૧.૧૧

અન્શાનથી અપરિગ્રહ

અપક્ષારીકરણ (Desalination)

અપક્ષારીકરણ (Desalination) : દરિયાના પાણીમાંથી ઓગળેલા ક્ષારો દૂર કરી તેને પીવાલાયક, ખેતીલાયક તેમ જ અન્ય ઉદ્યોગોમાં અને ઘર- વપરાશમાં ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવાની પદ્ધતિને અપક્ષારીકરણ કહેવાય છે. આમાં ખાસ કરીને નિસ્યંદન, આયનવિનિમય, પારશ્લેષણ, વીજપારશ્લેષણ અને આણ્વિક ચાળણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગરની સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (C.S.M.C.R.I.)…

વધુ વાંચો >

અપઘર્ષક ખનિજો

અપઘર્ષક ખનિજો (abrasive minerals) : અપઘર્ષક તરીકે વપરાતાં ખનિજો. બંધારણની દૃષ્ટિએ ભિન્નતા ધરાવતાં હોવા છતાં ખનિજો કે ખડકો જો કઠિનતા પરત્વે સમાનધર્મી હોય તો તેમને તેમની મૂળ કુદરતી સ્થિતિમાં જ અપઘર્ષકો તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આવાં કુદરતી ખનિજોમાંથી હવે તો કૃત્રિમ અપઘર્ષકો પણ તૈયાર કરી ઉપયોગમાં લેવાય છે. કઠિનતા,…

વધુ વાંચો >

અપઘર્ષકો

અપઘર્ષકો (abrasives) : કોઈ વસ્તુ(લાકડું, પથ્થર, ધાતુ, કાચ વગેરે)ની સપાટીને ઘસીને લીસી કરવા, ચળકતી કરવા અથવા તેને ચોક્કસ માપ પ્રમાણે આકાર આપવા માટે વપરાતા અતિકઠિન પદાર્થો. આ પદાર્થો ચૂર્ણ રૂપે, અથવા તેના કણોને સરાણની સપાટી ઉપર, કાપડ કે કાગળ ઉપર અથવા કર્તન ઓજાર (cutting tool) ઉપર ચઢાવેલી અણી (bit) રૂપે…

વધુ વાંચો >

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અપચો

અપચો : પેટમાંની અસ્વસ્થતાનો એક પ્રકાર. જમ્યા પછી તરત, કલાકે બે કલાકે કે અર્ધરાત્રિએ પેટના ઉપલા ભાગમાં ભરાવો લાગે કે બળતરા થાય, વાયુને કારણે પેટ તણાય, તણાવ થાય, ઘચરકા આવે કે ઊબકા આવે ત્યારે તેને અપચો કહે છે. દર્દીને આ લક્ષણ સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી પડે છે. અને તેથી તેને…

વધુ વાંચો >

અપડાઇક જૉન હૉયૅર

અપડાઇક, જૉન હૉયૅર (જ. 18 માર્ચ 1932, શિલિંગ્ટન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 27 જાન્યુઆરી 2009, ડેન્વર, મેસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર. 1954માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા. 1955માં ‘ન્યૂયૉર્કર’ પત્રમાં વાર્તા, કવિતા અને તંત્રીલેખો લખવા માંડ્યા. 1959 સુધીમાં ‘ધ સેમ ડોર’ વાર્તાસંગ્રહ અને ‘ધ પુઅર હાઉસ ફૅર’ નવલકથા આપ્યાં. વખણાયેલી નવલકથા ‘રૅબિટ…

વધુ વાંચો >

અપત્યપ્રસવ (વનસ્પતિ)

અપત્યપ્રસવ (vivipary) (વનસ્પતિ) : સુષુપ્ત અવસ્થા વગરનું બીજનું અંકુરણ. સમુદ્રકિનારે ક્ષારયુક્ત કાદવવાળી પોચી જમીનમાં ઊગતી વનસ્પતિઓનાં ફળ માતૃછોડ પર લાગેલાં હોય, તે અવસ્થામાં જ, બીજનું અંકુરણ થઈ આદિમૂળ અને અધરાક્ષ (hypocotyl) વિકાસ પામે તેને અપત્યપ્રસવ કહે છે. કાંડેલ (Rhizophora), ગોરન (Ceriops), તીવાર (Avicennia), લાવણ્યમયી (Aegiceras), મહેબુલ (Sonneratia), અને નાઇપા (Nipa)…

