૧૬.૦૮

મુખામુખમથી મુદ્રણ

મુખ્ય શ્રેણી, તારકોની

મુખ્ય શ્રેણી, તારકોની (Main Sequence) : હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ ઉપર ઉચ્ચ તાપમાન અને તેજસ્વિતાથી શરૂ થઈ નિમ્ન તાપમાન આગળ સમાપ્ત થતો તારાઓનો વિકર્ણી પટ્ટો. તારાકીય (steller) તાપમાન (અથવા રંગો) અને નિરપેક્ષ માત્રા(અથવા તેજસ્વિતા)નો સંબંધ દર્શાવતી આકૃતિને હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ કહે છે. તારાઓના વાતાવરણના ઉપરના સ્તરો દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા આપણે દ્રવ્યપ્રકાશ સ્વરૂપે…

વધુ વાંચો >

મુખ્લિસ, આનંદરામ

મુખ્લિસ, આનંદરામ (જ. 1700, સોધરા, જિ. સિયાલકોટ; અ. 1751) : ફારસી ભાષાના વિદ્વાન, લેખક અને કવિ. તેઓ છેલ્લા મુઘલ રાજવીઓના અમીર-ઉમરાવોના દરબારોમાં રાજકીય વગ પણ ધરાવતા હતા. આનંદરામ પંજાબી કાયસ્થ હતા. તેમના દાદા ગજપતરાય અને પિતા રાજા હૃદયરામ ફારસી ભાષાના જાણકાર હતા. આનંદરામ ભરયુવાનીમાં દિલ્હીમાં મુઘલ વજીર એતિમાદ-ઉદ્-દૌલાના વકીલ બન્યા…

વધુ વાંચો >

મુગટરામજી મહારાજ

મુગટરામજી મહારાજ (જ. 21 એપ્રિલ 1874, મંજુસર, તા. સાવલી; અ. 14 એપ્રિલ 1924, મંજુસર) : ગુજરાતના સિદ્ધકોટિના સનાતની સંતપુરુષ. પિતા આદિતરામ, માતા દિવાળીબા. નાદેરા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મામા દાજીરામ જાની સિદ્ધપુરુષ હતા અને મંજુસરના મહાત્મા તરીકે પંકાયા હતા. મુગટરામ મામા પાસે રહી ભણ્યા અને તેમને જ સદગુરુ માની તેમની ખૂબ…

વધુ વાંચો >

મુગલી, આર. એસ.

મુગલી, આર. એસ. (જ. 15 જુલાઈ 1906, હોલે, અલૂર, કર્ણાટક; અ. 20 ફેબ્રુઆરી 1992, બૅંગાલુરુ) : ક્ન્નડ ભાષાના કવિ, વિવેચક અને નવલકથાકાર. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે 14 વર્ષની વયે થોડા સમય માટે શાળા-અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી અભ્યાસ શરૂ કરીને તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ., એમ. એ. તથા ડી. લિટ્.ની ડિગ્રી…

વધુ વાંચો >

મુગલે આઝમ

મુગલે આઝમ (1960) : નિર્માતા કે. આસિફનું ઐતિહાસિક પશ્ચાદભૂવાળી સલીમ અને અનારકલીની પ્રણયકથા ઉપર આધારિત સીમાચિહ્નરૂપ ચલચિત્ર. ભાષા : ઉર્દૂ; શ્વેત અને શ્યામ (આંશિક રંગીન); નિર્માણસંસ્થા : સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન; દિગ્દર્શક : કે. આસિફ; પટકથા : કે. આસિફ, અમાન; સંવાદ : કમાલ અમરોહી, એહસાન રિઝવી, વઝાહત મિરઝા, અમાન; ગીતકાર :…

