૧.૧૧

અન્શાનથી અપરિગ્રહ

અન્શાન

અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…

વધુ વાંચો >

અન્સાર

અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં…

વધુ વાંચો >

અન્સારી, અસલૂબ એહમદ

અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’માંથી સ્નાતક થયા.…

વધુ વાંચો >

અન્સારી નુરૂલ હસન

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’…

વધુ વાંચો >

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

અન્સારી, મોહમ્મદ હમિદ

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય…

વધુ વાંચો >

અન્સારી, હયાતુલ્લા

અન્સારી, હયાતુલ્લા (જ. 1912, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 18 ફેબ્રુઆરી 1999) : પ્રગતિશીલ ઉર્દૂ વાર્તા-ઉપન્યાસના લેખક. તેમની એક વાર્તા ‘આખિરી કોશિશ’ બહુ જાણીતી છે. તેમને નાનપણથી જ ગરીબી અને શોષણનો અનુભવ હતો. માર્ક્સવાદી વિચારધારાથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. પરંતુ ગાંધીવિચાર પણ તેમને એટલો જ સ્પર્શી ગયો હતો. તેમની સાહિત્યિક રચનાઓમાં…

વધુ વાંચો >

અપકૃત્યનો કાયદો

અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું…

વધુ વાંચો >

અપકેન્દ્રી પંપ

અપકેન્દ્રી પંપ : તરલ(fluid)ને ત્રિજ્યાની દિશામાં બહારની તરફ પ્રવેગ આપવા માટેની યાંત્રિક રચના. બધા પ્રકારના પંપો કરતાં અપકેન્દ્રી પંપ વડે તરલના વધુ જથ્થાની હેરફેર થઈ શકે છે. આ પ્રકારના પંપો તરલના થડકારરહિત અસ્ખલિત પ્રવાહ, મોટી ક્ષમતા માટેની અનુકૂળતા, સરળ સંચાલન અને ઓછી કિંમતને કારણે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે.…

વધુ વાંચો >

અપકેન્દ્રી બળ

અપકેન્દ્રી બળ (centrifugal force) : કેન્દ્રની આસપાસ કોઈ પદાર્થ-કણને ફરતો રાખનાર અભિકેન્દ્રી (centripetal) બળના જેટલું, પણ વિરુદ્ધ દિશામાં પ્રવર્તતું કાલ્પનિક (fictitious) બળ. વર્તુળમય પથ ઉપર ગતિ કરતા પદાર્થકણને તેના ગતિપથ ઉપર જકડી રાખતા કેન્દ્ર તરફ પ્રવર્તતા બળને અભિકેન્દ્રી બળ કહે છે. ધારો કે m દ્રવ્યમાનનો એક પદાર્થકણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ…

વધુ વાંચો >

અપમિશ્રણ

Jan 11, 1989

અપમિશ્રણ (doping) : જર્મેનિયમ (Ge) કે સિલિકોન (Si) જેવાં આંતરિક અર્ધવાહકો(intrinsic semiconductors)ના ગુણધર્મોમાં આમૂલ ફેરફાર કરવાના હેતુથી થતી જરૂરી તત્વોની મેળવણી. આ ક્રિયાથી શુદ્ધ અર્ધવાહકના વિદ્યુત ગુણધર્મોમાં યથેચ્છ ફેરફારો લાવી શકાય છે. અહીં અપમિશ્રણ એટલે ગમે તે બિનજરૂરી ચીજ નહિ, પણ જરૂરી તત્વ જરૂરી પ્રમાણમાં એમ સમજવાનું છે. અપમિશ્રણથી સંપ્રાપ્ત…

વધુ વાંચો >

અપમૂત્રપિંડી સંલક્ષણ

Jan 11, 1989

અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) : સમગ્ર શરીરના સોજાના કારણરૂપ મૂત્રપિંડનો વિકાર. સમગ્ર શરીરમાં સોજા (જળશોફ) આવે; હૃદય, ફેફસાંની આસપાસ પાણી ભરાય; જલોદર (ascites) થાય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તથા આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે અને પેશાબમાં દરરોજ 5 ગ્રામથી વધુ આલ્બ્યુમિન વહી જાય તે લક્ષણસમૂહને અપમૂત્રપિંડી સંલક્ષણ કહે છે. આ…