વધુ વાંચો >

અપદ્યાગદ્ય

અપદ્યાગદ્ય : કવિ ન્હાનાલાલના નામ સાથે જોડાઈ ગયેલી, ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ છંદશોધઘટના. ‘અપદ્યાગદ્ય’નો કવિશ્રીનો આ નવતર પ્રયોગ ‘ડોલનશૈલી’ તરીકે વધુ ઓળખાતો આવ્યો છે. ગુજરાતીમાં પ્રવાહી પદ્યની શોધ નર્મદના વીરવૃત્ત, કેશવલાલ ધ્રુવના વનવેલી વગેરેમાં જોઈ શકાય છે. અગેય પૃથ્વીને પ્રવાહી રૂપ આપવાનો પ્રયત્ન પ્રો. બળવંતરાય ઠાકોરે પણ કર્યો છે. પણ…

વધુ વાંચો >

અપબીજાણુતા

અપબીજાણુતા (apospory) : વનસ્પતિઓમાં અર્ધસૂત્રી ભાજન અને બીજાણુ-નિર્માણ થયા સિવાય બીજાણુજનક (sporophyte) અવસ્થામાંથી જન્યુજનક અવસ્થાનો થતો વિકાસ. તેને અબીજકજનન અથવા અવબીજાણુતા પણ કહે છે. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે છે. એક તે જન્યુજનક. તેમાં નરજન્યુ અને માદાજન્યુના મિલનથી યુગ્મનક (zygote) બને અને તેમાંથી પુખ્ત ભ્રૂણ…

વધુ વાંચો >

અપભ્રંશ ભાષા અને સાહિત્ય

અપભ્રંશ ભાષા અને સાહિત્ય પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે. ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં…

વધુ વાંચો >

અન્શાન

Jan 11, 1989

અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…

વધુ વાંચો >

અન્સાર

Jan 11, 1989

અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં…

વધુ વાંચો >

અન્સારી, અસલૂબ એહમદ

Jan 11, 1989

અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’માંથી સ્નાતક થયા.…

વધુ વાંચો >

અન્સારી નુરૂલ હસન

Jan 11, 1989

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’…

વધુ વાંચો >

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

Jan 11, 1989

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

અન્સારી, મોહમ્મદ હમિદ

Jan 11, 1989

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય…

વધુ વાંચો >

અન્સારી, હયાતુલ્લા

Jan 11, 1989

અન્સારી, હયાતુલ્લા (જ. 1912, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 18 ફેબ્રુઆરી 1999) : પ્રગતિશીલ ઉર્દૂ વાર્તા-ઉપન્યાસના લેખક. તેમની એક વાર્તા ‘આખિરી કોશિશ’ બહુ જાણીતી છે. તેમને નાનપણથી જ ગરીબી અને શોષણનો અનુભવ હતો. માર્ક્સવાદી વિચારધારાથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. પરંતુ ગાંધીવિચાર પણ તેમને એટલો જ સ્પર્શી ગયો હતો. તેમની સાહિત્યિક રચનાઓમાં…

વધુ વાંચો >

અપકૃત્યનો કાયદો

Jan 11, 1989

અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું…

વધુ વાંચો >

અપકેન્દ્રી પંપ

Jan 11, 1989

અપકેન્દ્રી પંપ : તરલ(fluid)ને ત્રિજ્યાની દિશામાં બહારની તરફ પ્રવેગ આપવા માટેની યાંત્રિક રચના. બધા પ્રકારના પંપો કરતાં અપકેન્દ્રી પંપ વડે તરલના વધુ જથ્થાની હેરફેર થઈ શકે છે. આ પ્રકારના પંપો તરલના થડકારરહિત અસ્ખલિત પ્રવાહ, મોટી ક્ષમતા માટેની અનુકૂળતા, સરળ સંચાલન અને ઓછી કિંમતને કારણે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે.…

વધુ વાંચો >

અપકેન્દ્રી બળ

Jan 11, 1989

અપકેન્દ્રી બળ (centrifugal force) : કેન્દ્રની આસપાસ કોઈ પદાર્થ-કણને ફરતો રાખનાર અભિકેન્દ્રી (centripetal) બળના જેટલું, પણ વિરુદ્ધ દિશામાં પ્રવર્તતું કાલ્પનિક (fictitious) બળ. વર્તુળમય પથ ઉપર ગતિ કરતા પદાર્થકણને તેના ગતિપથ ઉપર જકડી રાખતા કેન્દ્ર તરફ પ્રવર્તતા બળને અભિકેન્દ્રી બળ કહે છે. ધારો કે m દ્રવ્યમાનનો એક પદાર્થકણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ…

વધુ વાંચો >