૭.૧૪
ચેરેન્કવ વિકિરણથી ચૌબે, ચંદનજી
ચેરેન્કવ વિકિરણ
ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…
વધુ વાંચો >ચેર્નોબિલ દુર્ઘટના
ચેર્નોબિલ દુર્ઘટના : જુઓ ન્યૂક્લિયર રિઍક્ટર
વધુ વાંચો >ચેર્સ (The Chairs, Les Chaises)
ચેર્સ (The Chairs, Les Chaises) : 1951, પ્રખ્યાત ફ્રાન્સિસી નાટ્યકાર યુજીન આયોનેસ્કોનું લાંબું નાટક. 1952માં સિલ્વેન ધોખે નામના દિગ્દર્શકે થિયેટર લેન્ક્રાઇમાં પ્રથમ રજૂ કર્યું ત્યારે દરરોજ માત્ર પાંચ-છ ટિકિટો વેચાતી; ચાર વર્ષ પછી જેન મેન્ક્લેર દ્વારા એના દિગ્દર્શન પછી આ નાટકને ભારે સફળતા મળી. યુરોપીય ઉદભટ (absurd) નાટ્યપ્રવાહનું આ ખૂબ…
વધુ વાંચો >ચેર્સ્કોગો પર્વતમાળા
ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ…
વધુ વાંચો >ચૅલ્ડિયન સમ્રાટો
ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ…
વધુ વાંચો >ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન
ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998, ચેન્નાઇ, તામિલનાડુ] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત…
વધુ વાંચો >ચેલ્યાબિન્સ્ક
ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે.…
વધુ વાંચો >ચેવિયટ ટેકરીઓ
ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…
વધુ વાંચો >ચેસ
ચેસ : જુઓ શેતરંજ
વધુ વાંચો >ચેસવિક ઉપસાગર
ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…
વધુ વાંચો >ચોપચીની
ચોપચીની : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. સં. द्धिपान्तर वचा; હિં. મ. चोबचीनी, चोपचीनी; અં. ચાઈના રૂટ (china root); લૅ. Smilax china. તે પર્ણપાતી (deciduous) આરોહી વનસ્પતિ છે. તેના પર છાલશૂળ (prickles) ભાગ્યે જ જોવા મળે છે. પર્ણો ઉપવલયી (elliptic) કે ગોળાકાર હોય છે ફળ લાલ રંગનાં અને…
વધુ વાંચો >ચૉપર (chopper)
ચૉપર (chopper) : સિગ્નલ પરિપથ(signal circuit)ને નિશ્ચિત સમયાંતરે ચાલુ-બંધ કરતી એક વિદ્યુત-યાંત્રિક રચના. સિગ્નલ પરિપથ ઉપરાંત પ્રકાશ-વૈદ્યુત, ઇલેક્ટ્રૉનિક અને ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં ચૉપર યાંત્રિકીય કાર્ય કરે છે. પહેલાંના સમયમાં કૅમેરામાં પ્રકાશનું નિયંત્રણ કરવા માટે વપરાતી ઑપ્ટિકલ શટર(optical shutter)ની રચના ચૉપરને મળતી આવે છે. ચૉપર શબ્દ ચૉપિંગ (chopping interruption-રુકાવટ) પરથી આવેલો છે.…
વધુ વાંચો >ચોપરા, નીરજ
ચોપરા, નીરજ (જ. 24 ડિસેમ્બર 1997, બન્દ્રા, હરિયાણા) : ભાલાફેંકની રમતના નિષ્ણાત. પિતાનું નામ સતીષકુમાર. માતાનું નામ સરોજદેવી. હરિયાણાના પાણીપત જિલ્લાના નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલ નિરજે ચંડીગઢની દયાનંદ એન્જલો વૈદિક કૉલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં તે સ્થૂળકાય હોવાથી તેના પિતાએ તેના પાણીપતના જિમ્નેશિયમમાં કસરત કરવા માટે મૂક્યો. એમણે…
વધુ વાંચો >ચોપરા, બી. આર.
