૧.૧૪

અભયારિષ્ટથી અભિસરણ

અભિમન્યુ

અભિમન્યુ : પાંડવ અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રીકૃષ્ણ-બલરામનો ભાણેજ અને સોમપુત્ર સુવર્ચા કે વર્ચાનો અવતાર. અમુક માન્યતા અનુસાર એ કોઈ અસુર કે દાનવનો અવતાર નહોતો. એ ‘દીર્ઘબાહુ, મહાબળવાન, સુંવાળા અને વાંકડિયા કેશવાળો, વૃષભ જેવી આંખોવાળો, નૂતન શાલવૃક્ષ જેવો ઊંચો, મદઝરતા માતંગ જેવો પરાક્રમી, શત્રુદમન કરનાર નરશ્રેષ્ઠ’ હતો. અર્જુનનો એ પુરુષશ્રેષ્ઠ…

વધુ વાંચો >

અભિમન્યુવધ

અભિમન્યુવધ : આસામી સાહિત્યમાં અભિમન્યુના કથાનક ઉપર બે કાવ્યકૃતિઓ રચાઈ છે. પ્રથમ કૃતિ અઢારમી સદીમાં રચાયેલી અને તેનો લેખક કોઈ અજ્ઞાત કવિ હતો. અહોમ રાજાના સમયમાં એ કૃતિ રચાયેલી. બીજી કૃતિ રમાકાન્ત ચૌધરી(1846-1889)એ 1875માં રચેલી. ઓગણીસમી સદીની અંતિમ પચીસી આસામી ભાષા અને સાહિત્યનો નવોદયકાળ હતો. અંગ્રેજી સાહિત્યનો પરિચય વધતાં અનેક…

વધુ વાંચો >

અભિયોગ્યતા

અભિયોગ્યતા (aptitude) : વ્યક્તિમાં રહેલી ગર્ભિત કે સુષુપ્ત શક્તિ (ability). કાર્ય કરવા માટેની અને તાલીમ આપવાથી કૌશલ્ય પ્રાપ્ત કરવાની તે જૈવીય વારસાગત શક્તિ છે. માનસિક અને શારીરિક કાર્યો અંગે વિવિધ અભિયોગ્યતાઓ જોવા મળે છે; જેમ કે ગણિત, સંગીતકળા, અવકાશ, યાંત્રિકી વગેરે. ઉપરાંત કારકુની કાર્ય, દંતવિદ્યા, ઇજનેરી, તબીબી વિજ્ઞાન અને કાયદા…

વધુ વાંચો >

અભિરંજન-પ્રક્રિયાઓ

અભિરંજન-પ્રક્રિયાઓ (staining processes) : રંગકો વડે કોષમાં આવેલાં રસાયણોની પરખ મેળવવાની પ્રવિધિઓ. આ પ્રવિધિઓનો આધાર રંગકોની વરણાત્મક (selective) અભિરંજનશક્તિ પર રહેલો છે. કોષના બંધારણમાં આશરે 1,800 રસાયણો નોંધાયેલાં છે. તે આંક દિનપ્રતિદિન વધતો જ રહે છે. રંગસૂત્રોના બંધારણમાં 36% ડી. એન. એ., 37 % હિસ્ટોન્સ, 10 % આર. એન. એ.,…

વધુ વાંચો >

અભિરુચિ

અભિરુચિ (interest) : વસ્તુ અથવા વિષય પરત્વે વ્યક્તિનો ભાવાત્મક સંબંધ. વસ્તુ અથવા વિષયમાં ધ્યાન ખેંચે એવી લાક્ષણિકતા હોવાથી વ્યક્તિ તેના તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. અભિરુચિ વ્યક્તિનો સાહજિક માનસિક ઝોક અથવા વલણ દર્શાવે છે. અભિરુચિ વ્યક્તિના અનુભવનું ભાવાત્મક પાસું છે. અભિરુચિ અભિયોગ્યતા (aptitude) જેટલી કુદરતી કે જન્મગત નથી, તેમજ…

વધુ વાંચો >

અભિલેખ

અભિલેખ : કોતરેલું લખાણ. શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. એ મુદ્રા, શૈલ, ફલક, તકતી, સ્તંભ, યષ્ટિ, પાળિયા, ભાણ્ડ, મંજૂષા, સમુદગક, ગુફાભિત્તિ કે પ્રતિમા રૂપે હોય છે. માટી, ઈંટ-મુદ્રાંક, મૃદભાણ્ડ, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરાં; સિક્કા,…

