૧૩.૧૩

બાર્ટ, રૉનાલ્ડથી બાલમનશ્ચિકિત્સાવિદ્યા

બાર્ટ, રૉનાલ્ડ

બાર્ટ, રૉનાલ્ડ (જ. 1915, ચૅરબર્ગ, ફ્રાન્સ; અ. 1980) : ફ્રાન્સના વિશ્વવિખ્યાત લેખક, વિવેચક અને અધ્યાપક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો શિક્ષણ અને સંશોધનક્ષેત્રે અને પછી વળ્યા લેખનપ્રવૃત્તિ તરફ. ‘રાઇટિંગ ડિગ્રી ઝિરો’ (1953) નામના તેમના નિબંધસંગ્રહના પરિણામે તે ફ્રાન્સના આધુનિકતાવાદી સાહિત્યના અગ્રણી વિવેચક બની રહ્યા. તેમની સાહિત્યિક વિવેચનામાં પરંપરાગત મૂલ્યલક્ષી નિર્ણયો તથા…

વધુ વાંચો >

બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત

બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત : અતિવાહકતા(super-conductivity)ની સફળ સમજૂતી આપતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વડે સમજી શકાય છે કે વાહકમાં ઇલેક્ટ્રૉન, વ્યવસ્થિત રીતે અતિવહન-અવસ્થાઓની રચના કરે છે. તેથી અતિવાહક પદાર્થોના ગુણધર્મોની સરળતાથી આગાહી કરી શકાય છે. આવા ગુણધર્મો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે બંધબેસતા માલૂમ પડ્યા છે. BCS સિદ્ધાંત આવ્યા પછી અતિવાહકતાની સૈદ્ધાંતિક અને…

વધુ વાંચો >

બાર્ડિન, જૉન

બાર્ડિન, જૉન (જ. 23 મે 1908, મેડિસન, વિસ્કૉનસિન, યુ.એસ.; અ. 1991) : એક જ વિષયમાં બે વખત નોબેલ પુરસ્કાર-વિેજેતા થયેલા પ્રખર ભૌતિકવિજ્ઞાની. અર્ધવાહકોના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટરની શોધ માટે તેમને પ્રથમ વાર 1956માં નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ પુરસ્કાર અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે સાથી સંશોધકો વિલિયમ શૉકલે અને…

વધુ વાંચો >

બાર્થોલૉમ્યુ, ડાયઝ

બાર્થોલૉમ્યુ, ડાયઝ (જ. આશરે 1450; અ. 1500) : પૉર્ટુગલના પંદરમી સદીના સાહસિક દરિયાઈ પ્રવાસી અને સંશોધક. એમણે પશ્ચિમ યુરોપથી આફ્રિકા થઈને એશિયા આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. એમના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી; પરંતુ એ દરિયો ખેડવાનું કામ કરતા હશે. 1481–82માં આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ(વર્તમાન ઘાના)ના પ્રવાસે જનાર દરિયાઈ ટુકડીમાં એક…

વધુ વાંચો >

બાર્દો, બ્રિજિત

બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના…

વધુ વાંચો >

બાર્નમ, ફિનિયસ ટર્નર

બાર્નમ, ફિનિયસ ટર્નર (જ. 1810, બેથલ; અ. 1891) : જાણીતા અને કુશળ મનોરંજન-નિષ્ણાત (showman). તેઓ ન્યૂયૉર્કમાં એક મ્યુઝિયમ ચલાવતા હતા અને ચિત્રવિચિત્ર તથા અવનવા પ્રકારની વસ્તુઓ લાવી મનોરંજનપ્રધાન કાર્યક્રમ ગોઠવતા. તેમાં તેમની આગવી કુશળતા હતી. 1842માં તેમણે અતિપ્રખ્યાત બની ગયેલા ઠિંગુજી જનરલ ટૉમ થમ્બને લાવીને સૌને દંગ કરી મૂક્યા અને…

વધુ વાંચો >

બાર્બરા, મેક્લિન્ટોક

બાર્બરા, મેક્લિન્ટોક (જ. 1902, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1992) : ઈ. સ. 1983ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયના નોબેલ પુરસ્કારનાં વિજેતા. તેમણે ચલનશીલ જનીનતત્વો (mobile genetic elements) અંગેના તેમના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટી ખાતે ભણીને 1927માં વાનસ્પતિક જનીનવિદ્યા(plant genetics)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ કેલ્ટેક,…

વધુ વાંચો >

બાર્બાડોસ

બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…

વધુ વાંચો >

બાર્બિકન

બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની…

વધુ વાંચો >

બાર્બિચ્યુરેટ

બાર્બિચ્યુરેટ : જુઓ પ્રશાન્તકો

વધુ વાંચો >

બાલકલ્યાણ

Jan 13, 2000

બાલકલ્યાણ : બાળકના સર્વાંગી વિકાસને સ્પર્શતી વિભાવના. વિશ્વના તમામ દેશોમાં વસતાં બાળકો વિશ્વના ભાવિ નાગરિકો અને સમાજવ્યવસ્થાના પ્રણેતાઓ છે. શારીરિક, માનસિક તથા સામાજિક રીતે સ્વસ્થ બાળકો વિશ્વની સાચી સંપત્તિ છે. યુનોએ તથા વિશ્વના તમામ દેશોએ બાલકલ્યાણનું આયોજન કરેલ છે. બાલકલ્યાણ અંગેના ખ્યાલ બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સંકળાયેલ છે. માનવ- કલ્યાણની…

વધુ વાંચો >

બાલક્રિશ્નન કે. જી

Jan 13, 2000

બાલક્રિશ્નન, કે. જી. (જ. 12 મે 1945, કોટ્ટાયમ, કેરળ) : ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ. ન્યાયતંત્રનું આ સર્વોચ્ચ પદ હાંસલ કરીને તેમણે ન્યાયના ક્ષેત્રે એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. માર્ચ 1968માં અર્નાકુલમ્માં કાયદાના ક્ષેત્રમાં પાંચ વર્ષની કામગીરી કરી કેરળ રાજ્યની અદાલતી સેવામાં જોડાયા. સપ્ટેમ્બર 1985માં કેરળની વડી અદાલતના…

વધુ વાંચો >

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ)

Jan 13, 2000

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ) (જ. 26 જૂન 1888, ચિંચણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 15 જુલાઈ 1967, પુણે) : મરાઠી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા. પિતા શ્રીપાદ કૃષ્ણાજી રાજહંસ, માતા અન્નપૂર્ણા. શિક્ષણ અંગ્રેજી બીજા ધોરણ સુધીનું જ લીધેલું. તેમણે 1906થી 1955 સુધી મરાઠી રંગભૂમિ પર સ્ત્રી અને પુરુષપાત્રોના એમના અભિનય તથા…

વધુ વાંચો >

બાલચંદ્ર

Jan 13, 2000

બાલચંદ્ર (ઈ. 13મી સદીનો પૂર્વાર્ધ) : સોલંકી યુગના સંસ્કૃત ભાષાના વિદ્વાન ગુજરાતી કવિ. તેમના પિતાનું નામ ધરદેવ અને માતાનું નામ વિદ્યુત્ હતું. તેમનાં માતાપિતા મોઢેરામાં રહેતાં હતાં. પિતા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મ તરફ આસ્થાવાળા હતા અને ગરીબો તથા સાધુઓને ઉદાર હાથે દાન આપનારા હતા. તેમનો પુત્ર મુંજાલ એ જ…

વધુ વાંચો >

બાલજીવન

Jan 13, 2000

બાલજીવન : જુઓ બાલસામયિકો

વધુ વાંચો >

બાલનચિન, જ્યૉર્જ

Jan 13, 2000

બાલનચિન, જ્યૉર્જ (જ. 1904, પિટ્સબર્ગ, રશિયા; અ. 1983) : રશિયાના નામી બૅલે-નર્તક અને નૃત્યનિયોજક (choreographer). તેમણે ‘ઇમ્પીરિયલ થિયેટર્સ’ની બૅલે સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પોતાની નાની નૃત્યમંડળી સ્થાપી. 1924માં યુરોપના નૃત્યપ્રવાસ દરમિયાન, નર્તકોના નાના જૂથ સાથે તેમણે પોતાના દેશનો ત્યાગ કર્યો અને લંડનમાં સૉવિયેટ સ્ટેટના નર્તકો તરીકે કાર્યક્રમ આપ્યો. પછી…

વધુ વાંચો >

બાલનપ્રભુ વ્યંકટેશ્વર

Jan 13, 2000

બાલનપ્રભુ વ્યંકટેશ્વર (જ. 1880; અ. 1971) – વેલોટી વ્યંકટેશ્વરન્ (જ. 1882; અ. 1951) : તેલુગુ લેખકો. આ બંને લેખકોનો જન્મ કાકીનાડા(આંધ્રપ્રદેશ)માં થયો અને શાળામાં સાથે ભણતા હતા ત્યારની મૈત્રી હતી અને તે અંત સુધી ટકી રહી. એટલું જ નહિ, પણ બંનેએ સહિયારું સાહિત્યસર્જન કર્યું. કાકીનાડા દેશી રાજ્ય હતું અને રાજાએ…

વધુ વાંચો >

બાલબ્રહ્મેશ્વર

Jan 13, 2000

બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો…

વધુ વાંચો >

બાલભારત

Jan 13, 2000

બાલભારત (નવમી સદી) : નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. મહાભારત પર આધારિત આ નાટકનું બીજું નામ ‘પ્રચંડપાંડવ’ એવું નાટ્યકારે આપ્યું છે, જે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ બનેલા પાંડવોના સંદર્ભમાં યોગ્ય છે. જોકે તેનું ‘બાલભારત’ શીર્ષક વધુ જાણીતું છે. ‘બાલ’ નામથી ઓળખાતા કવિએ ભારત એટલે મહાભારત પર કરેલી નાટ્યરચના એવો અર્થ તારવી શકાય.…

વધુ વાંચો >

બાલમજૂરી

Jan 13, 2000

બાલમજૂરી : સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ. અર્થ : બાળકની વ્યાખ્યા અલગ અલગ કાયદાઓના હેતુ માટે અલગ અલગ રીતે કરવામાં આવી છે. (મિનિમમ વેજિઝ ઍક્ટ, ક. 2બી – બી મુજબ) ચૌદ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. બાળકો એમનાં માબાપનું કાર્ય કરે તેને ‘સેવા’…

વધુ વાંચો >