ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જયદ્રથ
જયદ્રથ : મહાભારતનું એક પાત્ર. સિન્ધુ સૌવીર નરેશ વૃદ્ધક્ષત્રનો પુત્ર, ધૃતરાષ્ટ્રપુત્રી દુ:શલાનો પતિ. તેના જન્મસમયે અન્તર્હિત વાણીએ જણાવેલું કે સંગ્રામમાં શત્રુ તેનું માથું છેદી ભૂમિ ઉપર પાડશે ત્યારે વૃદ્ધક્ષત્રે જાહેર કરેલું કે તેનું મસ્તક જમીન ઉપર પાડનારના મસ્તકના પણ ટુકડા થઈ જશે. શાલ્વદેશમાં સ્વયંવરમાં જતા જયદ્રથે માર્ગમાં કામ્યકવનમાં રહેતા પાંડવોની…
વધુ વાંચો >જયધવલા
જયધવલા : કષાયપ્રાભૃત પરની આચાર્ય વીરસેનકૃત પ્રાકૃત-સંસ્કૃતમિશ્ર વ્યાખ્યા. દિગમ્બર જૈન સંપ્રદાયમાં આગમ રૂપે માન્ય 2 ગ્રંથો છે : (1) કર્મપ્રાભૃત અને (2) કષાયપ્રાભૃત. આ બન્ને પર વીરસેન આચાર્યની અતિ મહત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યાઓ મળે છે; કર્મપ્રાભૃતની વ્યાખ્યા ધવલા નામે, કષાયપ્રાભૃતની જયધવલા નામે. આર્યનન્દિના શિષ્ય ચન્દ્રસેનના પ્રશિષ્ય વીરસેન આચાર્યનો સમય ધવલા–જયધવલાની પ્રશસ્તિઓ…
વધુ વાંચો >જયપાલસિંઘ
જયપાલસિંઘ (જ. 1903, રાંચી, બિહાર; અ. 20 માર્ચ 1970) : ભારતના સૌપ્રથમ ઑલિમ્પિક હૉકી-કૅપ્ટન તરીકેનું ગૌરવ ધરાવતા ખેલાડી. શાળાના અભ્યાસકાળ દરમિયાન હૉકીનો પ્રારંભ; ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પણ હૉકી રમતા. ત્યારબાદ કૉલકાતાની મોહનબાગાન ટીમ તરફથી હૉકી રમ્યા. 1930થી 1934 સુધી એ ટીમના સુકાની રહ્યા. 1928માં એમ્સ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક…
વધુ વાંચો >જયપુર
જયપુર : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે 259 કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 11,588 ચોકિમી., જિલ્લાની વસ્તી : 66,63,971 (2011). તેની સ્થાપના (1728માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. 1883માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે…
વધુ વાંચો >જયપ્રકાશ નારાયણ
જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને…
વધુ વાંચો >જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ)
જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ) (જ. 26 જૂન 1908, વીંછિયા, જિ. રાજકોટ; અ. 24 ડિસેમ્બર 1969, અમદાવાદ) : અન્ય ઉપનામ — ‘ભિક્ષુ સાયલાકર’. ‘વીરકુમાર’, ‘મુનીન્દ્ર’. વીસા શ્રીમાળી જૈન. માતા પાર્વતીબહેન, પિતા વીરચંદભાઈ, પત્ની વિજયાબહેન, પુત્ર કુમારપાળ દેસાઈ. પિતાશ્રી વરસોડામાં કારભારી હતા. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને ઉત્તર ગુજરાતના…
વધુ વાંચો >જયરામદાસ દોલતરામ
જયરામદાસ દોલતરામ (જ. 1891; અ. 1979) : રાષ્ટ્રીય નેતા તથા સંશોધક. મૅટ્રિકમાં સમગ્ર સિંધમાં પ્રથમ તથા એલએલ.બી.માં મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા હતા 1911થી તેમણે સ્વાતંત્ર્યઆંદોલનમાં ઝંપલાવ્યું. સિંધમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ‘સ્વરાજ આશ્રમ’ની સ્થાપના કરી. ‘ભારતવાસી’ના તંત્રીસ્થાનેથી અંગ્રેજ સરકારની નીતિની ટીકા કરતાં બે વરસની કેદ ભોગવી. 1925માં દિલ્હીના ‘હિન્દુસ્તાન…
વધુ વાંચો >જયલલિતા જયરામ
જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…
વધુ વાંચો >જયવર્દને, જે. આર.
જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >જયવંત, નલિની
જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ; અ. 20 ડિસેમ્બર 2010, ચેમ્બુર, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ હતો. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં હતા. 10 વર્ષની વયે…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >