ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

Jan 21, 1996

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી : ભારતની એક કેન્દ્રીય યુનિવર્સિટી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં સંસદના વિશેષ ધારા દ્વારા 1969માં નવી દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અને સ્વરૂપ રાષ્ટ્રવ્યાપી છે. યોગ્યતાના ધોરણે જ પ્રવેશ અપાય છે. આમ છતાં, નબળા વર્ગને અનેક પ્રકારે છૂટછાટો અપાય છે. પ્રવેશકસોટી તથા સમાલાપ દ્વારા પ્રવેશ અપાય…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

Jan 21, 1996

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જશુમતી કંકુવતી

Jan 21, 1996

જશુમતી કંકુવતી : ગુજરાતી નાટ્યસંગ્રહ. ‘બારાડીનાં બે નાટકો’ (1984) અંતર્ગત પ્રગટ થયેલું, 1980માં લખાયેલું ને 1982માં ભજવાયેલું દ્વિઅંકી નાટક. તેની રચના વનવેલી છંદમાં થયેલી છે. તે શોષણલક્ષી સામાજિક જીવનરીતિને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. મુગ્ધ કિશોરી જશુમતીને વય પ્રાપ્ત થતાં પરણાવી દેવાય છે ત્યાંથી શરૂ થતું શોષણ મુખ્યત્વે એને, ગૌણ ભાવે…

વધુ વાંચો >

જસતીકરણ

Jan 21, 1996

જસતીકરણ : લોખંડ કે સ્ટીલના પતરા કે દાગીના (work-piece) ઉપર જસતનો ઢોળ ચડાવવો તે. દુનિયાના જસતના ઉત્પાદનનો સારો એવો જથ્થો આ ક્રિયામાં વપરાય છે. આ માટે બે પદ્ધતિઓ છે : (અ) તપ્ત નિમજ્જી (hot dip) અને (બ) વિદ્યુત-ઢોળ પદ્ધતિ. તપ્ત નિમજ્જી પદ્ધતિમાં સ્ટીલને પિગાળેલા દ્રવ જસતમાં બોળવામાં આવે છે. આ…

વધુ વાંચો >

જસદણ

Jan 21, 1996

જસદણ : રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા – મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને 100 ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ,…

વધુ વાંચો >

જસરાજજી

Jan 21, 1996

જસરાજજી (જ. 28 જાન્યુઆરી 1930, હિસાર, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના મેરાતી ઘરાનાના વિખ્યાત ગાયક. પિતા મોતીરામજી શ્રેષ્ઠ કોટિના ગાયક હતા. તેમણે સંગીતની સાધના સર્વપ્રથમ તબલાની તાલીમથી શરૂ કરેલી. તેમના વડીલબંધુ મણિરામજીને જાહેર કાર્યક્રમોમાં તબલાની સંગત પૂરી પાડતી વખતે તેમણે અનુભવ્યું કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં શ્રેષ્ઠ ગણાય છે.…

વધુ વાંચો >

જસહરચરિઉ (યશોધરચરિત)

Jan 21, 1996

જસહરચરિઉ (યશોધરચરિત) : મહાકવિ પુષ્પદન્ત (દશમી સદી) વિરચિત 4 સંધિમાં બદ્ધ અપભ્રંશ કાવ્ય. યશોધરની કથા જૈન સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધ છે. જસહરચરિઉ પૂર્વે અને પછી અનેક કથાઓ અને કાવ્યો આ વિષય ઉપર રચાયેલાં મળે છે. સોમદેવરચિત પ્રસિદ્ધ યશસ્તિલકચમ્પૂ(સંસ્કૃત)નો વિષય પણ આ જ છે. પુષ્પદન્તે જસહરચરિઉની રચના રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ તૃતીયના મંત્રી…

વધુ વાંચો >

જસ્ટિનિયન–1

Jan 21, 1996

જસ્ટિનિયન–1 (જ. 483 ટોરેસિયસ, મેસિડોનિયા; અ. 14 નવેમ્બર, 565 કૉન્સ્ટૅન્ટિનોપલ) : વિખ્યાત બિઝેન્ટાઇન રોમન સમ્રાટ (527–565) અને રોમન ધારા સંહિતાનો રચયિતા. પૂર્ણ નામ : ફ્લેવિઅસ નીસ્ટનિયેનસ. મૂળ નામ : પેટ્રસ સેબેટિયસ હતું. તેના કાકા રોમન સમ્રાટ જસ્ટિને-1(518–527) તેને દત્તક લીધો હતો. જસ્ટિન-1ના મૃત્યુના થોડા મહિના પહેલાં જ તેણે સત્તાનાં સૂત્રો…

વધુ વાંચો >

જસ્ટિસિયા

Jan 21, 1996

જસ્ટિસિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકૅન્થેસી કુળની શાકીય કે ક્ષુપીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 50 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેના સહસભ્યોમાં Thunbergia grandiflora (મોહન), પીળો કાંટાશેળિયો, અરડૂસી, રસેલિયા વગેરેનો સમાવેશ થાય છે. તેની જાણીતી જાતિઓમાં Justicia betorica Linn. (તે. તેલ્લારંટુ, તમ, વેલિમુંગિલ, મલા. વેલ્લાકુરુંજી,…

વધુ વાંચો >

જહાજગીરો અને માલગીરો ખત

Jan 21, 1996

જહાજગીરો અને માલગીરો ખત : જહાજની મરામત કરાવવા જેવી કે તેમાં ઉપકરણો બેસાડવા જેવી આવશ્યકતા સમુદ્રયાત્રા દરમિયાન ઓચિંતી ઊભી થાય અને કપ્તાન સમક્ષ નાણાં ઊભાં કરવાના અન્ય ઉપાયો રહ્યા ન હોય તથા જહાજમાલિકનો સંપર્ક સાધવાનું શક્ય ન હોય તો સમુદ્રયાત્રા સાંગોપાંગ પૂરી કરવામાં અંતરાયરૂપ બનેલી નાણાંની તીવ્ર કટોકટીને પહોંચી વળવા…

વધુ વાંચો >