૭.૨૩

જંઘાથી જાનકીહરણ

જાતિવિકાસ (phylogony)

જાતિવિકાસ (phylogony) : કોઈ પણ જાતિ કે જાતિઓના સમૂહોના ઉદ્વિકાસનો તેમજ જાતિઓના પારસ્પરિક સંબંધોનો ઇતિહાસ. મુખ્યત્વે વૈજ્ઞાનિકોમાં એ સાર્વત્રિક માન્યતા છે કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ એક જ પૂર્વજમાંથી ઊતરી આવ્યાં છે અને આમ ઊતરી આવતાં સજીવોમાંના અમુક સમાન લક્ષણો ધરાવતાં હોય છે. એવું પણ માનવામાં આવે છે…

વધુ વાંચો >

જાતીય પ્રેરણા

જાતીય પ્રેરણા : મહત્વની પ્રાથમિક શારીરિક પ્રેરણા. આ પ્રેરણાની અનુભૂતિની તીવ્રતામાં વ્યાપક વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. પ્રાણીઓની જાતીય પ્રેરણા ઋતુચક્ર-સમયચક્ર સાથે સંબંધ ધરાવે છે. માનવીની જાતીય પ્રેરણાને ઋતુ કે સમય સાથે કોઈ સંબંધ જણાતો નથી. પ્રાણીઓ અને પક્ષીઓની જાતીય પ્રેરણા પ્રજનનકાર્ય સાથે સંકળાયેલ છે. મનુષ્યોનું જાતીય વર્તન પ્રજનનના હેતુ…

વધુ વાંચો >

જાત્યાદિ તેલ

જાત્યાદિ તેલ : આયુર્વેદમાં ચામડી ઉપર થતા વ્રણ, સ્ફોટ, ફોડલી, વાઢિયા વગેરે ઉપર બહાર લગાડવા માટે વપરાતું પ્રવાહી ઔષધ. ચમેલીનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, પરવળનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, પદ્મકાષ્ઠ, લોધર, હરડે, નીલકમળ, મોરથૂથું, સારિવા અને કરંજબીજનો કલ્ક બનાવી કલ્કથી ચારગણું તલનું તેલ તથા તેલથી…

વધુ વાંચો >

જાત્રા

જાત્રા : બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતા. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં…

વધુ વાંચો >

જાદવ, છગનલાલ

જાદવ, છગનલાલ (જ. 1903, વાડજ, અમદાવાદ; અ. 12 એપ્રિલ, 1987, અમદાવાદ) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. અત્યંત ગરીબ હરિજન કુટુંબમાં છગનભાઈનો જન્મ થયો હતો. તેમના પિતા વણકર હતા. કોચરબની મ્યુનિસિપલ શાળામાં તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ વખતની પ્રથા અનુસાર માત્ર નવ વરસની નાની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં.…

વધુ વાંચો >

જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ

જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ (જ. 10 જાન્યુઆરી 1940, મુ. પો. આકરુ, તા. ધંધૂકા, જિ. અમદાવાદ) : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક. પિતા દાનુભાઈ રાજપૂત ખેડૂત. ગામડામાં ખેડૂત કુટુંબમાં જનમવાને કારણે બાળપણથી જ લોકસાહિત્ય અને લોકકલાઓનો તલસ્પર્શી અનુભવ હતો. તેઓ 1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે…

વધુ વાંચો >

જાદુ

જાદુ : કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વિસ્મયજનક અને પ્રભાવશાળી ઘટનાઓને હાથચાલાકી અને યાંત્રિક સાધનોની મદદથી દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની કરામત. વૈદિક સાહિત્યમાં અને સમકાલીન અવસ્તા ગ્રંથોમાં જાદુવિદ્યા અંગે જે ઉલ્લેખો મળે છે તે પરથી એવું તારણ કાઢી શકાય કે તે આદિમાનવના સાંસ્કૃતિક જીવનનું પ્રધાન અંગ રહ્યું છે.…

વધુ વાંચો >

જાદુઈ ચોરસ

જાદુઈ ચોરસ : ચોરસની પ્રત્યેક હારમાં પ્રત્યેક સ્તંભમાં તથા બંને મુખ્ય વિકર્ણોમાં આવેલી સંખ્યાઓનો સરવાળો સમાન થાય તેવી રીતે કરવામાં આવેલી પ્રાકૃતિક સંખ્યાઓની ગોઠવણી. આકૃતિ (1)માં આવો એક જાદુઈ ચોરસ છે. અહીં પ્રત્યેક આડી હારમાં આવેલી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 1 + 12 + 7 + 14 = 8 + 13…

