ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જીવાણુરહિત રોગોનાં ઔષધો

Jan 28, 1996

જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU)…

વધુ વાંચો >

જીવાત

Jan 28, 1996

જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી…

વધુ વાંચો >

જીવાવરણ

Jan 28, 1996

જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને…

વધુ વાંચો >

જીવાવરણ (biosphere)

Jan 28, 1996

જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી.…

વધુ વાંચો >

જીવાવશેષ

Jan 28, 1996

જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો…

વધુ વાંચો >

જીવાવશેષશાસ્ત્ર (palaeontology)

Jan 28, 1996

જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી…

વધુ વાંચો >

જીવાશ્મ (fossil)

Jan 28, 1996

જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા  ખડકો…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 1લો

Jan 28, 1996

જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 2જો

Jan 28, 1996

જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી…

વધુ વાંચો >

જીવોત્પત્તિ

Jan 28, 1996

જીવોત્પત્તિ : જુઓ : ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution)

વધુ વાંચો >