વધુ વાંચો >

અપરાજિતપૃચ્છા

Jan 11, 1989

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા…

વધુ વાંચો >

અપરાજિતા (1)

Jan 11, 1989

અપરાજિતા (1) : બંગાળી નવલકથા (1932) અને ફિલ્મ (1956). બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ નવલકથાના અનુસંધાનમાં આ નવલકથા લખાઈ છે. બંને નવલકથાઓ લેખકના જીવન પર આધારિત છે. બાળપણથી જ પ્રકૃતિની ગોદમાં ઊછરેલી વ્યક્તિનું માનસ કેવું ઘડાય છે તે કથાનાયક અપુના પાત્ર દ્વારા લેખકે દર્શાવ્યું છે. અપુને પ્રાકૃતિક તત્ત્વો…

વધુ વાંચો >

અપરાજિતા (2)

Jan 11, 1989

અપરાજિતા (2) (1972) : સિંધી વાર્તાસંગ્રહ. રચયિતા ગુનો સમતાણી. 1950થી 1968 સુધીમાં લખાયેલી છ વાર્તાઓ એમાં સંકલિત છે. આ પુસ્તકને માટે લેખકને 1972નો વર્ષના શ્રેષ્ઠ સિંધી પુસ્તકનો પુરસ્કાર મળેલો. આ વાર્તાઓનો જુદો જુદો પરિવેશ હોવા છતાં કથાનકોનું લક્ષ્ય તો એક જ રહ્યું છે. એ છે મર્ત્ય શરીરમાં અમર્ત્ય એવા પ્રેમની…

વધુ વાંચો >

અપરાધ

Jan 11, 1989

અપરાધ : જુઓ, ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

વધુ વાંચો >

અપરાધભાવ

Jan 11, 1989

અપરાધભાવ (guilt-feeling) : પોતે જ અપરાધ કર્યો હોય તેવી લાગણી. સર્વ પ્રાણીઓમાં માનવી જ એક એવું પ્રાણી છે, જે અપરાધભાવ અનુભવવા અને તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પોતાની માન્યતા મુજબ કે સામાજિક ધારાધોરણો મુજબ વ્યવહાર ન કરી શકે તો વ્યક્તિ અપરાધભાવનો અનુભવ કરે છે. ફ્રૉઇડના મંતવ્ય મુજબ માનવ-વ્યક્તિત્વ ત્રણ…

વધુ વાંચો >

અપરાધવિજ્ઞાન

Jan 11, 1989

અપરાધવિજ્ઞાન ગુનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, ગુનાઓ પર અંકુશ, ગુનેગારોને ફરમાવવામાં આવતી સજાઓનું સ્વરૂપ વગેરે બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અપરાધ એટલે કોઈ પણ સમુદાયે જે તે સ્થળે અને સમયે વિધિવત્ અપનાવેલ અને અમલમાં મૂકેલ કાયદાનું ઉલ્લંઘન. માત્ર સામાજિક અને સાંસ્કારિક મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિના અપેક્ષિત વર્તનને કાયદાનું નામ આપી શકાય નહિ. એ અપરાધની…

વધુ વાંચો >

અપરાંત

Jan 11, 1989

અપરાંત : પશ્ચિમ ભારતનો નર્મદાથી થાણે સુધીનો પ્રદેશ મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણોમાં ‘અપરાંત’ના એક ભાગ તરીકે ઉલ્લેખાયેલ ‘આંતર નર્મદ’ પ્રદેશ. તેને માર્કંડેય પુરાણમાં ‘ઉત્તર નર્મદ’ કહ્યો છે. આથી આંતર નર્મદ ‘અનૂપ’ને સમાવી લેતો આજના ગુજરાતનો દક્ષિણનો પ્રદેશ હોઈ શકે. ‘અનૂપ’, ‘નાસિક્ય’, ‘આંતર નર્મદ’ અને ‘ભારુકચ્છ’ પ્રદેશોને પોતામાં સમાવી લેતો…

વધુ વાંચો >

અપરિગ્રહ

Jan 11, 1989

અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી…

વધુ વાંચો >