૧૪.૦૧

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી બૉનર એલિસ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બોધન

Jan 1, 2001

બોધન (cognition) : સભાન જીવનનાં લાગણી (affection) અને ક્રિયા કરવાનો સંકલ્પ (conation) એ બે પાસાં સિવાયનું ત્રીજું પાસું. જેમ કે ધ્યાન આપવું, પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું, સમજવું, સ્મરણ કરવું, કલ્પના કરવી અને સર્જવું, પ્રત્યયો (ખ્યાલો) રચીને ભાષા વડે વ્યક્ત કરવા, નિર્ણયો કરવા, સમસ્યાઓ ઉકેલવી અને તર્ક કરવા જેવી વિવિધ જ્ઞાનસંબંધી ક્રિયાઓનો…

વધુ વાંચો >

બોધનાત્મક વિસંવાદિતા

Jan 1, 2001

બોધનાત્મક વિસંવાદિતા (cognitive dissonance) : એક એવી અણગમતી માનસિક સ્થિતિ, જેમાં વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે. માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સાથે સરખાવતો રહે છે. એ તુલના દ્વારા તે પોતાના અનુભવોમાં સુસંગતતા શોધે છે,…

વધુ વાંચો >

બોધિગયા (બુદ્ધગયા)

Jan 1, 2001

બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…

વધુ વાંચો >

બોધિવૃક્ષ

Jan 1, 2001

બોધિવૃક્ષ : બુદ્ધને જેની નીચે જ્ઞાન થયેલું તે, ગયા શહેરથી 11 કિમી. દૂર આવેલું બૌદ્ધધર્મીઓએ અત્યંત પવિત્ર ગણેલું વૃક્ષ. બુદ્ધની મૂર્તિની પૂજા સ્થવિરવાદને માન્ય નહિ હોવાથી તેને બદલે અમુક પ્રતીકો જેવાં કે ધર્મચક્ર, બોધિવૃક્ષ, સ્તૂપ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા કરવાની શરૂઆત થઈ. બોધિવૃક્ષ (પીપળાનું ઝાડ) નીચે બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે દિવસે…

વધુ વાંચો >

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન)

Jan 1, 2001

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન) : બુદ્ધની પ્રતિમાના સર્જન પહેલાં પ્રચલિત પૂજાનું મહત્વનું પ્રતીક. બૌદ્ધ સંપ્રદાયોમાં બોધિવૃક્ષને ‘જ્ઞાનવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમને બોધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા એ વૃક્ષને ‘બોધિવૃક્ષ’ કહેવામાં આવે છે. પ્રતીક તરીકે એ એક ચૈત્યનું સ્વરૂપ ધરાવે છે. એને ફરતી વેદિકા રચી તેની…

વધુ વાંચો >

બોધિસત્વ

Jan 1, 2001

બોધિસત્વ : મહાયાન બુદ્ધોએ આદર્શ પરોપકારી બુદ્ધ પુરુષની કરેલી વિભાવના. ‘બુદ્ધ’ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. માયાદેવીના પેટે જન્મ્યા ત્યારથી ‘બોધિ’ પ્રાપ્ત થયું એ પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. બોધિસત્વનું જીવન મનુષ્યોને પ્રેરણારૂપ હતું કારણ કે મનુષ્ય સ્વપ્રયત્નથી કેવો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે તેનું ર્દષ્ટાંત તે પૂરું પાડતું હતું. બોધિપ્રાપ્તિ…

વધુ વાંચો >

બૉન

Jan 1, 2001

બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર…

વધુ વાંચો >

બૉનર, એલિસ

Jan 1, 2001

બૉનર, એલિસ (જ. 22 જુલાઈ 1889, લેગ્નાનો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1991, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં પરમ ચાહક, કલાકાર, શિલ્પ-સ્થાપત્યનાં ગવેષક, શિલ્પી અને કાશીનિવાસી સારસ્વતપુત્રી. બ્રિટિશ માતા એલિસ બ્રાઉન અને સ્વિસ પિતા જ્યૉર્જ બૉનરનાં પુત્રી. તેમને તેમનાં માતાપિતા તરફથી સ્વિસ અને અંગ્રેજી સંસ્કારનો વારસો મળ્યો હતો. ઇટાલીમાં તેમના…

વધુ વાંચો >