ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

તત્વમસિ (1984)

Jan 23, 1997

તત્વમસિ (1984) : ડૉ. સુકુમાર કોઝીકોડનું મલયાળમ ભાષામાં ભારતીય દર્શનવિષયક પુસ્તક. તેને 1984માં શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકને એ પુરસ્કાર ઉપરાંત બીજી આઠ સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી એક જ વર્ષમાં એની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. એમાં…

વધુ વાંચો >

તત્વમીમાંસા

Jan 23, 1997

તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’…

વધુ વાંચો >

તત્વવૈપુલ્ય

Jan 23, 1997

તત્વવૈપુલ્ય (chemical abundance) : વિશ્વમાં વિવિધ તત્વો(elements)ના અસ્તિત્વની પ્રચુરતા. આ પ્રચુરતા કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની સૈદ્ધાંતિક સમજૂતી આધુનિક વિજ્ઞાન આપી શકે છે. આ સમજૂતી મુજબ જે મહાવિસ્ફોટ (big bang) દ્વારા વિશ્વનું સર્જન થયું, તેના અતિ પ્રારંભિક તબક્કામાં (એટલે કે ગણતરીની મિનિટોમાં જ !) હાઇડ્રોજનના નાભિ એટલે કે પ્રોટ્રોન, તેના…

વધુ વાંચો >

તત્વાંતરણ

Jan 23, 1997

તત્વાંતરણ (transmutation of elements) : પરમાણુના ન્યૂક્લિયસના ફેરફાર દ્વારા, એક તત્વનું બીજા તત્વમાં કરવામાં આવતું રૂપાંતરણ. એક જ તત્વના બધા જ પરમાણુઓના ન્યૂક્લિયસમાં પ્રોટૉનની સંખ્યા એકસરખી હોય છે. ન્યૂક્લિયસમાંના પ્રોટૉનની સંખ્યામાં  ફેરફાર થતાં, જુદા જ તત્વનો પરમાણુ ઉદભવે છે. પરમાણ્વીય કણોની આપલે દ્વારા, પરમાણુ તેના ન્યૂક્લિયસમાંના પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરી…

વધુ વાંચો >

તત્વો ક્રમાંક 111 અને 112

Jan 23, 1997

તત્વો ક્રમાંક 111 અને 112 : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનાં રાસાયણિક ધાતુતત્વો. 8થી 17 ડિસેમ્બર, 1994ના ગાળામાં GSI, ડર્મસ્ટેટ ખાતેના વૈજ્ઞાનિકોના સમૂહે શીત-સંગલન પદ્ધતિ વાપરીને તત્વ–111નું સંશ્લેષણ કરી તેનું લક્ષણચિત્રણ કર્યું હતું. પ્રક્રિયા આ પ્રમાણે છે : 209Bi(64Ni, n)272111. તે વિકિરણધર્મી હોઈ α-ક્ષય પામે છે : તત્વ–112 9 ફેબ્રુઆરી, 1996ની…

વધુ વાંચો >

તત્વોનું નિષ્કર્ષણ

Jan 23, 1997

તત્વોનું નિષ્કર્ષણ (extraction of elements) : કુદરતમાં મળી આવતાં ખનિજોમાંથી તત્વોને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પ્રવિધિ. પૃથ્વી પર 92 તત્વો ઉપરાંત અનુયુરેનિયમ ઉમેરતાં 103 તત્વો જાણીતાં છે. 92 તત્વોમાંથી લગભગ 80 % જેટલાં ધાતુતત્ત્વો છે. અધાતુતત્વોમાં H2, O2, N2, C1, Si, B, S, P, Cl2, Br2, F2, I2, He, Ar, Kr,…

વધુ વાંચો >

તથાગત ગુપ્ત

Jan 23, 1997

તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક…

વધુ વાંચો >

તનવીર હબીબ

Jan 23, 1997

તનવીર હબીબ (જ. 1 સપ્ટેમ્બર 1923, રાયપુર; અ. 8 જૂન 2009, ભોપાલ, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય નાટ્યસર્જક. પિતાનું નામ મહંમદ હયાતખાન, માતાનું નામ નિઝિરુન્નિસા. બી.એ. પાસ થયા પછી રૉયલ અકાદમી ઑવ્ ડ્રૅમૅટિક આર્ટ્સ, લંડન; બ્રિટિશ ડ્રામા લીગ, લંડન તથા બ્રિસ્ટૉલ ઑલ્ડ વિક્ટોરિયા થિયેટર સ્કૂલ ખાતે નાટ્યક્ષેત્રની તાલીમ લીધી. 1945માં ઑલ…

વધુ વાંચો >

તનાકા, કોઇચી

Jan 23, 1997

તનાકા, કોઇચી (Tanaka, Koichi) (જ. 3 ઑગસ્ટ 1959, ટોયામા શહેર, જાપાન) : જાપાની રસાયણવિદ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1983માં ટોહોકુ યુનિવર્સિટીમાંથી ઇજનેરી પદવી મેળવ્યા બાદ તનાકા ક્યોટોની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપકરણો બનાવતી કંપની શિમાડ્ઝુ કૉર્પોરેશનમાં જોડાયા અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કર્યું. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી…

વધુ વાંચો >

તનાવ અને અનુકૂલન

Jan 23, 1997

તનાવ અને અનુકૂલન : પરિસ્થિતિમાં થતા ફેરફારથી મનની તનાવભરી સ્થિતિ અને તે સતત રહેતી પરિસ્થિતિ સાથે ગોઠવવાની પ્રક્રિયા. માનસિકતણાવ–તનાવ (stress) અને મનોવેદના (distress) એ આધુનિક ઝડપી યુગનો માનસિક વિકાર છે. આધુનિક જીવન જીવવાની શૈલી જ એવી છે કે જીવનમાંથી સુખસંતોષ, શાંતિ, ધીરજ, હળવાશ, ફુરસદ જેવા અનુભવોની બાદબાકી થતી જાય છે…

વધુ વાંચો >