૧૦.૧૮

નિષધથી નીલગિરિ

નિષધ

નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે. ‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો…

વધુ વાંચો >

નિષાદ પ્રજા

નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા…

વધુ વાંચો >

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ.  પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ…

વધુ વાંચો >

નિષ્પંદ નાડીરોગ (pulseless disease)

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે…

વધુ વાંચો >

નિસર્ગચિત્ર

નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે,…

વધુ વાંચો >

નિસર્ગવાદીઓ (physiocrats)

નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત…

વધુ વાંચો >

નિસર્ગોપચાર

નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય…

વધુ વાંચો >

નિસાર, મહંમદ

નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી…

વધુ વાંચો >

નિસાર હુસૈન ખાન

નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા. વડોદરા રાજ્યમાં તેઓ એક…

વધુ વાંચો >

નિસ્યંદન (distillation)

નિસ્યંદન (distillation) : પ્રવાહીને ઉકાળી, બાષ્પમાં ફેરવી, એ વરાળને ઠારી પ્રવાહી રૂપે એકઠી કરવાની વિધિ. એ રીતે ઠરેલી વરાળને નિસ્યંદિત (distillate) કહે છે. નિસ્યંદન અથવા આસવનનો મુખ્ય હેતુ બાષ્પશીલ ઘટકોને અબાષ્પશીલ (nonvolatile) પદાર્થોથી અથવા બાષ્પશીલ ઘટકોના મિશ્રણમાંથી અલગ કરવાનો છે. જો મિશ્રણમાં બે ઘટકો હોય તો તેવા નિસ્યંદનને દ્વિઅંગી (binary)…

વધુ વાંચો >

નીકટાજીનેસી

Jan 18, 1998

નીકટાજીનેસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ કર્વેમ્બ્રી શ્રેણીનું એક કુળ. નીકટાજીનસ એટલે રાત્રે ખીલતાં પુષ્પ. આ કુળમાં આશરે 30 પ્રજાતિ અને 300 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બોરહેવીઆ, મીરાબીલીસ, બોગનવિલીઆ, અને પીસોનીઆ પ્રજાતિઓ થાય છે. ગુજરાતમાં બોરહેવીઆની ત્રણ જાતિ, મીરાબીલીસની એક, બોગનવિલીઆની બે, ઉપરાંત તેની અનેક બાગાયત જાત…

વધુ વાંચો >

નીકટાનથીસ

Jan 18, 1998

નીકટાનથીસ : જુઓ, પારિજાતક

વધુ વાંચો >

નીગ્રી કાય

Jan 18, 1998

નીગ્રી કાય : નીગ્રી કાય એક પ્રકારની અંતર્ગત કાય (Inclusion body) છે, જે હડકવા (રેબીઝ) રોગના વિષાણુઓની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. અંતર્ગત કાય કોષરસ કે કોષકેન્દ્રમાં જોવા મળે છે. અંતર્ગત કાય પ્રોટીન અથવા વિષાણુ કૅપ્સીડના પુંજ બનવાથી બને છે. આ કાય વિષાણુની વૃદ્ધિનું સ્થાન દર્શાવે છે. જુદા જુદા વિષાણુઓ અલગ…

વધુ વાંચો >

નીચા નગર

Jan 18, 1998

નીચા નગર : હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ 1946; દિગ્દર્શક : ચેતન આનંદ; છબીકલા : વિદ્યાપતિ ઘોષ; સંગીત : રવિશંકર; કલાકારો : રફીક અનવર, ઉમા આનંદ, રફી પીર, કામિનીકૌશલ, હમીદ બટ, એસ.પી. ભાટિયા, મોહન સહગલ, ઝોહરા સહગલ, પ્રેમકુમાર. શ્વેત અને શ્યામ. 122 મિનિટ. ગૉર્કીની પ્રશિષ્ટ કથા ‘ધ લોઅર ડેપ્થ્સ’ ઉપર આધારિત આ…

વધુ વાંચો >

નીજો કિલ્લો, ક્યોટો

Jan 18, 1998

નીજો કિલ્લો, ક્યોટો : સત્તરમી સદીના જાપાની કાષ્ઠસ્થાપત્યનો લાક્ષણિક નમૂનો. જાપાનના મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા કિલ્લા મહત્ત્વના છે. આમાંના ઘણાખરાનું હવે અસ્તિત્વ રહ્યું નથી; કારણ કે સત્તરમી સદી પછી આવા કિલ્લાનું બાંધકામ થયું ન હતું. કિલ્લાની અંદર પ્રણાલીગત આવાસો અને તેનું બાંધકામ અર્વાચીન યુગ સુધી પ્રચલિત રહ્યું છે.…

વધુ વાંચો >

નીટેલ્સ (Gnetales)

Jan 18, 1998

નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે. તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી;…

વધુ વાંચો >

નીતિ આયોગ

Jan 18, 1998

નીતિ આયોગ : ભારત સરકારની નીતિઓ માટેની ‘થિન્ક ટૅન્ક’. પૂર્વેના આયોજન પંચના વિકલ્પે રચવામાં આવેલી સંસ્થા. તેનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’. આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. પહેલી જાન્યુઆરી, 2015ના રોજ આયોજન પંચને નાબૂદ કરીને તેના…

વધુ વાંચો >

નીતિકથા

Jan 18, 1998

નીતિકથા : ગદ્ય કે પદ્યમાં લખાયેલી ટૂંકી બોધકથા (fable). એમાં મુખ્યત્વે માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ, છોડ કે એવી કોઈ વસ્તુ પાત્ર રૂપે હોય છે. અને તે મનુષ્યની માફક જ વર્તે છે. ગદ્ય કે પદ્ય સ્વરૂપે લખાયેલી બોધકથાઓનું ઘણી વાર કોઈ કહેવત સાથે સમાપન થતું હોય છે. આ કથાઓ 2000…

વધુ વાંચો >

નીતિમંજરી

Jan 18, 1998

નીતિમંજરી : નીતિ એટલે જીવન જીવવાની રીત, એટલે જેમાં નીતિ રૂપી મંજરી મહોરી ઊઠી છે તેવો ગ્રંથ. વિજયનગરના મહારાજ્યમાં થઈ ગયેલા સાયણાચાર્ય ઋગ્વેદ વગેરેના અર્થો સમજાવતાં ભાષ્યોના લેખક તરીકે જાણીતા છે. તેમણે રચેલા ઋગ્વેદના ભાષ્યમાંથી જુદી જુદી વાર્તાઓ કે પ્રસંગો ઉપરથી વેશ્યા અથવા ગણિકાથી દૂર રહેવા ઉપદેશ આપતું 200 જેટલાં…

વધુ વાંચો >

નીપર (Dnepr, Dnieper)

Jan 18, 1998

નીપર (Dnepr, Dnieper) : યુરોપની લાંબી નદીઓ પૈકીની એક. તેનું પ્રાચીન નામ બોરીસ્થેનિસ હતું. વૉલ્ગા અને ડૅન્યુબ પછી લંબાઈમાં તેનો ત્રીજો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 2,255 કિમી. છે. તેનો પટ સ્થાનભેદે 84થી 360 મીટરની પહોળાઈવાળો અને મુખભાગ 14 કિમી. જેટલો છે. ત્રિકોણપ્રદેશીય મુખ કળણવાળું બની રહેલું છે. તેનું…

વધુ વાંચો >