વધુ વાંચો >

મુગેરાઇટ

મુગેરાઇટ : જ્વાળામુખીજન્ય અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. આ ખડકનો સંબંધ મુખ્યત્વે બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ સાથે રહેલો હોય છે. મોટાભાગના બેસાલ્ટમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે, તેથી બેસાલ્ટ અમુક પ્રમાણમાં અસંતૃપ્ત ખડક ગણાય. તેમાં જો સોડા અને પૉટાશની વિપુલતા થઈ જાય તો નેફેલિન, ઍનલ્સાઇટ કે પૉટાશ ફેલ્સ્પાર જેવાં ખનિજોનું થોડું પ્રમાણ…

વધુ વાંચો >

મુઘલ શાસન

મુઘલ શાસન બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન. સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ…

વધુ વાંચો >

મુઘલ ચિત્રકલા

મુઘલ ચિત્રકલા : જુઓ ચિત્રકલા

વધુ વાંચો >

મુઘલ સ્થાપત્ય

મુઘલ સ્થાપત્ય : મુઘલ શાસકો(1526–1707)ના રાજ્યાશ્રય અને પ્રોત્સાહનથી ભારતમાં નિર્માણ પામેલું સ્થાપત્ય. મુઘલ સમ્રાટો સ્થાપત્યપ્રેમી હતા અને તેમની પાસે અઢળક ખજાનો હતો તેથી તેમના શાસનકાલમાં સ્થાપત્યકલાની અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. તેમણે ઈરાની અને ભારતીય શૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્યશૈલીનો વિકાસ કર્યો. બાબર સ્થાપત્યકલાનો ચાહક હતો. તેણે બંધાવેલી ઘણીખરી ઇમારતો નાશ પામી…

વધુ વાંચો >

મુજવંત

મુજવંત : ઋગ્વેદના સમયનું હિમાલયનું એક શિખર. ઋગ્વેદમાં આ શિખરનો ઉલ્લેખ સોમ મેળવવાના સ્થળ–સ્રોત (source) તરીકે કરવામાં આવ્યો છે. આ શિખર સંભવત: પંજાબની ઉત્તરે કાશ્મીરની ખીણની નૈર્ઋત્યમાં આવેલું હતું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મુખામુખમ્

Feb 8, 2002

મુખામુખમ્ (1984) : માનવમનની વિચિત્રતાઓમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતું પ્રશિષ્ટ કલાત્મક ચલચિત્ર. આ ચલચિત્ર દ્વારા કેરળના સામ્યવાદી પક્ષ પર કરાયેલા આક્ષેપને કારણે તે પ્રદર્શિત થયું ત્યારે ખાસ્સા વિવાદમાં સપડાયું હતું. ચિત્ર રંગીન, ભાષા : મલયાળમ, નિર્માણસંસ્થા : જનરલ પિક્ચર્સ, નિર્માતા : કે. રવીન્દ્રનાથન્ નાયર, કથા-દિગ્દર્શન : અડૂર ગોપાલકૃષ્ણન્, છબિકલા :…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ

Feb 8, 2002

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ (જ. 1902; અ. ઑક્ટોબર 1997) : બંગાળી લેખક. તેમને પ્રવાસકથા ‘મણિમહેશ’ માટે 1971ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ સર આશુતોષ મુખરજીના પુત્ર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી. ની પદવી મેળવી. પછી અધ્યાપન ઉપરાંત વર્ષો સુધી વકીલાત કરી. 1958માં વકીલાતનો વ્યવસાય છોડી દઈને…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, કૌશિક

Feb 8, 2002

મુખોપાધ્યાય, કૌશિક (જ. 1960) : આધુનિક ભારતીય શિલ્પી. 1986માં તેઓ કૉલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ર્દશ્યકલામાં સ્નાતક અને 1989માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતક થયા. ફેંકી દીધેલા કૂડાકચરા અને ભંગારમાંથી શિલ્પસર્જન કરવા માટે કૌશિક જાણીતા છે. તૂટેલાં પ્લાસ્ટિકનાં પીપડાં, ડોલ ઇત્યાદિને ઇચ્છા મુજબ વધુ તોડી-ચીરીને તેની સાથે ધાતુનો અન્ય ભંગાર ચોંટાડીને,…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર

