૧૬.૧૪

મૂળે ગુણાકરથી મૃદા (માટી) ઇજનેરી શાસ્ત્ર

મૂળે, ગુણાકર

મૂળે, ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, સિંદી-બુજરુક, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 2009) : હિંદી ભાષામાં સ્વતંત્ર લેખન કરતા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાન-લેખક. માતૃભાષા મરાઠી અને લેખનની ભાષા મુખ્યત્વે હિંદી, મરાઠી અને અંગ્રેજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામની શાળામાં. હિંદી અને સંસ્કૃતનું આરંભિક શિક્ષણ ગામની જ એક પાઠશાળામાં. પુણેની ટિળક…

વધુ વાંચો >

મૃગજળ (mirage)

મૃગજળ (mirage) : વાતાવરણમાં લંબ દિશામાં મળતા હવાની ઘનતાના અસામાન્ય વિતરણ(abnormal vertical distribution)-ના કારણે પ્રકાશનાં કિરણોનું વંકન (bending) થવાથી દૂરની વસ્તુ(object)નાં મળતાં જુદા જુદા પ્રકારનાં અસામાન્ય પ્રતિબિંબો (images). જો જમીનની સપાટી નજીકની હવા તેના ઉપરના સ્તરની હવા કરતાં વધારે ગરમ હોય અને તેના પરિણામે સપાટી નજીકની હવાની ઘનતા ઉપરના સ્તરની…

વધુ વાંચો >

મૃગયા (ચલચિત્ર)

મૃગયા (ચલચિત્ર) (1976) : સરકાર સામે બળવો કરનારનું માથું કાપી લાવનારને ઇનામ અને પ્રજાનું શોષણ કરનાર જમીનદારનું માથું વાઢી લાવનારને ફાંસી આપતી બ્રિટિશ ન્યાયપ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન મૂકતું ચિત્ર. ભાષા : હિંદી; રંગીન; નિર્માણસંસ્થા : ઉદય ભાસ્કર; દિગ્દર્શક : મૃણાલ સેન; પટકથા : મૃણાલ સેન, મોહિત ચટ્ટોપાધ્યાય; કથા : ભગવતીચંદ્ર પાણિગ્રહી,…

વધુ વાંચો >

મૃગશીર્ષ નક્ષત્ર

મૃગશીર્ષ નક્ષત્ર (Orion Constellation) : 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર, જે ગ્રીક દંતકથા પ્રમાણે શિકારી(Hunter)ના ચિત્ર વડે દર્શાવવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તે દક્ષિણ દિશામાં દેખાય છે. તેના મુખ્ય બે જાણીતા તારા છે : આર્દ્રા (Betelgeuse) અને બાણરજ (Rigel). તેનો ત્રીજો તેજસ્વી તારો છે ‘ગૅમા ઓરાયોનિસ’ અથવા ‘બેલા-ટ્રિક્સ’ (Gamma…

વધુ વાંચો >

મૃગશીર્ષ નિહારિકા

મૃગશીર્ષ નિહારિકા (Orion Nebula) : મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલી વાયુ અને ધૂળની વિરાટ નિહારિકા. તે M42 અને NGC 1976 નામોથી પણ ઓળખાય છે. મૃગશીર્ષ નક્ષત્રની મધ્યમાં તલવારના સ્થાન (જુઓ આકૃતિ – મૃગશીર્ષ નક્ષત્ર) પર આવેલી આ નિહારિકા 1500 પ્રકાશવર્ષ દૂર છે અને તેનો વ્યાસ 15 પ્રકાશવર્ષ જેટલો વિશાળ છે. તેમાં સતત…

વધુ વાંચો >

મૃચ્છકટિક

મૃચ્છકટિક : સંસ્કૃત ભાષામાં પ્રકરણ પ્રકારનું શૂદ્રકે લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. ‘મૃચ્છકટિક’ના ગુજરાતી અનુવાદક શ્રી સુન્દરમ્ જણાવે છે તેમ, તેનું કથાવસ્તુ લોકસંશયવાળું છે અને તેમાં મૂર્ત થતું જનજીવન તેને વૈશિષ્ટ્ય બક્ષે છે, જેને પરિણામે સમગ્ર નાટક આધુનિક રુચિને વિશેષ આસ્વાદ્ય બની રહે તેવું જણાય છે. તેના પ્રથમ અંકમાં ચારુદત્તનું દારિદ્ય્ર,…

વધુ વાંચો >

મૃણાલિની સારાભાઈ

મૃણાલિની સારાભાઈ (જ. 11 મે 1928, અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ; અ. 21 જાન્યુઆરી 2016, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ભરતનાટ્યમનાં સમર્થ નૃત્યાંગના, દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આટર્સનાં સ્થાપક-નિર્દેશક અને ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિની પહેલ કરનાર સન્નારી. પિતા ડૉ. સ્વામીનાથન્ મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતે કાયદાની પ્રૅક્ટિસ કરતા અને માતા અમ્મુસ્વામીનાથન્ બહુમુખી પ્રતિભા…

વધુ વાંચો >

મૃણ્મય ખડકો

મૃણ્મય ખડકો (Argillaceous Rocks) : કણજન્ય જળકૃત ખડકોનો સામૂહિક પ્રકાર. આ પ્રકારના ખડકો માટીના કણોથી બનેલા હોવાથી તેમને મૃણ્મય ખડકો કહે છે. તે ‘લ્યુટાઇટ્સ’ના સામૂહિક નામથી પણ ઓળખાય છે, જેમાં શેલ, આર્જિલાઇટ્સ, કાંપપાષાણ (સિલ્ટસ્ટોન) તથા પંકપાષાણ (મડસ્ટોન) જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આ બધા એવા કણજન્ય ખડકપ્રકારો છે, જેમનાં કણકદ…

વધુ વાંચો >

મૃત પ્રાણીદેહની સાચવણી

મૃત પ્રાણીદેહની સાચવણી : મૃત પ્રાણીઓના શરીર પર સૂક્ષ્મ જીવો વડે થતો સડો (અપઘટન – decomposition) અટકાવવા યોજાતા ઉપચારો. પ્રાણીશરીરની બંધારણાત્મક તેમજ ચયાપચયીન પ્રક્રિયા વિશે માહિતી મેળવવા તેમજ માનવ અને પશુસ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘટનાઓને સમજવા જીવંત તેમજ મૃત પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. કેટલીક વાર સંજોગવશાત્ માનવશબ પર…

વધુ વાંચો >

મૃતભક્ષી પોષણકડી

મૃતભક્ષી પોષણકડી : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

મૃતમસ્તિષ્કતા

Feb 14, 2002

મૃતમસ્તિષ્કતા : જુઓ મૃત્યુ, મૃત્યુ મસ્તિષ્કી

વધુ વાંચો >

મૃતશિશુજન્મ

Feb 14, 2002

મૃતશિશુજન્મ (still birth) : 24 અઠવાડિયાંના ગર્ભાશયી કાળ પછી મૃત્યુ પામેલા ગર્ભશિશુ(foetus)નો પ્રસવ થવો તે. આમ ગર્ભશિશુ ગર્ભાશયમાં કે પ્રસવસમયે મૃત્યુ પામે અને જ્યારે અવતરે ત્યારે મૃત હોય તો તેને મૃતશિશુજન્મ કહે છે. તેને ગર્ભપાત (24 અઠવાડિયાં પહેલાંનું મૃત્યુ) અને સજીવજન્મ(જન્મ વખતે જીવતું શિશુ)થી અલગ પાડવામાં આવે છે. જો તેનું…

વધુ વાંચો >

મૃત સમુદ્ર

Feb 14, 2002

મૃત સમુદ્ર (Dead Sea) : નૈર્ઋત્ય એશિયામાં જૉર્ડન અને ઇઝરાયલની સરહદ પર આવેલું ખારા પાણીનું સરોવર. તે જૉર્ડન ખીણની દક્ષિણ ધાર પર, જૉર્ડન નદીના મુખ પર આવેલું છે. જૉર્ડન–ઇઝરાયલ સરહદ સરોવરની મધ્યમાંથી પસાર થાય છે અને તેના લગભગ બે સરખા ભાગ પાડે છે. તે 31° 30´ ઉ. અ. અને 35°…

વધુ વાંચો >

મૃતસંજીવની સુરા

Feb 14, 2002

મૃતસંજીવની સુરા : આયુર્વેદની એક પ્રભાવશાળી પ્રવાહી ઔષધિ. આયુર્વેદમાં અનેક પ્રકારની પ્રવાહી ઔષધિઓ છે; જેમાં ક્વાથ, આસવ, અરિષ્ટ અને અર્ક જેવા પ્રકારો છે. આસવ-અરિષ્ટો એ ઔષધિઓને એક પાત્રમાં રાખી, તેમાં આથો લાવી, તૈયાર કરાય છે. આયુર્વેદની આસવ કે અર્ક પદ્ધતિએ તૈયાર થતી અનેક ઔષધિઓમાં ‘મૃતસંજીવની સુરા’ નામની એક ઔષધિ છે.…

વધુ વાંચો >

મૃત્યુ

Feb 14, 2002

મૃત્યુ ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શ્વસનતંત્રની ક્રિયાઓનું કાયમી અને અનિવર્તનીય (irreversible) સ્વરૂપે એટલે કે ફરીથી શરૂ ન થઈ શકે તેવી રીતે બંધ થવું તે. અગાઉ તબીબો રુધિરાભિસરણ (circulation) સંપૂર્ણપણે બંધ થાય અને તેથી પ્રાણીય અને જૈવિક ક્રિયાઓ અટકી પડે તો તેને મૃત્યુ કહેતા હતા; પરંતુ કૃત્રિમ સાધનો વડે શ્વસન અને રુધિરાભિસરણને…

વધુ વાંચો >

મૃત્યુ તત્કાળ

Feb 14, 2002

મૃત્યુ તત્કાળ : જુઓ, મૃત્યુ.

વધુ વાંચો >

મૃત્યુદર

Feb 14, 2002

મૃત્યુદર (mortality rate) : દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ. જન્મ પછી કોઈ પણ સમયે જીવનનાં બધાં જ લક્ષણો અર્દશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુપ્રમાણના આંકડા જન્મ-મરણની નોંધણીપદ્ધતિ દ્વારા મેળવાય છે. દુનિયાના મોટાભાગના દેશો જન્મ-મરણની નોંધણી અંગે દુર્લક્ષ સેવે છે. આથી મૃત્યુપ્રમાણના આંકડા…

વધુ વાંચો >

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન)

Feb 14, 2002

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન) : કોઈ એક વસ્તીમાં કોઈ એક નિશ્ચિત સમયગાળામાં વ્યક્તિઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવતો આંક. જેમ વધુ જન્મપ્રમાણથી વસ્તીની સંખ્યા અને કદમાં વૃદ્ધિ થાય છે, તે જ રીતે મૃત્યુનું પ્રમાણ વધવાથી તેમાં ઘટાડો થાય છે. કેટલાક સજીવો શૈશવકાળમાં તો કેટલાક યુવાવસ્થામાં કે અન્ય કેટલાક વૃદ્ધાવસ્થા દરમિયાન મૃત્યુ પામે…

વધુ વાંચો >

મૃત્યુ, મસ્તિષ્કી (brain death)

Feb 14, 2002

મૃત્યુ, મસ્તિષ્કી (brain death) : મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી થતું મૃત્યુ. શ્વસનકાર્ય અને હૃદય બંધ થવાથી મગજનું કાર્ય પણ અટકે છે અને મૃત્યુ થાય છે તેમ મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અને હૃદયનું કાર્ય પણ બંધ થાય છે. તેથી તેવી સ્થિતિમાં…

વધુ વાંચો >

મૃત્યુવેરો (Estate Duty)

Feb 14, 2002

મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ…

વધુ વાંચો >