વધુ વાંચો >

અભિલેખવિદ્યા

અભિલેખવિદ્યા : અભિલેખ(કોતરેલા લખાણ)ને લગતી વિદ્યા. એના અભ્યાસીને તે તે દેશ કે પ્રદેશની તે તે કાળની લિપિ તથા ભાષાની જાણકારી હોવી જોઈએ. પ્રાચીન અભિલેખો વાંચવા માટે પ્રાચીન લિપિવિદ્યા જાણવી અનિવાર્ય છે. અભિલેખના સંપાદનમાં લેખનું લિપ્યંતર તથા તેનું ભાષાંતર કે તેનો સાર, વિવેચન તથા મૂળ લેખની છાપ કે છબી સાથે આપવામાં…

વધુ વાંચો >

અભિવૃદ્ધિ

અભિવૃદ્ધિ (accretion) : નદીનાં જળ દ્વારા વહન થતા કણોની નિક્ષેપક્રિયાને પરિણામે જૂની ભૂમિમાં થતી નવી ભૂમિની ક્રમિક વૃદ્ધિ. અકાર્બનિક દ્રવ્યજથ્થાના સંદર્ભમાં અભિવૃદ્ધિ એક એવી પ્રવિધિ ગણાય છે, જેમાં તેનો બહારનો ભાગ તાજા કણોના ઉમેરાતા જવાથી વિકસીને વૃદ્ધિ પામતો જતો હોય. અભિવૃદ્ધિ-શિરાઓ (accretion veins) : ખનિજીકરણ પામતા જતા વિભાગોમાં વિશિષ્ટ સંજોગો…

વધુ વાંચો >

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી (revealed preference) : માગના નિયમને સમજાવતો વૈકલ્પિક અભિગમ. અમેરિકન અર્થશાસ્ત્રી પૉલ સૅમ્યુઅલસને તેની રજૂઆત કરી છે. અભિવ્યક્ત પસંદગીના વિશ્લેષણમાં માર્શલના તૃષ્ટિગુણ વિશ્લેષણ (utility-analysis) અને હિક્સ-ઍલનના તટસ્થરેખા-વિશ્લેષણ (indifference curve analysis) કરતાં ઓછી ધારણાઓ કરવામાં આવી છે. તટસ્થરેખા-વિશ્લેષણ આત્મનિરીક્ષણની પદ્ધતિ પર રચાયેલું છે. ઉપભોક્તાને તેના તટસ્થ નકશાની માહિતી છે,…

વધુ વાંચો >

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ : સૌન્દર્યના પર્યાયરૂપે વિચાર કે ભાવનો શાબ્દિક આવિષ્કાર. વિચારની શાબ્દિક અભિવ્યક્તિ એ કાવ્ય-સૌન્દર્યનો પર્યાય છે. સિસેરો એને શબ્દોની વિચારો સાથેની સાવયવ એકતા તરીકે ઓળખાવે છે. યુરોપમાં પુનર્જાગૃતિકાળમાં કવિતાનો અભિવ્યક્તિ સાથેનો સંબંધ જી. ફ્રાકોસ્ટોરોએ ‘નૉગેરિયસ’માં સમજાવ્યો છે. ‘સ્વ-નિર્દેશન દ્વારા સુપેરે અભિવ્યક્તિ સિદ્ધ કરવી એ જ આ કવિનો ઉદ્દેશ હોવો જોઈએ’ …

વધુ વાંચો >

અભયારિષ્ટ

Jan 14, 1989

અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની…

વધુ વાંચો >

અભંગ

Jan 14, 1989

અભંગ : મરાઠી કાવ્યપ્રકાર. મૂળ તો અભંગ મરાઠી છંદનું નામ છે. પરંતુ એનો ભક્તિભાવની અભિવ્યક્તિ માટે સતત ઉપયોગ થતો રહ્યો, એટલે એ ભક્તિકાવ્યના એક પ્રકાર તરીકે ઓળખાવા લાગ્યો. લોકગીતોની ‘ઓવી’ નામક કાવ્યરચનાનું એ સંશોધિત અને લક્ષણબદ્ધ સ્વરૂપ છે. બારમી સદીમાં ‘ઓવી’ છંદ પ્રચલિત હતો. તેમાંથી અભંગનું શિષ્ટ રૂપ ઘડાયું. વારકરી…