Feb 8, 2002

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર (જ. 3 ફેબ્રુઆરી 1873, ધાત્રીગ્રામ, જિ. વર્ધમાન; અ. 5 એપ્રિલ 1932) : જાણીતા બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1888માં જમાલપુર એચ. ઈ. સ્કૂલમાં પ્રવેશ-(એન્ટ્રન્સ) પરીક્ષા પસાર કરી તથા બિહારની પટણા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી 1895માં સ્નાતકની પદવી મેળવી. થોડો વખત ભારત સરકારની નોકરીમાં જોડાયા. 1901માં…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ

Feb 8, 2002

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ (જ. 2 નવેમ્બર 1935, જિ. મૈમનસિંગ, હવે બાંગ્લાદેશમાં) : બંગાળી સાહિત્યકાર. તેમની નવલકથા ‘માનવજમિન’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કૉલકાતાની કાલીઘાટ ઓરિયેન્ટલ એકૅડેમીમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી ‘દેશ’ સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે જોડાયા. તેમણે લેખન-કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શૈલજાનંદ

Feb 8, 2002

મુખોપાધ્યાય, શૈલજાનંદ (જ. 1900; અ. 1976) : તેમનો જન્મ બર્દવાન જિલ્લાના અંડાલ ગામમાં થયો હતો. વાર્તાકાર. પશ્ચિમ બંગાળના ખાણ-ઉદ્યોગના શહેરમાં કાઝી નજરુલ ઇસ્લામના સહાધ્યાયી અને મિત્ર હતા. તેઓ રેજિમેન્ટમાં ભરતી થવા નજરુલની જેમ જ એક વાર ઘરમાંથી નાસી ગયા હતા. બંનેએ આરંભની સાહિત્યિક યાત્રા સાથે શરૂ કરી. નિશાળના અભ્યાસકાળ દરમિયાન…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સુભાષ

Feb 8, 2002

મુખોપાધ્યાય, સુભાષ (જ. 23 ફેબ્રુઆરી 1919, કૃષ્ણનગર, નદિયા, પ. બંગાળ; અ. 8 જુલાઈ 2003) : નામાંકિત બંગાળી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જોતો દૂરેઈ જાઈ’ (1962) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સર્જનાત્મક સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ 1991ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 1941માં તેમણે…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન

Feb 8, 2002

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન (જ. 1884; અ. 1966) : જાણીતા બંગાળી વાર્તાકાર તથા નવલકથાકાર. તેઓ ‘ભારતી’ સાથે સંકળાયેલા હતા. તેમણે લગભગ 100 કૃતિઓ પ્રગટ કરી હતી. પરંતુ તેઓ મુખ્યત્વે તેમની ‘દીનેર આલો’ અને ‘ઠાકુરજી’ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓને લીધે લોકપ્રિય બન્યા હતા. તેમની મોટાભાગની વાર્તાઓનો વિષય પ્રેમ છે. તેમની ટૂંકી વાર્તાઓની શૈલીમાં…

વધુ વાંચો >

મુખ્તસર તારીખે ગુજરાત

Feb 8, 2002

મુખ્તસર તારીખે ગુજરાત (1847) : અમદાવાદના સારાભાઈ નાગરે ફારસી ભાષામાં લખેલ ઇતિહાસનો ગ્રંથ. તેમાં તેમણે દિલ્હીના શહેનશાહોએ નીમેલા મુઘલ સૂબાઓને વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે. એમાં મુઘલ સૂબાઓ તથા સમકાલીન મરાઠા સરદારો વચ્ચે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળે થયેલી લડાઈઓની વિગતો પણ આપવામાં આવી છે, જે નોંધપાત્ર છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મુખ્ય મંત્રી

Feb 8, 2002

મુખ્ય મંત્રી : ભારતમાં ઘટક રાજ્યની સરકારના ચૂંટાયેલા રાજકીય વડા. સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણે ભારતને ‘રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાવેલ છે. 1956ના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્યવિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે : (અ) રાજ્ય અને (બ) સંઘ રાજ્યક્ષેત્ર. હાલમાં ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ,…

વધુ વાંચો >