૧૬.૦૮

મુખામુખમથી મુદ્રણ

મુખામુખમ્

મુખામુખમ્ (1984) : માનવમનની વિચિત્રતાઓમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતું પ્રશિષ્ટ કલાત્મક ચલચિત્ર. આ ચલચિત્ર દ્વારા કેરળના સામ્યવાદી પક્ષ પર કરાયેલા આક્ષેપને કારણે તે પ્રદર્શિત થયું ત્યારે ખાસ્સા વિવાદમાં સપડાયું હતું. ચિત્ર રંગીન, ભાષા : મલયાળમ, નિર્માણસંસ્થા : જનરલ પિક્ચર્સ, નિર્માતા : કે. રવીન્દ્રનાથન્ નાયર, કથા-દિગ્દર્શન : અડૂર ગોપાલકૃષ્ણન્, છબિકલા :…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ (જ. 1902; અ. ઑક્ટોબર 1997) : બંગાળી લેખક. તેમને પ્રવાસકથા ‘મણિમહેશ’ માટે 1971ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ સર આશુતોષ મુખરજીના પુત્ર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી. ની પદવી મેળવી. પછી અધ્યાપન ઉપરાંત વર્ષો સુધી વકીલાત કરી. 1958માં વકીલાતનો વ્યવસાય છોડી દઈને…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, કૌશિક

મુખોપાધ્યાય, કૌશિક (જ. 1960) : આધુનિક ભારતીય શિલ્પી. 1986માં તેઓ કૉલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ર્દશ્યકલામાં સ્નાતક અને 1989માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતક થયા. ફેંકી દીધેલા કૂડાકચરા અને ભંગારમાંથી શિલ્પસર્જન કરવા માટે કૌશિક જાણીતા છે. તૂટેલાં પ્લાસ્ટિકનાં પીપડાં, ડોલ ઇત્યાદિને ઇચ્છા મુજબ વધુ તોડી-ચીરીને તેની સાથે ધાતુનો અન્ય ભંગાર ચોંટાડીને,…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર (જ. 3 ફેબ્રુઆરી 1873, ધાત્રીગ્રામ, જિ. વર્ધમાન; અ. 5 એપ્રિલ 1932) : જાણીતા બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1888માં જમાલપુર એચ. ઈ. સ્કૂલમાં પ્રવેશ-(એન્ટ્રન્સ) પરીક્ષા પસાર કરી તથા બિહારની પટણા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી 1895માં સ્નાતકની પદવી મેળવી. થોડો વખત ભારત સરકારની નોકરીમાં જોડાયા. 1901માં…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ (જ. 2 નવેમ્બર 1935, જિ. મૈમનસિંગ, હવે બાંગ્લાદેશમાં) : બંગાળી સાહિત્યકાર. તેમની નવલકથા ‘માનવજમિન’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કૉલકાતાની કાલીઘાટ ઓરિયેન્ટલ એકૅડેમીમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી ‘દેશ’ સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે જોડાયા. તેમણે લેખન-કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શૈલજાનંદ

મુખોપાધ્યાય, શૈલજાનંદ (જ. 1900; અ. 1976) : તેમનો જન્મ બર્દવાન જિલ્લાના અંડાલ ગામમાં થયો હતો. વાર્તાકાર. પશ્ચિમ બંગાળના ખાણ-ઉદ્યોગના શહેરમાં કાઝી નજરુલ ઇસ્લામના સહાધ્યાયી અને મિત્ર હતા. તેઓ રેજિમેન્ટમાં ભરતી થવા નજરુલની જેમ જ એક વાર ઘરમાંથી નાસી ગયા હતા. બંનેએ આરંભની સાહિત્યિક યાત્રા સાથે શરૂ કરી. નિશાળના અભ્યાસકાળ દરમિયાન…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સુભાષ