ચોપરા, બી. આર. (જ. 22 એપ્રિલ 1914, લાહોર; અ. 5 નવેમ્બર 2008, મુંબઈ) : બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. આખું નામ બળદેવ રાજ ચોપરા. તેઓ લેખક, પત્રકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે સુદીર્ઘ અનુભવ ધરાવતા હતા. તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય અને કલા તરફ…
વધુ વાંચો >ચોપાટ
ચોપાટ : ‘સોગઠાંબાજી’ના નામથી પણ ઓળખાતી રમત. ભારતમાં પ્રાચીન કાળથી રમાતી, ગરીબ-તવંગર સૌની અત્યંત માનીતી લોકરમત છે; અને પાશ્ચાત્ય ‘લ્યૂડો’ની રમતને મળતી આવતી છે. આ રમત માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપડ પર સીવેલી અથવા લાદી પર દોરેલી બાજી હોય છે તથા દરેક રમનાર માટે કૂટી તરીકે ચલાવવા માટે એકબીજાથી…
વધુ વાંચો >ચોમુખ
ચોમુખ : જુઓ ‘ચતુર્મુખ પ્રાસાદ’
વધુ વાંચો >ચોરઘડે, વામન કૃષ્ણ
ચોરઘડે, વામન કૃષ્ણ (જ. 16 જુલાઈ 1914, નારખેડ, જિ. નાગપુર; અ. 1 ડિસેમ્બર 1995) : મરાઠી વાર્તાકાર તથા અનુવાદક. તેમણે સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે મેળવ્યું. તેમણે મરાઠી તથા અર્થશાસ્ત્રમાં એમ.એ. અને બી.ટી. કર્યા પછી વર્ધાના વાણિજ્ય મહાવિદ્યાલયમાં વાણિજ્ય અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે 1949થી 1970 સુધી અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત નાગપુર…
વધુ વાંચો >ચોરવાડ
ચોરવાડ : જૂનાગઢ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે માંગરોળની પાસે દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ. 21° 01’ ઉત્તર અક્ષાંશ અને 70° 02’ પૂર્વ રેખાંશ પર ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રકિનારા પર તે આવેલું છે. સોમનાથથી 25 કિમી. અને જૂનાગઢથી 60 કિમી. દૂર છે. અમદાવાદથી 400 કિમી.ના અંતરે છે. જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન…
વધુ વાંચો >ચોરી
ચોરી : જંગમ મિલકતના કાયદેસરના માલિક કે કબજેદારની જાણ અને સંમતિ વગર બદઇરાદાથી તેનો કબજો લઈ લેવાનું ગુનાઇત કૃત્ય. ચોરીનો ગુનો સામાન્યત: વસ્તુના માલિક કે કબજેદારની જાણ બહાર કરાય છે. કાત્યાયનસ્મૃતિ અને નારદસ્મૃતિ પ્રમાણે કોઈ વ્યક્તિને તેની મિલકતથી ચોરીછૂપીથી કે ખુલ્લી રીતે, દિવસે કે રાત્રે વંચિત કરવી એટલે ચોરી (કાત્યાયનસ્મૃતિ…
વધુ વાંચો >ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા
ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા : લલ્લુભાઈ છગનલાલ દેસાઈ (1882થી 1971) રચિત શ્રીમદ્ વલ્લભાચાર્યજીના એકનિષ્ઠ અનુયાયીઓના પ્રેરક જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સત્સંગીઓમાં આ પુસ્તકનું આદરભર્યું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા 84 અને શ્રી ગુસાંઈજીના સેવકોની સંખ્યા 252 હતી. એમને વિશેની વાર્તાઓ પહેલાં મૌખિક રીતે શ્રી ગોકુલનાથજી રજૂ કરતા. એમાં…
વધુ વાંચો >