ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ગ્વાલિયર ઘરાનું

Feb 22, 1994

ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ગ્વાલિયરનો કિલ્લો

Feb 22, 1994

ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…

વધુ વાંચો >

ગ્વિન, ઓકિમા

Feb 22, 1994

ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15…

વધુ વાંચો >

ઘઉં

Feb 22, 1994

ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી…

વધુ વાંચો >

ઘઉંની જીવાત

Feb 22, 1994

ઘઉંની જીવાત : ઘઉંના પાકને નુકસાન કરતી જીવાત. દુનિયાના ઘઉં પકવતા દેશોમાં વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનની બાબતમાં ભારતનો નંબર ચોથો છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની ર્દષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોના ખોરાકમાં ઘઉં અગત્યનું ધાન્ય છે. ઘઉંના પાકમાં જુદી જુદી અવસ્થાએ લગભગ 20 જેટલી જીવાતો નુકસાન…

વધુ વાંચો >

ઘઉંલા

Feb 22, 1994

ઘઉંલા : આયુર્વેદ વનસ્પતિ. સં. प्रियंगु, લૅ. Prunus mahaleb તથા Callicarpa macrophylla. તેનાં ફળ તૂરાં, ઠંડાં, શીતવીર્ય, વૃષ્ય, કેશ્ય, દીપન, પૌષ્ટિક, મૂત્રલ તથા વેદનાહર હોય છે. તે પીડાયુક્ત અજીર્ણ, હોજરીનાં ચાંદાં તથા ગાંઠ, દાહજ્વર, રક્તવિકારો, અમ્લપિત્ત, સગર્ભાનો રક્તસ્રાવ, લોહીવા, ઊલટી, દાહ, પિત્ત, તૃષા, વાતગુલ્મ, વિષ, પ્રમેહ અને રક્તપિત્તનો નાશ કરે…

વધુ વાંચો >

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર

Feb 22, 1994

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર. 33.09 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાયેલ આ કેન્દ્ર, વિજાપુર શહેરની ઉત્તર દિશાએ આવેલ છે. રાજ્યનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર હોવાના નાતે વિજાપુર સહિત યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો (જેવાં કે, જૂનાગઢ, સરદાર કૃષિનગર, અરણેજ, ધંધૂકા, બારડોલી, આણંદ, અમરેલી, ધારી) ખાતે ઘઉંના…

વધુ વાંચો >

ઘટક, ઋત્વિક

Feb 22, 1994

ઘટક, ઋત્વિક (જ. 4 નવેમ્બર 1925, ઢાકા; અ. 6 ફેબ્રુઆરી 1976, કૉલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રસર્જક. સામાજિક ક્રાંતિ માટે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરનાર ડાબેરી વિચારસરણી ધરાવતા આ ફિલ્મસર્જકનાં જીવન અને કાર્ય પર તત્કાલીન રાજકીય ઘટનાઓની ઘેરી અસર થઈ હતી. ઘટક યુવાન હતા ત્યારે તેમનું કુટુંબ ઢાકાથી કૉલકાતા આવ્યું. 1943થી 1945ના…

વધુ વાંચો >

ઘટશ્રાદ્ધ

Feb 22, 1994

ઘટશ્રાદ્ધ : વિશિષ્ટ પ્રકારની કન્નડ ફિલ્મ. નિર્માણવર્ષ 1977, પટકથા-દિગ્દર્શન : ગિરીશ કાસરવલ્લિ; સંગીત : બી. વી. કારંથ; પ્રમુખ કલાકારો : પીના કુતપ્પા, અજિતકુમાર, નારાયણ ભાટ, રામકૃષ્ણ અને શાંતા. આ ચલચિત્ર જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા યુ. આર. અનંતમૂર્તિની એક ટૂંકી વાર્તા પર આધારિત છે. બ્રાહ્મણ સમાજમાં જીવિત વ્યક્તિ માટે મૃત્યુ-સંસ્કાર કરવામાં આવે…

વધુ વાંચો >

ઘટિકાકોણ (hour angle)

Feb 22, 1994

ઘટિકાકોણ (hour angle) : અવલોકનસ્થળના ખગોલીય યામ્યોત્તરવૃત્ત (meridian) અને ખગોલીય પદાર્થના ઘટિકાવૃત્ત (hour circle) વચ્ચેનો કોણ. યામ્યોત્તરવૃત્તથી પશ્ચિમ દિશા તરફ 0°થી 360°ના અથવા 0 કલાકથી 24 કલાકના (1 કલાક = 15°) માપ વડે તે દર્શાવાય છે. તેને સ્થાનિક ઘટિકાકોણ પણ કહેવામાં આવે છે. સ્થાનિક શબ્દનો પ્રયોગ એમ સૂચવે છે કે…

વધુ વાંચો >