૧૧.૦૮

પારડીથી પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)

પારસ્કર ગૃહ્યસૂત્ર

પારસ્કર ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

પારાશર શ્યામદેવ

પારાશર, શ્યામદેવ (જ. 1922, સતનૌર, જિ. હોશિયાપુર, પંજાબ) : અનેક ભાષાઓના વિદ્વાન અને કવિ. તેમણે લખેલા તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ લગભગ 30 વર્ષ સુધી પંજાબની શાળા-કૉલેજોમાં અધ્યાપન કર્યું. તેઓ સંસ્કૃત, હિંદી, પંજાબી,…

વધુ વાંચો >

પારાશર્ય મુકુન્દરાય

પારાશર્ય, મુકુન્દરાય (જ. 13 ફેબ્રુઆરી 1914, મોરબી; અ. 19 મે 1985, ભાવનગર) : ઉપનામ : ‘પારાશર્ય’, ‘માસ્તર’, ‘પ્રભુરામ વ. શાસ્ત્રી’, ‘અકિંચન’, ‘મકનજી’. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તથા રાજકોટ ખાતે; માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા ભાવનગર ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. બી.એ. (1940) અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે. ધર્મપરાયણ અને સાહિત્યસેવી પરિવારમાં ઉછેર;…

વધુ વાંચો >

પારિજાતક

પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં.  હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે. આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે…

વધુ વાંચો >

પારિજાતનાટક (17મી સદી)

પારિજાતનાટક (17મી સદી) : કુમાર તાતાચાર્ય-રચિત સંસ્કૃત નાટક. તાંજોરના ગ્રંથાલયમાંથી મળેલ ગ્રંથ અને આંધ્રલિપિની બે પ્રતોને આધારે એનું સંપાદન દેવનાથાચારિયરે કર્યું છે. ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણને આધારે એનું કથાવસ્તુ ઘડાયું છે. કવિએ કરેલાં નાટકોચિત સુરેખ પરિવર્તનોને લીધે નાટકનો કાર્યવેગ અને રસ ચરમ કક્ષાએ પહોંચ્યાં છે. અન્વિતિ પણ મોટે ભાગે જળવાઈ…

વધુ વાંચો >

પારિજાતહરણ (16મી સદી)

પારિજાતહરણ (16મી સદી) : શેષકૃષ્ણનું રચેલું ચંપૂકાવ્ય. શેષકૃષ્ણ શેષનરસિંહના પુત્ર હતા. તેઓ 16મી સદીના પૂર્વાર્ધમાં બનારસના રાજા ગોવિંદચન્દ્ર તાંડવના આશ્રયે રહ્યા હતા. શેષકૃષ્ણના શેષવીરેશ્વર અને શેષનારાયણ નામના બે પુત્રો હતા. જેમાં શેષવીરેશ્વર પંડિતરાજ જગન્નાથ, ભટ્ટોજિ દીક્ષિત અને અન્નંભટ્ટના ગુરુ હતા. શેષકૃષ્ણના સંરક્ષક સમ્રાટ અકબરના વિત્તમંત્રી ટોડરમલ હતા. તેમનું મૃત્યુ ઈ.…

વધુ વાંચો >

પારિયાત્ર

પારિયાત્ર : ભોપાલની પશ્ચિમેથી અરવલ્લી સુધીની ગિરિમાળા. આ ગિરિમાળા પારિયાત્ર અને પારિયાત્રકને નામે પણ ઓળખાય છે. ટૉલેમીએ તેનો ‘પ્રપીઓતઇ’ નામથી ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: વિંધ્યાચલની ભોપાલની પશ્ચિમેથી આરંભાઈને છેક અરવલ્લીની ગિરિમાળાને જઈ મળતી ગિરિમાળા જ પારિયાત્રના નામે ઓળખાય છે. બૌધાયને તેનો નિર્દેશ કર્યો છે અને તેને આર્યાવર્તની દક્ષિણ સીમા ગણાવી…

વધુ વાંચો >

પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio)

પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio) (જ. 4 ઑગસ્ટ 1948, રોમ, ઇટાલી) : પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ સ્યુકુશે માનાબે તથા ક્લૉસ હૅસલમૅનને પૃથ્વીના હવામાન તથા વધતા જતા ઉષ્ણતામાનને લગતી…

વધુ વાંચો >

પારિસ્થિતિક નિકેત (ecological niche)

પારિસ્થિતિક નિકેત (ecological niche) : સજીવની કોઈ પણ જાતિના વિતરણનું અંતિમ એકમ. તેની રચનાકીય (structural) અને નૈસર્ગિક (instinctive) મર્યાદાઓને લીધે તેનું રહેઠાણ નિશ્ચિત હોય છે. જૉસેફ ગ્રિન્નેલે (1917, 1928) સૌપ્રથમ વાર સૂક્ષ્મ આવાસ(micro- habitat)ના અર્થમાં આ શબ્દ પ્રચલિત કર્યો. કોઈ પણ બે જાતિ એક પ્રદેશમાં એક જ પરિસ્થિતિકીય નિકેતમાં લાંબો…

વધુ વાંચો >

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology)

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology) : જીવો- (organisms)ના અંદરોઅંદરના, વિભિન્ન જીવો વચ્ચેના, તથા જીવો અને તેમના પર્યાવરણ (environment) વચ્ચેનાં સજીવ તેમજ નિર્જીવ પાસાંઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. તેને પર્યાવરણીય જીવશાસ્ત્ર (environmental biology) પણ કહે છે. જીવો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધ તરફ 19મા સૈકાના અંતભાગમાં વધુ ધ્યાન આકર્ષિત થયું. પ્રદૂષણ (pollution) અને ઔદ્યોગિક…

વધુ વાંચો >

પારડી

Jan 8, 1999

પારડી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો તાલુકો અને તાલુકા-મથક. આ તાલુકાની ઉત્તરે  વલસાડ તાલુકો, દક્ષિણે ઉમરગામ તાલુકો, નૈર્ઋત્યમાં દાદરા-નગરહવેલી, પૂર્વ તરફ ધરમપુર તાલુકો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 425.9 ચોકિમી. છે અને વસ્તી 28,4,95 છે (2011). સાક્ષરતાની ટકાવારી 80.7 છે. તાલુકાની મોટા ભાગની જમીન કાળી છે, તે…

વધુ વાંચો >

પારડી સત્યાગ્રહ

Jan 8, 1999

પારડી સત્યાગ્રહ : દેશના સામાજિક-આર્થિક પરિવર્તનની દિશામાં જનસમુદાય દ્વારા વલસાડ જિલ્લામાં થયેલ સત્યાગ્રહનો પ્રયોગ. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો. ગુજરાત રાજ્યના…

વધુ વાંચો >

પારનેરા

Jan 8, 1999

પારનેરા : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી ટેકરી અને તે જ નામ ધરાવતું ગામ. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ ધરાવતી પારનેરાની ટેકરી વલસાડ શહેરથી આશરે 6 કિમી. દૂર દક્ષિણમાં 20o 33′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલી છે. જંગલ-આચ્છાદિત આ ટેકરીની દક્ષિણે તેની નજીકમાં જ પાર નદી…

વધુ વાંચો >

પારસ (સફેદો)

Jan 8, 1999

પારસ (સફેદો) : દ્વિદળી વર્ગના ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum flexile Vahl. (J. caudatum Wall. સહિત) છે. તે આસામ, આકા, લુશાઈ, ખાસી અને દક્ષિણ ભારતની ટેકરીઓ તેમજ પશ્ચિમઘાટમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી મોટી વેલ છે. તેની છાલ સફેદ, પર્ણો સામાન્યત: ત્રિપર્ણી, પંજાકાર સંયુક્ત; સમ્મુખ, અગ્ર…

વધુ વાંચો >

પારસન્સ ટૉલકૉટ

Jan 8, 1999

પારસન્સ, ટૉલકૉટ (જ. 13 ડિસેમ્બર 1902, કૉલારાડો સ્પ્રિંગ્ઝ, કૉલારાડો, યુ.એસ.; અ. 8 મે 1979, મ્યૂનિક, વેસ્ટ જર્મની) : જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી. પિતા એડ્વર્ડ પારસન્સ એ જ શહેરના ધાર્મિક સમુદાયના મિનિસ્ટર હતા. તેમણે સામાજિક સુધારક તરીકે સામાજિક સુધારણાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું આખું કુટુંબ સામાજિક સુધારણાના રંગે રંગાયેલું હતું.…

વધુ વાંચો >

પારસપીપળો

Jan 8, 1999

પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે;…

વધુ વાંચો >

પારસમણિ (1914)

Jan 8, 1999

પારસમણિ (1914) : અસમિયા કૃતિ. અસમિયાનાં પ્રસિદ્ધ કવયિત્રી નલિનીબાલાદેવીના આ કાવ્યસંગ્રહમાં એક તરફ મધ્યકાલીન ભક્ત કવિમાં હોય છે તેવો ઈશ્વરને મળવાનો તલસાટ અને પ્રકૃતિતત્વો દ્વારા પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવાની તથા એમાં વિલીન થઈ જવાની ઊર્મિ સચોટતાથી વ્યક્ત થયાં છે. કાવ્યોમાં ભક્તિનો સૂર એટલો તો પ્રબળ છે કે એ અર્વાચીન કવયિત્રી…

વધુ વાંચો >

પારસી

Jan 8, 1999

પારસી : પશ્ચિમ ભારતમાં આવીને સ્થાયી થયેલી મૂળ ઈરાનની પ્રજા. પ્રાગૈતિહાસિક કાલથી ઈરાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાનીઓ ભારતમાં અનેક વાર આવ્યાના દાખલા  મળે છે. અવેસ્તામાં ભારત વિષે તથા ઋગ્વેદ, મહાભારત, વિષ્ણુપુરાણ વગેરેમાં ઈરાન અને ઈરાનીઓ વિશે ઉલ્લેખો થયા છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ઈરાનના હખામની વંશના…

વધુ વાંચો >

પારસીઓનો કાયદો

Jan 8, 1999

પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’  એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…

વધુ વાંચો >

પારસી રંગભૂમિ

Jan 8, 1999

પારસી રંગભૂમિ : મુખ્યત્વે પારસીઓ દ્વારા ચાલતી રંગભૂમિ, નાટ્ય-પ્રવૃત્તિ. તે દ્વારા પારસીઓ દ્વારા સંચાલિત નાટક-મંડળીઓ અને નાટ્યગૃહો ઉપરાંત પારસી દિગ્દર્શકો, અભિનેતા તથા અભિનેત્રીઓ, પારસી નાટ્યકારો તથા નાટકો અને તેનાં સંગીત-વેશભૂષા-રંગસજ્જા જેવાં અનેક અંગોનો સંદર્ભ સૂચવાય છે. પારસી રંગભૂમિના ઉત્થાન અને વિકાસમાં પારસીઓનું જ મહત્વપૂર્ણ પ્રદાન રહેલું હોવા છતાં અન્ય કોમના…

વધુ વાંચો >