વધુ વાંચો >

અભાવ

Jan 14, 1989

અભાવ : વૈશેષિક દર્શન અનુસાર જે નથી તે. ‘વૈશેષિકસૂત્ર’માં દ્રવ્યગુણ વગેરે છ ભાવપદાર્થો સ્વીકારાયા છે. પરંતુ પછીના ‘સપ્તપદાર્થી’ વગેરે ગ્રંથોમાં અભાવને પણ એક સ્વતંત્ર પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું. તેમાં ‘જે ભાવથી ભિન્ન તે અભાવ’ એવું અભાવનું લક્ષણ દર્શાવાયું છે. એટલે કે જે ‘નથી’ તે. પરંતુ આ તો વિરોધાભાસ લાગે પણ…

વધુ વાંચો >

અભાવવાદ

Jan 14, 1989

અભાવવાદ : ધ્વનિ તો પ્રવાદમાત્ર છે એમ માનતો મત. આ અભાવવાદના ત્રણ વિકલ્પો વિચારાયા છે. તદનુસાર, શબ્દ તથા અર્થના ગુણ અને અલંકારો જ શોભાકારક હોવાથી, લોક અને શાસ્ત્રથી ભિન્ન એવા સુંદર શબ્દાર્થના સાહિત્યરૂપ કાવ્યનો બીજો કોઈ શોભાહેતુ નથી, જે કહેવાયો ન હોય, તે થયો એક પ્રકાર. જે કહેવાયો નથી તે…

વધુ વાંચો >

અભિકરણ

Jan 14, 1989

અભિકરણ (agency) : કરાર આદિ વ્યવસ્થામાં એક પક્ષરૂપ વ્યક્તિના અધિકૃત પ્રતિનિધિ તરીકે થતો બીજી વ્યક્તિ સાથેનો વર્તાવ કે વ્યવહાર. સામાન્ય રીતે બે વ્યક્તિઓ કરાર કરે તો તે વ્યક્તિઓ જાતે જ વ્યવહાર કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો બધો જ વ્યવહાર જાતે જ કરવો જોઈએ તે જરૂરી નથી તેમ શક્ય પણ…

વધુ વાંચો >

અભિક્રમિત અધ્યયન

Jan 14, 1989

અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે…

વધુ વાંચો >

અભિજ્ઞાનશાકુન્તલ

Jan 14, 1989

અભિજ્ઞાનશાકુન્તલ : સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સર્વોત્તમ મનાતું મહાકવિ કાલિદાસરચિત નાટક પ્રકારનું સાત અંકોનું રૂપક. આનું કથાવસ્તુ મહાભારતમાં આવતા શકુન્તલોપાખ્યાન ઉપરથી રચાયેલું છે, એમ મનાય છે. આમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત તથા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી, કણ્વ અથવા કાશ્યપના તપોવનમાં ઊછરેલી શકુન્તલાના પ્રણય અને પરિણયની કથા આવે છે. મૃગયા કરવા નીકળેલા દુષ્યંતનો રથ…

વધુ વાંચો >

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો

Jan 14, 1989

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના…

વધુ વાંચો >

અભિધા

Jan 14, 1989

અભિધા : ‘આ શબ્દમાંથી આ અર્થનો બોધ થવો જોઈએ’, એવા  સંકેત અનુસાર પ્રાપ્ત થયેલ વાચ્ય અર્થનું, બોધન કરતી, શબ્દની શક્તિ. આ વાચ્યાર્થ મુખ્યાર્થ ગણાય છે. યોગ, રૂઢિ, યોગરૂઢિ એ – અભિધાના આ ત્રણ પ્રકાર અનુસાર યૌગિક (‘પાઠક’), રૂઢ (‘મંડપ’), યોગરૂઢ (‘પંકજ’),  એ ત્રણ પ્રકારના વાચ્યાર્થ, અનુક્રમે, પ્રાપ્ત થાય છે. ‘રૂઢયૌગિક’…

વધુ વાંચો >

અભિધાન-રાજેન્દ્રકોશ

Jan 14, 1989

અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો. આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની…

વધુ વાંચો >