મુખોપાધ્યાય, સુભાષ (જ. 23 ફેબ્રુઆરી 1919, કૃષ્ણનગર, નદિયા, પ. બંગાળ; અ. 8 જુલાઈ 2003) : નામાંકિત બંગાળી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જોતો દૂરેઈ જાઈ’ (1962) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સર્જનાત્મક સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ 1991ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 1941માં તેમણે…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન (જ. 1884; અ. 1966) : જાણીતા બંગાળી વાર્તાકાર તથા નવલકથાકાર. તેઓ ‘ભારતી’ સાથે સંકળાયેલા હતા. તેમણે લગભગ 100 કૃતિઓ પ્રગટ કરી હતી. પરંતુ તેઓ મુખ્યત્વે તેમની ‘દીનેર આલો’ અને ‘ઠાકુરજી’ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓને લીધે લોકપ્રિય બન્યા હતા. તેમની મોટાભાગની વાર્તાઓનો વિષય પ્રેમ છે. તેમની ટૂંકી વાર્તાઓની શૈલીમાં…

વધુ વાંચો >

મુખ્તસર તારીખે ગુજરાત

મુખ્તસર તારીખે ગુજરાત (1847) : અમદાવાદના સારાભાઈ નાગરે ફારસી ભાષામાં લખેલ ઇતિહાસનો ગ્રંથ. તેમાં તેમણે દિલ્હીના શહેનશાહોએ નીમેલા મુઘલ સૂબાઓને વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે. એમાં મુઘલ સૂબાઓ તથા સમકાલીન મરાઠા સરદારો વચ્ચે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળે થયેલી લડાઈઓની વિગતો પણ આપવામાં આવી છે, જે નોંધપાત્ર છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મુખ્ય મંત્રી

મુખ્ય મંત્રી : ભારતમાં ઘટક રાજ્યની સરકારના ચૂંટાયેલા રાજકીય વડા. સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણે ભારતને ‘રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાવેલ છે. 1956ના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્યવિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે : (અ) રાજ્ય અને (બ) સંઘ રાજ્યક્ષેત્ર. હાલમાં ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ,…

વધુ વાંચો >

મુજવંતો

Feb 8, 2002

મુજવંતો :  હિમાલયમાં રહેતા પર્વતાળ ટોળીના લોકો. અથર્વવેદમાં મહાવૃષો, ગાંધારો, બાહલિકો સહિત મુજવંતોનો પણ ‘દૂર રહેનારા લોકો’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં પણ મુજવંતોને ‘દૂરના પ્રદેશમાં રહેતા લોકો’ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. હિમાલય પર્વતમાં આવેલ મુજવંત ટેકરીઓ ઉપરથી ત્યાં વસતા લોકો માટે આ નામ આપવામાં આવ્યું હોય એમ માનવામાં…

વધુ વાંચો >

મુજાહિદખાન

Feb 8, 2002

મુજાહિદખાન : ગુજરાતના સુલતાન મહમૂદશાહ ત્રીજા(ઈ. સ. 1537–1554)નો રાજ્યરક્ષક અને મહત્વનો અમીર. સુલતાને હલકી મનોવૃત્તિવાળા લોકોની સલાહથી ઘણાં અયોગ્ય કાર્યો કર્યાં; તેથી આલમખાન અને મુજાહિદખાન જેવા મહત્વના અમીરોએ સુલતાન ઉપર દેખરેખ રાખવા માંડી તથા તે નજરકેદમાં હોય એવી સ્થિતિ નિર્માણ કરી. આ દરમિયાન અમીરોમાં અંદરોઅંદર કુસંપ થયો. અમીર મુજાહિદખાન પરદેશી…

વધુ વાંચો >

મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ

Feb 8, 2002

મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ (જ. 13 ઑક્ટોબર 1882, પુણે; અ. 22 ઑગસ્ટ 1964, વડોદરા) : ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિના મોખરાના આદ્ય સંચાલક. મૂળ નાસિક જિલ્લાના પિંપળગાંવ તરફના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ચિંતામણ નારાયણ ઉર્ફે ભાઉસાહેબ વડોદરામાં પ્રતિષ્ઠિત ગર્ભશ્રીમંત આસામદાર હતા. તેમના વડીલોએ વડોદરા રાજ્યમાં મુજુમદારી મેળવેલી. તેથી મૂળની ‘કરંદીકર’ અટક ‘મુજુમદાર’માં ફેરવાઈ.…

વધુ વાંચો >

મુઝફ્ફરનગર

Feb 8, 2002

મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ…

વધુ વાંચો >

મુઝફ્ફરપુર

Feb 8, 2002

મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

મુઝફ્ફરશાહ પહેલો

Feb 8, 2002

મુઝફ્ફરશાહ પહેલો (સુલતાનપદ : 1407–1410) : ગુજરાતનો સ્વતંત્ર સુલતાન. દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલુકે ઈ. સ. 1391માં તેને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. ત્યારે તેનું નામ ઝફરખાન હતું. તે દૂરંદેશી અને મુત્સદ્દી હતો. તિમુરની ચડાઈ બાદ દિલ્હી સલ્તનતમાં અંધાધૂંધીનો લાભ લઈ ત્યાંના સુલતાનની અવગણના કરી, તેણે ગુજરાતમાં સ્વતંત્ર શાસન કરવા…

વધુ વાંચો >

મુઝફ્ફરશાહ બીજો

Feb 8, 2002

મુઝફ્ફરશાહ બીજો (શાસનકાળ : 1511–1526) : ગુજરાતનો સુલતાન અને મહમૂદશાહ બેગડાનો શાહજાદો. તેણે ઈરાની રાજદૂતને સન્માન સહિત પોતાના દરબારમાં બોલાવી, એની કીમતી ભેટો સ્વીકારી. તેણે ઈડરના રાવ ભીમસિંહને મોડાસા આગળ હરાવી, ઈડર જઈ લૂંટ કરીને મંદિરો તથા મકાનો જમીનદોસ્ત કર્યાં. માંડુથી નાસીને આવેલા સુલતાન મહમૂદશાહ બીજાનો સત્કાર કર્યો. માંડુનો કિલ્લો…

વધુ વાંચો >

મુઝફ્ફરશાહ ત્રીજો

Feb 8, 2002

મુઝફ્ફરશાહ ત્રીજો (શાસનકાળ : 1561–1573; અ. 1592) : ગુજરાતનો છેલ્લો સુલતાન. સુલતાન અહમદશાહ ત્રીજાના મૃત્યુ બાદ, તેને વારસ ન હોવાથી, રાજ-રક્ષક તરીકે વહીવટ કરનાર ઇતિમાદખાને શાહી ખાનદાનના નન્નૂ નામના છોકરાને ‘મુઝફ્ફરશાહ ત્રીજા’નો ખિતાબ આપી ગાદીએ બેસાડ્યો. તે સમયે અમીરોનાં અનેક રાજ્યોમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. અમીરોમાં સત્તા માટે ખેંચતાણ થતી…

વધુ વાંચો >

મુઝફ્ફરાબાદ (જિલ્લો)

Feb 8, 2002

મુઝફ્ફરાબાદ (જિલ્લો) : પાકિસ્તાન હસ્તક રહેલા કાશ્મીરના દસ જિલ્લાઓમાનો એક. ભૌગોલિક સ્થાન : 34 19´ ઉ. અ. અને 73 39´ પૂ. રે.ની આસપાસ આવેલો છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ જેલમ અને નિલમ છે. આ સિવાય અન્ય શાખા નદીઓ પણ વહે છે. મોટે ભાગે તે સમુદ્રસપાટીથી 700થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. પાકિસ્તાને…

વધુ વાંચો >

મુતનબ્બી

Feb 8, 2002

મુતનબ્બી (જ. 915, કૂફા, ઇરાક; અ. 23 સપ્ટેમ્બર 965) : અરબી ભાષાના સર્વોત્તમ કવિ. તેમને તેમના જીવન દરમિયાન ધર્મવિરોધી વલણોને લઈને વખોડવામાં આવ્યા હતા. તેમની કવિતા છેલ્લાં 1,000 વર્ષથી વખણાતી રહી છે. તેમની ઉપર નબી (ઈશ્વરના દૂત અથવા પયગંબર) હોવાનો જુઠ્ઠો દાવો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો; આમ છતાં તેમની…

વધુ વાંચો >