ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

છેત્રી, શરદ

Jan 16, 1996

છેત્રી, શરદ (જ. 1947, રાજબાડી, દાર્જિલિંગ) : સુપરિચિત નેપાળી વાર્તાકાર અને કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ તાલીમબંદ સ્નાતક હોવાને કારણે શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પાછળથી તેઓ સ્ટેટ…

વધુ વાંચો >

છોટમ

Jan 16, 1996

છોટમ (જ. 24 માર્ચ 1812, મલાતજ, તા. પેટલાદ, જિ. ખેડા; અ. 5 નવેમ્બર 1885) : 19મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી. કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ ઝીલીને, નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યની પ્રાચીન પરંપરાને અનુસરનાર આ સંતકવિ ‘છોટમ’નું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા છોટાલાલે…

વધુ વાંચો >

છોટરાય ગોપાલ

Jan 16, 1996

છોટરાય ગોપાલ (જ. 1916, પુરુનગર, ઓરિસા, અ. 22 જાન્યુઆરી 2003, શાહિદનગર) : ઊડિયા ભાષાના જાણીતા નાટ્યકાર. તેમને પોતાની કૃતિ ‘હાસ્યરસાર નાટક’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટક ખાતેના આકાશવાણી કેન્દ્રમાં વર્ષો સુધી સેવાઓ આપ્યા બાદ તેઓ 1975માં નિવૃત્ત થયા. 1940 પછીનાં વર્ષો દરમિયાન તેમણે નાટકો…

વધુ વાંચો >

છોટાઉદેપુર જિલ્લો

Jan 16, 1996

છોટાઉદેપુર  જિલ્લો : વડોદરા જિલ્લાનું વિભાજન કરીને બનાવાયેલો નવો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો 22 19´ ઉ. અ. અને 74 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે દાહોદ જિલ્લો, વાયવ્યે વડોદરા જિલ્લો, દક્ષિણે નર્મદા જિલ્લો તેમજ પૂર્વે અને અગ્નિએ અનુક્રમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર…

વધુ વાંચો >

છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ

Jan 16, 1996

છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ : ઝારખંડ-પ-બંગાળને આવરી લેતો 220થી 250 30’ ઉત્તર અક્ષાંશ અને 830 27´થી 870 50’ પૂર્વ રેખાંશ વચ્ચેનો વિસ્તાર. તેનું ક્ષેત્રફળ 86,240 ચોકિમી. છે. આમાં ઝારખંડના રાંચી, હજારીબાગ, સિંગભૂમ, ધનબાદ, પાલામૌ, સંથાલ વિસ્તારો અને પશ્ચિમ બંગાળનો પુરુલિયા વિસ્તાર આવે છે. આ ઉચ્ચપ્રદેશની પૂર્વમાં ગંગા નદીનું મેદાન, પશ્ચિમ બાજુએ વિંધ્યાચળ-બુંદેલખંડ…

વધુ વાંચો >

છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

Jan 16, 1996

છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી 1950ની સાલમાં ભરૂચ જિલ્લાના રાજપીપળા મુકામે સ્થપાયેલી ગુજરાતની સૌપ્રથમ શારીરિક શિક્ષણ તાલીમી સંસ્થા. તેના સ્થાપક પ્રખર વ્યાયામ પ્રવર્તક શ્રી છોટુભાઈ પુરાણી હતા. તેમનું અવસાન થતાં તેમની પુણ્ય સ્મૃતિ રૂપે આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયેલું છે. રાજપીપળા જેવા નિસર્ગસુંદર સ્થળે…

વધુ વાંચો >

છોડ-ઘર અસર (greenhouse effect)

Jan 16, 1996

છોડ-ઘર અસર (greenhouse effect) : નાના છોડવાની વૃદ્ધિ તેમજ ઇતર ઋતુના છોડવાઓનું રક્ષણ કરતી આબોહવાને નિયંત્રિત કરતી કાચની પરિબદ્ધ (enclosed) સંરચનાની સમતુલાનો ભંગ કરતી અસર. જીવસૃષ્ટિને કારણે પર્યાવરણને અસર થતી હોય છે. માનવસમુદાય તથા ઉદ્યોગો હવા, પાણી અને જમીનમાં અપશિષ્ટ (રદ્દી) દ્રવ્યો મુક્ત કરે છે અને પર્યાવરણનું પ્રદૂષણ કરે છે.…

વધુ વાંચો >

જકનાચાર્ય

Jan 16, 1996

જકનાચાર્ય : અલૌકિક સ્થપતિ. એક બ્રાહ્મણની હત્યાની સજા રૂપે તેમણે 20 વર્ષ સુધી સ્થાપત્યક્ષેત્રમાં મંદિરોનાં બાંધકામ માટે કામ કર્યું. એક રાજકુંવર હોવા છતાં પણ આ રીતે ગુના માટેની સજા ભોગવી અદ્વિતીય મંદિરોનાં નિર્માણ માટે કારણભૂત બન્યા. આદિકાળમાં અપ્રતિમ રચનાઓના પ્રણેતા તરીકે આવાં પાત્રો નિમિત્ત બનાવાયેલાં છે. જેમ કે ઘણી જગ્યાએ…

વધુ વાંચો >

જકાત

Jan 16, 1996

જકાત : ચીજવસ્તુઓની પ્રાદેશિક હેરફેર દરમિયાન તેના પર લેવાતો કર. વિદેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર દેશમાં નાખવામાં આવતા કરને આયાત જકાત, દેશમાંથી વિદેશો ખાતે નિકાસ થતી ચીજવસ્તુઓ પર નાખવામાં આવતા કરને નિકાસ જકાત અને કોઈ ત્રીજા દેશની આયાતી અથવા નિકાસી ચીજવસ્તુઓ દેશની રાષ્ટ્રીય સરહદમાંથી પસાર થતી હોય તેના પર નાખવામાં…

વધુ વાંચો >

જકાત મંડળ

Jan 16, 1996

જકાત મંડળ : જુઓ કસ્ટમ યુનિયન

વધુ વાંચો >