૧૧.૧૩

પુકારથી પુરાતત્વ (ત્રૈમાસિક)

પુકાર

પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…

વધુ વાંચો >

પુખ્તવય

પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >

પુડુકોટ્ટાઈ

પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…

વધુ વાંચો >

પુડુવૈપ્પુ સંવત

પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

પુડોફકિન

પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુણે કરાર

પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…

વધુ વાંચો >

પુણે વેધશાળા

Jan 13, 1999

પુણે વેધશાળા : 1842ના મે મહિનામાં પુણેમાં સ્થાપવામાં આવેલી એક ખાનગી વેધશાળા. એનો સ્થાપક કૅપ્ટન વિલિયમ સ્ટિફન જૅકોબ (1813-1862) નામનો એક અંગ્રેજ ખગોળશાસ્ત્રી હતો. ઈંટો વડે બનેલી આ નાનકડી વેધશાળાની ઇમારતનો આકાર અષ્ટકોણી અને એનું ધાબું અન્ય વેધશાળાઓની જેમ ગુંબજવાળું નહીં, પરંતુ ગડી વાળી શકાય તેવું રાખવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >

પુણે સાર્વજનિક સભા

Jan 13, 1999

પુણે સાર્વજનિક સભા : મહારાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવનાર કૉંગ્રેસની પુરોગામી સંસ્થા. પુણેમાં 1867માં ‘પૂના ઍસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. ત્રણ વર્ષ પછી 1870માં તેને ‘સાર્વજનિક સભા’ નામ આપવામાં આવ્યું. એનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો હતો. પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ મૂકવાનું અને વિવિધ કાયદાઓ પાછળના સરકારના હેતુઓ…

વધુ વાંચો >

પુણ્ડ્ર

Jan 13, 1999

પુણ્ડ્ર : પુરાણોમાં નિરૂપાયેલું ભારતના પ્રદેશનું કે વ્યક્તિનું નામ. પુણ્ડ્ર નામની ઘણી વ્યક્તિઓ પુરાણોમાં ઉલ્લેખાઈ છે. પુરાણોમાં પુણ્ડ્ર નામનું નગર અને એ નામનો પ્રદેશ પણ ઉલ્લેખ પામ્યો છે. હાલમાં ઉત્તર-પ્રદેશને અડીને હિમાલય પર્વત તરફનો ભારતનો પ્રદેશ પ્રાચીન કાળમાં પુણ્ડ્ર નામે ઓળખાતો હતો. મહાભારતમાં તેનો નિર્દેશ થયો છે અને મહાભારતકાળમાં ત્યાં…

વધુ વાંચો >

પુણ્ડ્રવર્ધન

Jan 13, 1999

પુણ્ડ્રવર્ધન : ઉત્તર બંગાળના એક દેશ અને રાજધાનીનું નામ છે. તેને ‘પૌણ્ડ્રવર્ધન’ પણ કહે છે. યુ. આન સ્વાંગે સાતમી સદીમાં આ દેશની મુલાકાત લીધી હતી. તે નોંધે છે કે મૌર્ય સમ્રાટ અશોકે ત્યાં સ્તૂપ બંધાવ્યો હતો. આ દેશ 2000 કિમી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. તેની રાજધાની 15 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી હતી.…

વધુ વાંચો >

પુણ્ય

Jan 13, 1999

પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે…

વધુ વાંચો >

પુત્રવંતી (પુત્રંજીવા)

Jan 13, 1999

પુત્રવંતી (પુત્રંજીવા) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફોરબિયેસી (આમલક્યાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Putranjiva roxburghiii wall. (સં. પુત્રજીવક, પુત્રજીવ, પવિત્ર, સુતજીવક, કુટજીવ, અપત્યજીવ, યષ્ટિપુષ્પ, ગર્ભકર, ગર્ભદા, હિં. જીયાપોતા, પુત્રંજીવ, બં. પુત્રંજીવ, જિયાપુતા, પુતજિયા, મ. પુત્રજીવ, પુત્રવંતી, જીવનપુત્ર, ક. પુત્રંજીવ, તા. ઇરુકોલ્લી, મલા. પોંગાલમ, તે. કુદુરુ, પુત્રજીવ્કા, અ. ચાઇલ્ડ લાઇફ…

વધુ વાંચો >

પુદુમૈપિત્તન

Jan 13, 1999

પુદુમૈપિત્તન (જ. 25 એપ્રિલ 1906, તિરૂનેલવેલી; અ. 5 મે 1948, તિરુવનંતપુરમ્) : તમિળ ટૂંકી વાર્તાના જાણીતા લેખક. સમાજનાં મોટા ભાગનાં વલણો પરત્વે તેમનો અભિગમ ક્રાંતિકારી હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ‘દિનમણિ’ (1935થી 1941) તથા ‘દિનસારી’ (1942થી 1946)-એ બે દૈનિકોમાં સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેમણે કાવ્યો, સાહિત્યિક વિવેચન,…

વધુ વાંચો >

પુનથિલ કુંહબ્દુલ્લા

Jan 13, 1999

પુનથિલ કુંહબ્દુલ્લા (જ.; અ. 27 ઑક્ટોબર 2017, કેરળ 1940, કોઝિકોડ, કેરળ) : મલયાળમ ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘સ્મારક સિલકલ’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી અને પછી તબીબ તરીકે વ્યવસાય આરંભ્યો. તેમણે કિશોરાવસ્થાથી જ…

વધુ વાંચો >

પુનરાવર્તી વિચાર-કાર્યવળગણ (obsessive-compulsive disorder)

Jan 13, 1999

પુનરાવર્તી વિચાર–કાર્યવળગણ (obsessive-compulsive disorder) : વારંવાર બળજબરીથી આવતા (બલિષ્ઠ-આગમની વિચારો, intrusive thoughts)ને તથા બળજબરીપૂર્વક થયે જતા બલિષ્ઠ-આગમની વર્તન(intrusive behaviour)ને અનુક્રમે પુનરાવર્તી બલિષ્ઠ વિચાર-વળગણ (obsession) તથા પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણ (compulsion) કહે છે. વળી આ દર્દીએ સારી રીતે જાણે છે કે આ પ્રકારનાં વિચારો કે વર્તન અનૈચ્છિક અને અર્થહીન હોય છે. પુનરાવર્તી…

વધુ વાંચો >

પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery)

Jan 13, 1999

પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery) : શરીરમાં ઉદભવેલી કે કરાયેલી વિકૃતિ પછી મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે કરાતી શસ્ત્રક્રિયા. તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે  પૂર્વસ્થિતિ-સ્થાપન (restoration), પુનર્રચના (reconstruction) અને અન્યથાકરણ-(alteration)ની શસ્ત્રક્રિયાઓ. તેમને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે – પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા (reconstructive surgery) અને કાંતિવર્ધક (cosmetic) કે શોભાકારી (aesthetic) શસ્ત્રક્રિયા. પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા…

વધુ વાંચો >