ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દ્યાવાપૃથ્વી (1957)
દ્યાવાપૃથ્વી (1957) : કન્નડ કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘પદ્મશ્રી’ (1961માં) કન્નડ લેખક વિનાયક ગોકાકની આ રચનાને સાહિત્ય એકૅડેમીના 1960ના વર્ષની શ્રેષ્ઠ કન્નડ કૃતિ તરીકે પુરસ્કાર આપવામાં આવેલો. એમના પાંચ કાવ્યસંગ્રહોમાં આ એમનો અંતિમ તથા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. ‘દ્યાવાપૃથ્વી’માં એના નામ પ્રમાણે પૃથ્વી તથા આકાશનાં સૌમ્ય, રૌદ્ર, લઘુ તેમજ વિરાટ સ્વરૂપોમાં…
વધુ વાંચો >દ્યુતિ-તાપમાન
દ્યુતિ-તાપમાન (brightness temperature) : જે તાપમાને કોઈ એક તરંગલંબાઈએ શ્યામ-પદાર્થની તેજસ્વિતા વિકિરક સપાટીની તેજસ્વિતા જેટલી થાય તે તાપમાન. સામાન્ય રીતે આ તરંગલંબાઈ 0.655 mm લેવામાં આવે છે. આ રીતે માપેલા તાપમાન અને સ્પેક્ટ્રમી ઉત્સર્જકતા (emissivity) ∈ = 0.655 તથા વીનના વિકિરણના નિયમ ઉપરથી વસ્તુના સાચા તાપમાનની ગણતરી કરી શકાય છે. જો…
વધુ વાંચો >દ્રવગતિશાસ્ત્ર
દ્રવગતિશાસ્ત્ર (hydrodynamics) : અદબનીય તરલની ગતિના નિયમો અને તેના પ્રવર્તનનું શાસ્ત્ર. સીમા આગળ થતી તરલની આંતરક્રિયા સાતત્યકયાંત્રિકી (continuum mechanics) સાથે સંબંધ ધરાવે છે. બંધ, જળાશય અને નહેર જેવી જળયોજનાઓ સાથે માણસ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી પાણી જીવનનો પર્યાય ગણાય છે. ઉપરાંત માણસની જિજ્ઞાસાવૃત્તિ અને તેના વૈજ્ઞાનિક સ્વભાવને કારણે આ…
વધુ વાંચો >દ્રવચલવિદ્યા
દ્રવચલવિદ્યા (hydraulics) : ગતિમય પાણી અથવા પ્રવાહીની વર્તણૂક. દ્રવચલવિદ્યા સીમાપૃષ્ઠ અથવા પદાર્થની સાપેક્ષ ગતિ કરતા પ્રવાહી કે સ્થિર પ્રવાહીની વર્તણૂક, અસરો અને ગુણધર્મો સાથે સંબંધ ધરાવે છે અને તે તરલ યાંત્રિકીનો એક ભાગ છે. ઘનતામાં થતા ફેરફાર નાના હોય ત્યારે એટલે કે દબનીય અસરો નગણ્ય હોય ત્યારે દ્રવચલવિદ્યાના નિયમો વાયુઓને…
વધુ વાંચો >દ્રવચાલિત શક્તિ
દ્રવચાલિત શક્તિ (hydraulic power) : ગતિમાન અથવા દબાણ હેઠળ રહેલા પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. આ શક્તિ ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. આધુનિક દ્રવચાલિત શક્તિ અંગેનો અભ્યાસ જાણીતા વૈજ્ઞાનિકો પાસ્કલ અને બરનોલીએ કર્યો. પાસ્કલના સિદ્ધાંતનો ઉપયોગ દ્રવચાલિત દાબક(hydraulic press)માં થાય છે. બરનોલીએ તેમનો સિદ્ધાંત પાસ્કલના સિદ્ધાંત બાદ ઘણાં વર્ષે આપ્યો…
વધુ વાંચો >દ્રવ-પ્રેષણ-પંપ
દ્રવ-પ્રેષણ-પંપ (hydraulic transmission pump) : દ્રવપ્રેરિત શક્તિમાં મુખ્યત્વે ચાર પ્રકારના પંપ વપરાય છે : ગિયરપંપ, વેનપંપ, પિસ્ટનપંપ અને સ્ક્રૂપંપ. આ દરેક પ્રકારના પંપમાં, દ્રવના ચોક્કસ કદને ચૂષણચક્ર(suction cycle)માં લેવામાં આવે છે. પ્રવાહીનું દબાણ વધારીને તેને જરૂરી કાર્ય માટે મોકલવામાં આવે છે. આધુનિક ગિયરપંપ, પ્રવાહીનું દબાણ 175 બાર જેટલું વધારે છે…
વધુ વાંચો >દ્રવ-બુંદ પ્રતિમાન
દ્રવ-બુંદ પ્રતિમાન (liquid drop model) : ન્યૂક્લિયસના વિખંડન સામે તેની સ્થિરતા સમજાવવા માટે, પૃષ્ઠતાણ સહિત અદબનીય અને વિદ્યુતભારિત પ્રવાહી-બુંદને અનુરૂપ પ્રતિમાન. ન્યૂક્લિયસને પ્રવાહીના બુંદ જેવું ધારી લેવાથી, તેના ઉપર લાગતાં બળોને કારણે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ સમજાવવાનું સરળ બને છે. આવી ધારણા એટલા માટે ઉચિત ઠરે છે કે ન્યૂક્લિયસનાં બળોની…
વધુ વાંચો >દ્રવસ્થૈતિક પ્રેષણ
દ્રવસ્થૈતિક પ્રેષણ (hydrostatic transmission) : દ્રવચાલિત શક્તિપ્રેષણ (hydraulic power transmission) તંત્રના બે પ્રકારો પૈકી પ્રવાહીની દાબ-ઊર્જા(pressure energy)નો ઉપયોગ કરતું તંત્ર. આ પ્રેષણતંત્ર દ્રવચાલિત પંપ અને મોટરના સંયોજનનું અને તેને માટે જરૂરી નિયંત્રણતંત્રનું બનેલું હોય છે. તેમાં તદ્દન સાદા અચળ વિસ્થાપન(displacement)વાળા તથા સરળ નિયંત્રણવાળા પંપથી માંડીને ઘણા જ જટિલ પરિવર્તી વિસ્થાપન…
વધુ વાંચો >દ્રવ-સ્ફટિકો
દ્રવ-સ્ફટિકો (liquid crystals) દ્રવ્યની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચેના (આંશિક રીતે બંનેના) ગુણધર્મો ધરાવતી અવસ્થા. સામાન્ય રીતે દ્રવ્યનો સમુચ્ચય (aggregate) ત્રણ અવસ્થાઓ — ઘન, પ્રવાહી, અથવા વાયુરૂપ — ધરાવી શકે. આ દરેક અવસ્થાને પોતાના લાક્ષણિક ગુણધર્મો હોય છે અને કોઈ એક ચોક્કસ તાપમાને તેનું એકમાંથી બીજી અવસ્થામાં સંક્રમણ (transition) થાય …
વધુ વાંચો >દ્રવિડ દેશ
દ્રવિડ દેશ : પ્રાચીન કાળમાં દ્રવિડ દેશ તરીકે ઓળખાતું દક્ષિણ ભારત. મહાભારતકાળમાં તેની ઉત્તર સીમા ગોદાવરી નદીથી ગણાતી. ત્યાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ અને તુળવ એ પાંચ ભાષાઓ બોલાતી હતી. સમય જતાં ચેન્નાઈથી શ્રીરંગપટ્ટમ્ અને કન્યાકુમારી સુધીનો, અર્થાત્, પેન્નર યાને ત્રિપતિ નદીની દક્ષિણનો પ્રદેશ દ્રવિડ દેશ તરીકે ઓળખાયો. કાંચીપુરમ્ એની…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >