ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

જ્ઞાની ઝૈલસિંઘ

Jan 3, 1997

જ્ઞાની ઝૈલસિંઘ (જ. 5 મે 1916, સંઘવાણ, ફરીદકોટ; અ. 25 ડિસેમ્બર 1994, ચંડીગઢ) : રાજનીતિજ્ઞ અને ભારતના સાતમા રાષ્ટ્રપતિ. 6 વર્ષની નાની વયે ખેડૂત પિતા કિશનસિંઘની છત્રછાયા ગુમાવનાર આ બાળક પર માતાનો સવિશેષ પ્રભાવ. શરૂઆતનાં વર્ષો મહેનત-મજૂરી કરીને ગુજારવાં પડ્યાં. એ માટે રસ્તાઓ બાંધવાનું, કૂવા ખોદવાનું અને તલવાર બનાવવાનું એમ…

વધુ વાંચો >

જ્ઞાનેન્દ્રપતિ

Jan 3, 1997

જ્ઞાનેન્દ્રપતિ (જ. 1950, પથરગામા, જિ. ગોડ્ડા, ઝારખંડ) : હિંદી કવિ. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બિહાર સરકારના રાજ્યપત્રિત અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ‘સંશયાત્મા’ કાવ્યસંગ્રહ બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.…

વધુ વાંચો >

જ્ઞાનેન્દ્રિયો

Jan 3, 1997

જ્ઞાનેન્દ્રિયો : જુઓ વિશિષ્ટ ઇન્દ્રિયો

વધુ વાંચો >

જ્ઞાનેશ્વર, સંત

Jan 3, 1997

જ્ઞાનેશ્વર, સંત (જ. 1275, આળંદી, મહારાષ્ટ્ર; અ. 1296, આળંદી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના ભક્તિ-સંપ્રદાયના પ્રખર પ્રવર્તક તથા ભાગવત ધર્મના પ્રવક્તા. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ રખુમાબાઈ. 4 સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. નિવૃત્તિ નામના મોટા ભાઈ જ્ઞાનેશ્વરના આધ્યાત્મિક અને પારમાર્થિક ગુરુ. પિતા વિઠ્ઠલપંતે વિશ્વંભરે સ્વપ્નામાં આપેલી આજ્ઞાનું પાલન કરવા ઇન્દ્રાયણી નદીના…

વધુ વાંચો >

જ્યામતિ

Jan 3, 1997

જ્યામતિ (1900) : પદ્મનાભ ગોહાંઈ બરુવારચિત ઐતિહાસિક નાટક. આ નાટક અહોમ ઇતિહાસ પર આધારિત છે; કરુણાન્ત છે. તેમાં નાટ્યાત્મક અભિવ્યક્તિનું માધ્યમ બ્લૅન્ક વર્સ છે, પ્રમુખ પાત્રો હંમેશાં બ્લૅન્ક વર્સમાં જ બોલે છે. આ નાટક રાણી જ્યામતિનું પરમ સ્વાર્પણ નિરૂપતી કરુણાન્તિકા છે. લક્ષ્મીનાથ બેજબરુવાએ પણ ‘જ્યામતિ કુંવરી’ (1915) નામના નાટકમાં જ્યામતિનું…

વધુ વાંચો >

જ્યેષ્ઠાદેવી

Jan 3, 1997

જ્યેષ્ઠાદેવી : શૈવ આગમમાં વર્ણિત પરાશક્તિનું વિલક્ષણ સ્વરૂપ. આ દેવીની પૂજા ઘણી જૂની છે. બોધાયન ગૃહ્યસૂત્રમાં આ દેવીની પૂજા અંગે અક પ્રકરણ આપેલું છે. સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરને વલોવવામાં આવ્યો ત્યારે લક્ષ્મીની પહેલાં જ્યેષ્ઠા ઉત્પન્ન થઈ, પણ કોઈએ એના કુરૂપને કારણે પસંદ કરી નહિ, પરંતુ ઋષિ કપિલે તેને પોતાની પત્ની તરીકે…

વધુ વાંચો >

જ્યોતિર્લિંગ

Jan 3, 1997

જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…

વધુ વાંચો >

જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત

Jan 3, 1997

જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને…

વધુ વાંચો >

જ્યોતિસંઘ

Jan 3, 1997

જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં…

વધુ વાંચો >

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન

Jan 3, 1997

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન (જ.6 ડિસેમ્બર 1947, વિમ્બલ્ડન, ઇંગ્લૅન્ડ) : “ડીપ લર્નિંગના ગોડફાધર”, બ્રિટિશ-કેનેડિયન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાની અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક. હિન્ટનનું શિક્ષણ કેમ્બ્રિજની કિંગ્સ કૉલેજમાં થયું હતું. પ્રાકૃતિક વિજ્ઞાન, કલાનો ઇતિહાસ અને ફિલસૂફી જેવા વિવિધ વિષયો બદલ્યા પછી આખરે તેમણે યુનિવર્સિટી ઑફ એડનબર્ગમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે એડનબર્ગ યુનિવર્સિટીમાં તેમનો…

વધુ વાંચો >