વધુ વાંચો >

જાદુઈ સંખ્યાઓ

જાદુઈ સંખ્યાઓ : સ્થિર સંરચના અને બંધ કવચ(closed shell)વાળાં પરમાણુકેન્દ્રો(નાભિકો, nuclei)માં આવેલા ન્યુટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા. પરમાણુના બહિ:કેન્દ્રીય ઇલેક્ટ્રૉનની સંખ્યા 2, 8, 18, 36, 54 અને 86 થાય ત્યારે તે પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરે છે, અને રાસાયણિક રીતે નિષ્ક્રિય બની જાય છે. દા.ત. હિલિયમ (2He), નિયોન (10Ne), આર્ગન (18Ar), ક્રિપ્ટોન…

વધુ વાંચો >

જાધવ, ખાશાબા

જાધવ, ખાશાબા (જ. 14 જાન્યુઆરી 1924, કરાડ; અ. ઑગસ્ટ 1984, કરાડ) : ભારતના અગ્રણી કુસ્તીવીર અને ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ભારતને હૉકીની રમત બાદ કરતાં પ્રથમ પદક મેળવી આપનાર વિજેતા. જન્મ કરાડ નજીકના ગોળેશ્વર ગામડામાં. શરૂઆતનું શિક્ષણ કરાડ ખાતે. ઑલિમ્પિક અને ભારતમાં થતી કુસ્તી-સ્પર્ધાઓમાં સતત સક્રિય હોવાને કારણે કુસ્તીમાંથી નિવૃત્ત થયા બાદ…

વધુ વાંચો >

જંઘા

Jan 23, 1996

જંઘા : મંદિરોની દીવાલમાંનો એક થર. તે મૂર્તિકલાથી સુશોભિત કરાયેલ હોય છે. મંડોવરના ભાગરૂપ અને છજાની નીચેનો થર જાંઘા તરીકે ઓળખાય છે. સામાન્ય મંદિરોમાં એક જ જંઘા હોય છે પણ મોટાં મંદિરોમાં ત્રણ જંઘા પણ હોય છે. જેમ કે ખજૂરાહોના કંદારિયા મહાદેવના મંદિરમાં ત્રણ જંઘા આવેલી છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

જંતર-મંતર

Jan 23, 1996

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય…

વધુ વાંચો >

જંતુઉપદ્રવનાશક

Jan 23, 1996

જંતુઉપદ્રવનાશક : જુઓ ચેપવાહકો

વધુ વાંચો >

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores)

Jan 23, 1996

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores) : કીટક અને કીટક જેવાં જંતુઓનો આહાર કરનાર પ્રાણીઓ. સૃષ્ટિ પરનાં બધાં પ્રાણીઓ પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતાં હોય છે. પ્રાણીઓની કુલ જાતિઓની 60 % જેટલી વસ્તી માત્ર કીટકોની બનેલી છે. તેથી ઘણાં પ્રાણીઓ પોષક તત્ત્વો મેળવવા કીટકોનું ભક્ષણ કરે તેમાં નવાઈ નથી.…

વધુ વાંચો >

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ)

Jan 23, 1996

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ) : સં. जम्बीर निम्बू; હિં. जमीरी नीबू, बडा निम्बू; મ. इडलींबु; લૅ. Citrus. limon Linn; Citrus medica varlimonium. આ લીંબુ જરા ભારે, ખાટાં, તીક્ષ્ણ, વિપાકી, ઉષ્ણવીર્ય (ગરમ), કફ અને વાતદોષશામક, રુચિકર્તા, ક્ષુધાવર્ધક, પાચનકર્તા, અનુલોમક, પિત્તસારક, હૃદય માટે હિતકર હોય છે. કફ-નિ:સારક તથા અરુચિ, તૃષા, વમન, અગ્નિમાંદ્ય,…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ)

Jan 23, 1996

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે. આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)

Jan 23, 1996

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

Jan 23, 1996

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર)

Jan 23, 1996

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર) : પ્રાચીન ભારતીય ભુવનકોશમાં અને પુરાણોમાં વર્ણવાયેલો પ્રદેશ. શ્રીમદ્ ભાગવત પુરાણના પાંચમા સ્કંધમાં ભૂગોળ-ખગોળનું વર્ણન આવે છે. તેમાં 5–1–20માં સાત દ્વીપોમાં; જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કરનો ઉલ્લેખ છે. આ જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નીધ્ર હતા. તેમાંના જંબુદ્વીપને નવ વર્ષ(ખંડ)માં વહેંચવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

જંબુવિજયજી મ. સા. :

Jan 23, 1996

જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…

વધુ વાંચો >