૧૦.૦૯

નાટકલક્ષણરત્નકોશથી નાણાવટું

નાટકલક્ષણરત્નકોશ

નાટકલક્ષણરત્નકોશ : તેરમી સદીમાં રચાયેલો નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. તેમાં નાટક વગેરે રૂપક પ્રકારનાં વિભિન્ન તત્વોનાં લક્ષણરત્ન અર્થાત્ તેમની ઉત્તમ વ્યાખ્યાઓ એકઠી કરવામાં આવી હોવાથી તેને ‘નાટકલક્ષણરત્નકોશ’ એવું શીર્ષક લેખકે આપ્યું છે. તેનું સંક્ષિપ્ત નામ ‘રત્નકોશ’ એવું લેખકે પોતે જ આપ્યું છે. લેખકનું નામ સાગર છે, પરંતુ તેઓ નંદી…

વધુ વાંચો >

નાટેકર, નંદુ મહાદેવ

નાટેકર, નંદુ મહાદેવ (જ. 12 મે 1933) : ભારતનો વિખ્યાત બૅડમિન્ટન-ખેલાડી. નિશાળમાં વાંસકૂદકો, ટેનિસ અને બૅડમિન્ટનની રમતમાં કુશળતા ધરાવતો નંદુ નાટેકર 1951માં સાંગલી જુનિયર ઓપન ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યો. પછીના વર્ષે એ મુંબઈ રાજ્યનો બૅડમિન્ટન-વિજેતા બન્યો. 1951માં નંદુ નાટેકરે રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ફાઇનલમાં ભારતના પ્રસિદ્ધ ખેલાડી રામનાથન કૃષ્ણનનો મુકાબલો કર્યો…

વધુ વાંચો >

નાટેસન, જી. એ.

નાટેસન, જી. એ. (જ. 24 ઑગસ્ટ 1873, ગણપતિ અહરાહરમ, જિ. તાન્જાવુર, તમિળનાડુ; અ. 10 જાન્યુઆરી 1949, ચેન્નાઈ) : વિદ્વાન પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુંભકોણમની હાઈસ્કૂલમાં તિરુચિરાપલ્લીની સેન્ટ જૉસેફ્સ કૉલેજમાં અને ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને 1897માં તેઓ સ્નાતક થયા. ત્યારપછી તેમના ભાઈ વૈદ્યરામને તેમને ‘મદ્રાસ…

વધુ વાંચો >

નાટો

નાટો (North Atlantic Treaty Organization – NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન…

વધુ વાંચો >

નાટ્ટા, ગુલિયો

નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente…

વધુ વાંચો >

નાટ્ય ગઠરિયાં

નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ…

વધુ વાંચો >

નાટ્યદર્પણ

નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા…

વધુ વાંચો >

નાટ્યનિકેતન

નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને…

વધુ વાંચો >

નાટ્યરંગ

નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્ર

નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો…

વધુ વાંચો >

નાણાકીય ગુણોત્તરો

Jan 9, 1998

નાણાકીય ગુણોત્તરો : નાણાકીય પત્રકોની કોઈ પણ બે મહત્વની માહિતી વચ્ચેનો આંકડાકીય આંતરસંબંધ. નાણાકીય પત્રકોના જુદા જુદા બે આંકડાની સરખામણી કરીને એકબીજાનું પ્રમાણ શોધવું એટલે કે બે રકમોનો ભાગાકાર કરવો તે ગુણોત્તર કહેવાય છે. ઉદાહરણ તરીકે રૂ. 1,00,000ના વેચાણ સામે રૂ. 25,000 કાચો નફો થયો હોય તો કાચા નફાનો ગુણોત્તર…

વધુ વાંચો >

નાણાકીય નીતિ

Jan 9, 1998

નાણાકીય નીતિ : રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારીમાં થયા કરતી વૃદ્ધિને આવશ્યક નાણાંનો પુરવઠો પૂરો પાડવાની સાથે રોજગારી અને ભાવોની સ્થિરતાને જાળવી રાખવાના ઉદ્દેશથી ભરવામાં આવતાં નાણાકીય પગલાં. નાણાકીય નીતિ ઉપરના બે ઉદ્દેશો ઉપરાંત અન્ય કેટલાક ઉદ્દેશો હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે; દા. ત., દેશના લેણદેણના સરવૈયામાં સમતુલા જાળવવી અને હૂંડિયામણનો…

