ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

જોશી, સોમેશ્વર દ્વારકાદાસ

Jan 2, 1997

જોશી, સોમેશ્વર દ્વારકાદાસ (ઓગણીસમી સદી) : જ્યોતિષના સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્વાન. તે ખેડા જિલ્લાના કપડવંજ ગામના રહેવાસી, વડાદરા જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે જ્યોતિષના અનેક સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન-પઠન કર્યું હતું. જ્યોતિષના સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો છે પરંતુ ગુજરાતીમાં નહિ હોવાથી તેમણે ‘જાતક પારિજાત’ નામે અઢાર અધ્યાય અને 1900…

વધુ વાંચો >

જોષી, અરુણ

Jan 2, 1997

જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં…

વધુ વાંચો >

જોષી, નેમ નારાયણ

Jan 2, 1997

જોષી, નેમ નારાયણ (જ. 30 જુલાઈ 1925, ડોડિયાના, જિ. નાગૌર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી ભાષાના, વિદ્વાન લેખક. તેમને તેમનાં સંસ્મરણ ‘ઓળૂં રી અખિયાતાં’ (1994) માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1949માં હિંદીમાં એમ.એ. તથા 1970માં એમએલ સુખડિયા યુનિ.માંથી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

જોષી, મનોહર શ્યામ

Jan 2, 1997

જોષી, મનોહર શ્યામ (જ. 9 ઑગસ્ટ 1933, અજમેર, રાજસ્થાન અ. 30 માર્ચ 2006 દિલ્હી.) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ નામના હિંદી સામયિકના સંપાદક, ‘મૉર્નિંગ…

વધુ વાંચો >

જોષી, મહાવીરપ્રસાદ

Jan 2, 1997

જોષી, મહાવીરપ્રસાદ (જ. 1914, ડુંડલોડ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) : ખ્યાતનામ હિંદી કવિ. બાળપણ શેખાવારીમાં. તેમને તેમના મહાકાવ્ય ‘દ્વારકા’, જે તેમના કાવ્યત્રયીનો ત્રીજો ભાગ છે તે બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે સંસ્કૃત તથા કેન્દ્રીય દર્શનનો અભ્યાસ કર્યો અને કાવ્ય-તીર્થ, સાહિત્યાચાર્ય તથા આયુર્વેદાચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

જોષી, રસિક બિહારી

Jan 2, 1997

જોષી, રસિક બિહારી (જ. 12 ફેબ્રુઆરી, 1927, નાગપુર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન અભ્યાસી, લેખક અને કવિ. તેમના ‘શ્રી રાધા પંચશતી’ (1993) નામના કાવ્યસંગ્રહને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હોવાથી અભ્યાસનિષ્ઠાના સંસ્કાર તેમને શૈશવથી સાંપડ્યા હતા. ‘નવ્ય વ્યાકરણ’…

વધુ વાંચો >

જોષી, સુરેશ હરિપ્રસાદ

Jan 2, 1997

જોષી, સુરેશ હરિપ્રસાદ (જ. 30 મે 1921, વાલોડ, તા. બારડોલી; અ. 6 સપ્ટેમ્બર 1986, નડિયાદ) : ગુજરાતી કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. સુરેશ જોષીનું શૈશવ સોનગઢમાં વીત્યું. આ વિસ્તારની પ્રકૃતિએ એમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1943માં બી.એ. તથા 1945માં એમ.એ. કર્યું. અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >

જોસેફસન અસર

Jan 2, 1997

જોસેફસન અસર (Josephson effect) : અવાહક દ્રવ્યના પાતળા સ્તર વડે અલગ કરેલા બે અતિવાહક (super conducting) દ્રવ્યના ટુકડા વચ્ચે થતું વિદ્યુતપ્રવાહનું વહન. આવા પ્રવાહનું વહન બે અતિવાહકને અલગ કરતા પાતળા પરાવૈદ્યુત (dielectric) સ્તરની આરપાર સુરંગ(tunnel)ની જેમ અતિવાહક વચ્ચે નબળા જોડાણ (જોસેફસન જંક્શન) દ્વારા યુગ્મિત (paired) ઇલેક્ટ્રૉન(કૂપર જોડ)ના માર્ગ દ્વારા થતું…

વધુ વાંચો >

જોસેફસન, બ્રિયાન ડી.

Jan 2, 1997

જોસેફસન, બ્રિયાન ડી. (જ. 4 જાન્યુઆરી 1940, કાર્ડિફ, વેલ્સ) : ‘જોસેફસન અસર’ માટે એસાકી લીયો અને જેવર ઇવાર સાથે 1973નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થઈ 1964માં ત્યાંથી જ પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી. માત્ર 22 વર્ષની યુવાન વયે કૅમ્બ્રિજના વિદ્યાર્થી તરીકે તેમણે ‘જોસેફસન…

વધુ વાંચો >

જોહાનિસબર્ગ

Jan 3, 1997

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન 26° 12´ દ. અ. અને 28° 05´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી 1,756 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ 443 ચોકિમી. તથા…

વધુ વાંચો >