત કરી શકાય તથા જેનું મૂલ્ય નાણાં દ્વારા આંકી શકાય તેવી કોઈ પણ ભૌતિક કે અભૌતિક, સ્થાવર કે જંગમ, કાયમી કે કામચલાઉ મિલકત. આવી મિલકતના માલિકીહક્કોનું આદાનપ્રદાન કે સ્થાનાંતરણ પણ થઈ શકે છે. ભૌતિક અસ્કામતોમાં દૃશ્ય…

વધુ વાંચો >

અસ્તિત્વવાદ

Jan 24, 1989

અસ્તિત્વવાદ અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને…

વધુ વાંચો >

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન

Jan 24, 1989

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન : વીસમી સદીના મનોવિજ્ઞાનમાં પ્રથમ પરિબળ તરીકે ફ્રૉઇડના મનોવિશ્લેષણને અને બીજા પરિબળ તરીકે અમેરિકન મનોવિજ્ઞાનીઓના વર્તનવાદ(behaviourism)ને ગણાવવામાં આવે છે. તે સંદર્ભમાં અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન (existential psychology) ત્રીજા પરિબળના મનોવિજ્ઞાન (third force psychology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના આ ત્રીજા પ્રભાવક અભિગમમાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન ઉપરાંત પ્રતિભાસમીમાંસાલક્ષી મનોવિજ્ઞાન (phenomenological psychology) અને માનવવાદી…

વધુ વાંચો >

અસ્તી

Jan 24, 1989

અસ્તી (1966) : આધુનિક ગુજરાતી પ્રયોગશીલ લઘુનવલ. લેખક શ્રીકાન્ત શાહ. ઘટનાવિહીન અને અસંબદ્ધ વસ્તુગૂંથણીવાળી લાગતી એંશી પાનાંની આ રચનામાં શેરીને નાકે ઊભેલો વાર્તાનો નાયક ‘તે’, પાસેથી પસાર થતી સૃષ્ટિને જોઈને અંધકાર, એકલતા અને શૂન્યતાની સંવેદના સાથે મૃત્યુ ભણી પોતે ગતિ કરી રહ્યાનો અનુભવ કરે છે. આ નિર્ભ્રાન્ત જીવનદૃષ્ટિમાં અસ્તિત્વવાદનો પડઘો…

વધુ વાંચો >

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ

Jan 24, 1989

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ (જ. 12 એપ્રિલ 1823, મોસ્કો, રશિયા; અ. 14 જૂન 1886, રશિયા) : રૂસી નાટ્યકાર. સફળ વકીલનો આ બેફિકરો પુત્ર તત્કાલીન રશિયન થિયેટરનો ખૂબ લોકપ્રિય નાટ્યકાર નીવડ્યો. મૉસ્કો યુનિવર્સિટીમાં વકીલાતની તાલીમ લઈ ત્યાંની વ્યાપારી કૉર્ટમાં એણે નોકરી લીધી. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે એના સમકાલીનો – તુર્ગનેવ અને લ્યેફ તોલ્સ્તોય…

વધુ વાંચો >

અસ્થિ

Jan 24, 1989

અસ્થિ (bone) : અસ્થિ એ પૃષ્ઠવંશી પ્રાણીનું અંત:કંકાલતંત્ર રચતી, ઘણી સખત પ્રકારની સંયોજક પેશી છે. શરીરના વિવિધ ભાગોમાં આવેલાં અસ્થિઓ અંદરથી પોલાં હોય છે, તેમજ આકાર અને કદની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય ધરાવે છે. સપાટી પર આવરણ અને અંદરની તરફ અસ્થિદ્રવ્ય આવેલું હોય છે. મધ્યભાગને અસ્થિદંડ કહે છે, જ્યારે બંને છેડા…

વધુ વાંચો >

અસ્થિઅર્બુદો

Jan 24, 1989

અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે  સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને…

વધુ વાંચો >