વધુ વાંચો >

નાણાકીય પત્રકો

Jan 9, 1998

નાણાકીય પત્રકો (financial statements) : ધંધાની કાર્યક્ષમતા, નફાકારકતા અને સધ્ધરતા જાણવા માટે નિશ્ચિત સમયગાળાના અંતે તૈયાર કરવામાં આવતાં હિસાબી પત્રકો; જેમાં વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. ધંધાની ઉપાર્જનશક્તિનો અંદાજ મેળવવા, તેની ઉત્પાદનશક્તિનું મૂલ્યાંકન કરવા, કંપનીની આર્થિક શક્તિનો લોન આપનાર બૅંકને ખ્યાલ આપવા, ભાવનીતિ ઘડવામાં સંચાલકોને…

વધુ વાંચો >

નાણાકીય વર્ષ

Jan 9, 1998

નાણાકીય વર્ષ : હિસાબો સરભર કરવા માટે જે સમયગાળો નિર્ધારિત કરવામાં આવે છે તે એક પૂરા વર્ષનો સમયગાળો. નાણાકીય વર્ષ તારીખ-આધારિત વર્ષ કે પંચાંગના સમયગાળા સાથે એકરૂપ ન પણ હોય; દા. ત., ભારતમાં  બ્રિટિશ શાસનકાળથી દર વર્ષે 1લી એપ્રિલથી નાણાકીય વર્ષની શરૂઆત થાય છે તથા તે પછીના વર્ષે 31 માર્ચે…

વધુ વાંચો >

નાણાપરિમાણનો સિદ્ધાંત

Jan 9, 1998

નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવસપાટીમાં અથવા નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી  આપતો એક સિદ્ધાંત. આ સિદ્ધાંતનો પાયાનો અભિગમ નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી નાણાંના જથ્થામાં થતા ફેરફારોના આધારે આપવાનો છે. જેમ વસ્તુનું મૂલ્ય માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તેમ નાણાંનું મૂલ્ય પણ સમાજમાં નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી…

વધુ વાંચો >

નાણાપંચ

Jan 9, 1998

નાણાપંચ : જુઓ, કેન્દ્ર (સંઘ) રાજ્ય સંબંધો

વધુ વાંચો >

નાણાબજાર

Jan 9, 1998

નાણાબજાર : ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. ઔદ્યોગિક અને વેપારી વિકાસ માટે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં – એમ બે પ્રકારનાં ધિરાણોની જરૂર પડે છે. લાંબા ગાળાની મૂડી પૂરી પાડતા બજારને મૂડીબજાર કહેવામાં આવે છે જ્યારે ટૂંકા ગાળા માટે ભિન્ન ભિન્ન સ્વરૂપે ધિરાણ પૂરું પાડતી પેઢીઓ અને સંસ્થાઓના સમૂહને…

વધુ વાંચો >

નાણાવટી, કમલેશ

Jan 9, 1998

નાણાવટી, કમલેશ (જ. 21 મે 1950, અમદાવાદ) : ગુજરાતના જાણીતા તરવૈયા અને કોચ. બી.કૉમ., એલએલ.બી. થયા પછી તરણસ્પર્ધામાં રસ લેતા. 1968થી 1973 સુધી રાજ્યકક્ષાએ વિજેતાપદ જાળવી રાખ્યું. 1973માં લંડનના વિન્ડરમિયરમાં યોજાયેલી લાંબી તરણસ્પર્ધામાં ભાગ લીધો. 1975માં ગુજરાત રાજ્યનો સરદાર પટેલ ઍવૉર્ડ મેળવ્યો. 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન બન્યા અને…

વધુ વાંચો >

નાણાવટી, મણિબહેન

Jan 9, 1998

નાણાવટી, મણિબહેન (જ. 27 ફેબ્રુઆરી 1905, ડેરોલ, ગુજરાત; અ. 2000, મુંબઈ) : ગુજરાતી સમાજસેવિકા. જન્મ કાપડના વેપારી શેઠ ચુનીલાલ ઝવેરીને ત્યાં. ચુનીભાઈની સમાજમાં ભારે પ્રતિષ્ઠા હતી. તે પ્રામાણિક વેપારી હતા અને જૂની પરંપરા અનુસાર સામાજિક કામોમાં સદા સક્રિય રહેતા હતા. મણિબહેનના દુર્ભાગ્યે તેઓ આવાં સંસ્કારી માતાપિતાનું સુખ નાનપણમાં જ ખોઈ…

વધુ વાંચો >

નાણાવટું

Jan 9, 1998

નાણાવટું : વ્યાજ, વટાવ વગેરેથી નાણાંની હેરફેર કે ધીરધાર કરતો નાણાવટીનો કે શરાફનો ધંધો. ભારતમાં નાણાવટાનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. ગૌતમ, બૃહસ્પતિ અને બોધાયને વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે. મનુના કાયદામાં નાણાંની ધીરધારનો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વ્યાજવટાવનો ઉલ્લેખ છે. મુઘલોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ધાતુનાં ચલણો…

વધુ વાંચો >