ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ

Jan 14, 1996

ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ (જ. 29 મે 1874, કૅમ્પડન હિલ; અ. 14 જૂન 1936, લંડન) : પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર. તે મુખ્યત્વે નિબંધકાર તરીકે વિખ્યાત છે પણ તેમણે કાવ્યલેખન-નવલકથાલેખનક્ષેત્ર પણ ખેડ્યું છે. પિતા એસ્ટેટ એજન્ટ હતા. સેંટ પૉલ શાળામાં અભ્યાસ કર્યો જ્યાં ‘ધ ડિબેટર’ નામનું સામયિક ચલાવ્યું. ‘ધ સ્લૅડ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ચેહફ, અન્તોન પાવલોવિચ

Jan 14, 1996

ચેહફ, અન્તોન પાવલોવિચ (જ. 29 જાન્યુઆરી 1860, તાગન્રોગ, રશિયા; અ. 14 જુલાઈ 1904, બાડેનવીલર, જર્મની) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર. પિતા નાના વેપારી હતા અને દાદા જુવાનીમાં કોઈ જમીનદારના ગુલામ હતા. 1884માં ચેહફે મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ મેળવી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈ ઍલેક્ઝાન્દ્રના અનુકરણે, છાપાં અને…

વધુ વાંચો >

ચેંગચુન

Jan 14, 1996

ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા…

વધુ વાંચો >

ચેંગદુ

Jan 14, 1996

ચેંગદુ : મધ્ય નૈર્ઋત્ય ચીનના સિચુઆન (Sichuan) પ્રાંતનું પાટનગર. આ ઔદ્યોગિક નગર આશરે 30° 37’ ઉ. અ. તથા 104° 06’ પૂ. રે. પર આવેલું છે. વિસ્તાર : 4,87,000 ચોકિમી.. તે ચીનનું એક સૌથી પ્રાચીન ગણાતું શહેર છે. તેની સ્થાપના ઈ. પૂ. 200માં થઈ હતી. તે વખતે તે ઝોઉ રાજવંશનું પાટનગર…

વધુ વાંચો >

ચેંગલપટુ (ચિંગલીપુટ)

Jan 14, 1996

ચેંગલપટુ (ચિંગલીપુટ) : તામિલનાડુ રાજ્યના ચેન્નાઈ જિલ્લાનું શહેર. 12° 30’ ઉ. અ. અને 79° 50’ પૂ. રે. પર તામિલનાડુ રાજ્યના ઉત્તર તરફના પૂર્વ ભાગમાં આવેલું છે. તામિલનાડુના પાટનગર ચેન્નાઈથી નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. દૂર છે. ચેન્નાઈ અને પુદુચેરી રેલમાર્ગ પરનું એક મથક છે. તે સમુદ્રકિનારાથી આંતરિક ભાગમાં 40 કિમી. દૂર…

વધુ વાંચો >

ચૈતન્યચંદ્રોદય (1572)

Jan 14, 1996

ચૈતન્યચંદ્રોદય (1572) : પરમાનંદદાસ સેન કવિ કર્ણપૂરની નાટ્યરચના. ઓરિસાના રાજા ગજપતિ પ્રતાપરુદ્રની આજ્ઞાથી રચેલા નાટકમાં નવદ્વીપ અને જગન્નાથપુરીમાં વિહરતા ચૈતન્ય મહાપ્રભુનું જીવન વર્ણવ્યું છે. આ નાટકમાં મૈત્રી, ભક્તિ, અધર્મ, વિરાગ જેવાં અમૂર્ત પાત્રો ઉપરાંત ગંગા, નારદ, રાધા, કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. સમગ્ર રીતે જોતાં નાટકમાં ઉપદેશતત્વ…

વધુ વાંચો >

ચૈતન્યદાસ

Jan 14, 1996

ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ…

વધુ વાંચો >

ચૈતન્ય મહાપ્રભુ

Jan 14, 1996

ચૈતન્ય મહાપ્રભુ (જ. 27 ફેબ્રુઆરી 1485, નવદ્વીપ, જિ. કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 9 જુલાઈ 1533) : મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. વિદ્યાવ્યાસંગી જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું 10મું સંતાન. ચૈતન્યનું નાક્ષત્ર નામ વિશ્વંભર, ડાક-નામ નિમાઈ. ગૌર વર્ણના હતા તેથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે ઓળખાયા. આચાર્ય તરીકે નિમાઈ પંડિત.…

વધુ વાંચો >

ચૈત્ય

Jan 14, 1996

ચૈત્ય : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. વસ્તુત: ચૈત્ય શબ્દ સંસ્કૃત चिता સાથે સંબંધિત છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ચિતાસ્થાન પર કે મૃતકની ભસ્મ પર સ્મૃતિ મંદિરની રચનાની તેમજ વૃક્ષારોપણની જૂની પરંપરાના ઉલ્લેખો મળે છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પવિત્ર વેદી, દેવસ્થાન, પ્રાસાદ, ધર્મસ્થાનમાંનું પીપળાનું વૃક્ષ વગેરે માટે ચૈત્ય શબ્દ…

વધુ વાંચો >

ચૈત્યગૃહ, ભાજા અને બેડસા :

Jan 14, 1996

ચૈત્યગૃહ, ભાજા અને બેડસા : બૌદ્ધ શૈલીના હીનયાન સમયના સૌથી પુરાણા ચૈત્યના 2 નમૂના. (અનુક્રમે) ઈ. પૂ. બીજી સદી અને પહેલી સદી દરમિયાન તે કોરી કાઢવામાં આવેલ. આ નમૂનાની પ્રાચીનતાનો ખ્યાલ ખાસ કરીને બંનેમાં પ્રતીત થતી બાંધકામની કળા પરથી આવે છે. તે અગાઉની કાષ્ઠશૈલીઓનું આબેહૂબ અનુકરણ છે, ખાસ કરીને તેના…

વધુ વાંચો >